મમતા બેનર્જીના BJP પર પ્રહાર “આપણે અંગ્રેજોને ભારત છોડવા કહ્યું હતું, આજે અમે કહીએ છીએ ભાજપ સરકાર દિલ્હી છોડે”


  • Published By :
  • Published Date : 2023-08-09 18:33:44

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે મણિપુર હિંસા મુદ્દે ભાજપ પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોની સ્થિતી સુધારવામાં ભાજપનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે. આ ભગવા પાર્ટીને દેશ નિકાલ કરવી જોઈએ. ત્રણ દિવસના વહીવટી પ્રવાસ પર નિકળેલા મમતા બેનર્જીએ કહ્યું કે આ જાતિય સંઘર્ષનો સામનો કરી રહેલા મણિપુરમાં આદિવાસી સંકટનો સામનો કરી રહ્યા છે, અને તેમની દુર્દશા સાંભળનારો કોઈ નથી. ભારતમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે, અને કેન્દ્ર આ મામલે તદ્દન ઉદાસીન છે.  


PM મોદી પર આકરા પ્રહાર


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારે દિલ્હી છોડી દેવું જોઈએ. તેમણે ભારત છોડો આંદોલનની 81મી વર્ષગાંઠના અવસરે આ ટિપ્પણી કરી હતી. “અમે અંગ્રેજોને ભારત છોડવાનું કહ્યું હતું. આજે અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર દિલ્હી છોડે,” બેનર્જીએ વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ઝારગ્રામના આદિવાસી બહુલ જિલ્લામાં વહીવટી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું. બેનર્જીએ કહ્યું, "વડાપ્રધાને ચૂંટણી પહેલા જે વચનો આપે છે તેનો એક ટકા પણ પૂરો કરતા નથી. વધુમાં  તેમણે કહ્યું કે "તમને કેન્દ્રમાં સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી". 


ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું


'ભારત છોડો આંદોલન'ની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મજબૂત ભારત માટે સદ્ભાવના અને માનવતાના વિચારોને યથાવત રાખવા પડશે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ કહ્યું કે ભારતની અવધારણા (આઈડિયા ઓફ ઈન્ડિયા) ખતમ ન થવી જોઈએ નહીં. મમતાએ કહ્યું કે 'ભારત છોડો' દિવસના અવસર પર અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળની ઉપેક્ષા સામે લડીશું. મમતાએ કહ્યું કે રાજ્યપાલનું પદ બંધારણીય છે, તેની બંધારણીય મર્યાદા છે. તેમણે કહ્યું કે મણિપુરમાં આદિવાસી લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેમની તકલીફો સાંભળનારૂ કોઈ નથી. મમતાએ કહ્યું કે લઘુમતીઓનું રક્ષણ કરવું બહુમતીની ફરજ છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.