વલસાડમાં ભિખારીનું ભૂખમરાથી મોત, મૃતક પાસેથી મળી આવ્યા રૂ. 1.14 લાખ, ભિક્ષુકના મોતે ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-12-05 22:11:33

રસ્તા પર રોજ તમને પણ ઘણા ભિખારીઓ મળતા જ હશે અને મદદ માટે પૈસા માંગતા હશે. જો કે ક્યારેક ભીખારીઓ પણ લાખોપતિ હોય છે, આજે એક ભિક્ષુકનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક લખપતિ ભિક્ષુક ભૂખના માર્યા મરી ગયો હોવાનું સામે આવ્યું છે. કોઈ ભિખારી જયારે ભૂખથી મરી જાય તો આપણને લાગે કે કોઈએ મદદ નહિ કરી હોય. જેના કારણે કોઈ બિચારા ભિક્ષુકનું મોત થઇ ગયું. પણ જો ભિખારી પાસે લાખ રૂપિયા હોય તોય એ ભૂખથી મરી જાય તો આપણને આ વાત ગળે ઉતરે નહિ, પણ આ વાત સાચી છે.


ભિખારી પાસેથી મળી આવ્યા  1.14 લાખ રૂપિયા


વલસાડમાંથી એક ભિખારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભિખારી કહેવાતા 50 વર્ષીય વ્યક્તિને રવિવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની પાસે 1.14 લાખ રૂપિયાની રોકડ હતી. પરંતુ થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ભૂખ હોવાનું જણાવવામાં આવ્યું છે. અધિકારીઓ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. વલસાડ પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે એક દુકાનદારે ઈમરજન્સી નંબર 108 પર ડાયલ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગાંધી લાયબ્રેરી પાસે રોડ કિનારે એ જ જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી એક ભિખારી પડેલો હતો. દુકાનદારે જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિની તબિયત બગડતી જણાતી હતી. આ પછી ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવેશ પટેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધ સાથે વાત કરી હતી. પ્રાથમિક તપાસ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભાવેશ પટેલે કહ્યું, ‘તે ગુજરાતી બોલતો હતો. તેણે જણાવ્યું કે તે વલસાડના ધોબીતલાવ વિસ્તારમાં રહે છે. દુકાનદારે અમને કહ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ હલનચલન કરી રહ્યો નથી. ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા ત્યારે 1.14 લાખની રોકડ મળી આવી હતી. રોકડમાં રૂ.500ની 38 નોટો, રૂ.200ની 83 નોટો, રૂ.100ની 537 નોટો અને રૂ.20 અને રૂ.10ની અન્ય નોટોનો સમાવેશ થાય છે. આ બધી નોટો ભેગી કરીને તેના સ્વેટરના ખિસ્સામાં પ્લાસ્ટિકની નાની થેલીઓમાં લપેટી હતી. અમે મેડિકલ ઓફિસરની સામે વલસાડ શહેર પોલીસને રોકડ આપી હતી.


ભિખારીની મોત અંગે અનેક તર્કવિતર્ક


માહિતી આપતાં વલસાડ સિવિલ હોસ્પિટલના ડો.ક્રિષ્ના પટેલે જણાવ્યું હતું કે, જ્યારે દર્દીને અમારી પાસે લાવવામાં આવ્યો ત્યારે તેણે ચા મંગાવી હતી. અમને લાગ્યું કે તે ભૂખ્યો હતો અને તેનું બ્લડ સુગર લેવલ નીચે ગયું હતું. અમે સલાઈન નાખ્યું અને સારવાર શરૂ કરી. એક કલાક પછી તેનું મૃત્યુ થયું. છેલ્લા કેટલાક દિવસોથી તેણે કંઈ ખાધું ન હતું. ભિખારીની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસે વ્યવસ્થિત રીતે 500, 200 અને 100 રૂપિયાની નોટોના બંડલમાં રાખેલી રોકડ જપ્ત કરી છે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ ભિક્ષુક બીમાર હતા એટલે જમતા નહોતા અને ભૂખ્યા રહેવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું  ત્યારે તમને સવાલ થશે કે જો આ ભિક્ષુક પાસે આટલા રૂપિયા હતા અને ભૂખ્યા હતા તો પછી જમ્યા કેમ નહિ આ જ બાબતે અત્યારે તપાસ કરવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે