વલસાડમાં ભિખારીનું ભૂખમરાથી મોત, મૃતક પાસેથી મળી આવ્યા રૂ. 1.14 લાખ, ભિક્ષુકના મોતે ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-12-05 22:11:33

રસ્તા પર રોજ તમને પણ ઘણા ભિખારીઓ મળતા જ હશે અને મદદ માટે પૈસા માંગતા હશે. જો કે ક્યારેક ભીખારીઓ પણ લાખોપતિ હોય છે, આજે એક ભિક્ષુકનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક લખપતિ ભિક્ષુક ભૂખના માર્યા મરી ગયો હોવાનું સામે આવ્યું છે. કોઈ ભિખારી જયારે ભૂખથી મરી જાય તો આપણને લાગે કે કોઈએ મદદ નહિ કરી હોય. જેના કારણે કોઈ બિચારા ભિક્ષુકનું મોત થઇ ગયું. પણ જો ભિખારી પાસે લાખ રૂપિયા હોય તોય એ ભૂખથી મરી જાય તો આપણને આ વાત ગળે ઉતરે નહિ, પણ આ વાત સાચી છે.


ભિખારી પાસેથી મળી આવ્યા  1.14 લાખ રૂપિયા


વલસાડમાંથી એક ભિખારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભિખારી કહેવાતા 50 વર્ષીય વ્યક્તિને રવિવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની પાસે 1.14 લાખ રૂપિયાની રોકડ હતી. પરંતુ થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ ભૂખ હોવાનું જણાવવામાં આવ્યું છે. અધિકારીઓ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. વલસાડ પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે એક દુકાનદારે ઈમરજન્સી નંબર 108 પર ડાયલ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગાંધી લાયબ્રેરી પાસે રોડ કિનારે એ જ જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી એક ભિખારી પડેલો હતો. દુકાનદારે જણાવ્યું કે વૃદ્ધ વ્યક્તિની તબિયત બગડતી જણાતી હતી. આ પછી ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવેશ પટેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વૃદ્ધ સાથે વાત કરી હતી. પ્રાથમિક તપાસ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ભાવેશ પટેલે કહ્યું, ‘તે ગુજરાતી બોલતો હતો. તેણે જણાવ્યું કે તે વલસાડના ધોબીતલાવ વિસ્તારમાં રહે છે. દુકાનદારે અમને કહ્યું કે તે છેલ્લા કેટલાક દિવસોથી કોઈ હલનચલન કરી રહ્યો નથી. ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ભાવેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ‘અમે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા ત્યારે 1.14 લાખની રોકડ મળી આવી હતી. રોકડમાં રૂ.500ની 38 નોટો, રૂ.200ની 83 નોટો, રૂ.100ની 537 નોટો અને રૂ.20 અને રૂ.10ની અન્ય નોટોનો સમાવેશ થાય છે. આ બધી નોટો ભેગી કરીને તેના સ્વેટરના ખિસ્સામાં પ્લાસ્ટિકની નાની થેલીઓમાં લપેટી હતી. અમે મેડિકલ ઓફિસરની સામે વલસાડ શહેર પોલીસને રોકડ આપી હતી.


ભિખારીની મોત અંગે અનેક તર્કવિતર્ક


માહિતી આપતાં વલસાડ સિવિલ હોસ્પિટલના ડો.ક્રિષ્ના પટેલે જણાવ્યું હતું કે, જ્યારે દર્દીને અમારી પાસે લાવવામાં આવ્યો ત્યારે તેણે ચા મંગાવી હતી. અમને લાગ્યું કે તે ભૂખ્યો હતો અને તેનું બ્લડ સુગર લેવલ નીચે ગયું હતું. અમે સલાઈન નાખ્યું અને સારવાર શરૂ કરી. એક કલાક પછી તેનું મૃત્યુ થયું. છેલ્લા કેટલાક દિવસોથી તેણે કંઈ ખાધું ન હતું. ભિખારીની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસે વ્યવસ્થિત રીતે 500, 200 અને 100 રૂપિયાની નોટોના બંડલમાં રાખેલી રોકડ જપ્ત કરી છે. કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે આ ભિક્ષુક બીમાર હતા એટલે જમતા નહોતા અને ભૂખ્યા રહેવાના કારણે તેમનું મૃત્યુ થયું હતું  ત્યારે તમને સવાલ થશે કે જો આ ભિક્ષુક પાસે આટલા રૂપિયા હતા અને ભૂખ્યા હતા તો પછી જમ્યા કેમ નહિ આ જ બાબતે અત્યારે તપાસ કરવામાં આવી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.