મમતા બેનર્જીના BJP પર પ્રહાર “આપણે અંગ્રેજોને ભારત છોડવા કહ્યું હતું, આજે અમે કહીએ છીએ ભાજપ સરકાર દિલ્હી છોડે”


  • Published By :
  • Published Date : 2023-08-09 18:33:44

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે મણિપુર હિંસા મુદ્દે ભાજપ પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોની સ્થિતી સુધારવામાં ભાજપનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે. આ ભગવા પાર્ટીને દેશ નિકાલ કરવી જોઈએ. ત્રણ દિવસના વહીવટી પ્રવાસ પર નિકળેલા મમતા બેનર્જીએ કહ્યું કે આ જાતિય સંઘર્ષનો સામનો કરી રહેલા મણિપુરમાં આદિવાસી સંકટનો સામનો કરી રહ્યા છે, અને તેમની દુર્દશા સાંભળનારો કોઈ નથી. ભારતમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે, અને કેન્દ્ર આ મામલે તદ્દન ઉદાસીન છે.  


PM મોદી પર આકરા પ્રહાર


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારે દિલ્હી છોડી દેવું જોઈએ. તેમણે ભારત છોડો આંદોલનની 81મી વર્ષગાંઠના અવસરે આ ટિપ્પણી કરી હતી. “અમે અંગ્રેજોને ભારત છોડવાનું કહ્યું હતું. આજે અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર દિલ્હી છોડે,” બેનર્જીએ વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ઝારગ્રામના આદિવાસી બહુલ જિલ્લામાં વહીવટી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું. બેનર્જીએ કહ્યું, "વડાપ્રધાને ચૂંટણી પહેલા જે વચનો આપે છે તેનો એક ટકા પણ પૂરો કરતા નથી. વધુમાં  તેમણે કહ્યું કે "તમને કેન્દ્રમાં સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી". 


ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું


'ભારત છોડો આંદોલન'ની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મજબૂત ભારત માટે સદ્ભાવના અને માનવતાના વિચારોને યથાવત રાખવા પડશે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ કહ્યું કે ભારતની અવધારણા (આઈડિયા ઓફ ઈન્ડિયા) ખતમ ન થવી જોઈએ નહીં. મમતાએ કહ્યું કે 'ભારત છોડો' દિવસના અવસર પર અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળની ઉપેક્ષા સામે લડીશું. મમતાએ કહ્યું કે રાજ્યપાલનું પદ બંધારણીય છે, તેની બંધારણીય મર્યાદા છે. તેમણે કહ્યું કે મણિપુરમાં આદિવાસી લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેમની તકલીફો સાંભળનારૂ કોઈ નથી. મમતાએ કહ્યું કે લઘુમતીઓનું રક્ષણ કરવું બહુમતીની ફરજ છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .