મમતા બેનર્જીના BJP પર પ્રહાર “આપણે અંગ્રેજોને ભારત છોડવા કહ્યું હતું, આજે અમે કહીએ છીએ ભાજપ સરકાર દિલ્હી છોડે”


  • Published By :
  • Published Date : 2023-08-09 18:33:44

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે મણિપુર હિંસા મુદ્દે ભાજપ પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોની સ્થિતી સુધારવામાં ભાજપનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે. આ ભગવા પાર્ટીને દેશ નિકાલ કરવી જોઈએ. ત્રણ દિવસના વહીવટી પ્રવાસ પર નિકળેલા મમતા બેનર્જીએ કહ્યું કે આ જાતિય સંઘર્ષનો સામનો કરી રહેલા મણિપુરમાં આદિવાસી સંકટનો સામનો કરી રહ્યા છે, અને તેમની દુર્દશા સાંભળનારો કોઈ નથી. ભારતમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે, અને કેન્દ્ર આ મામલે તદ્દન ઉદાસીન છે.  


PM મોદી પર આકરા પ્રહાર


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારે દિલ્હી છોડી દેવું જોઈએ. તેમણે ભારત છોડો આંદોલનની 81મી વર્ષગાંઠના અવસરે આ ટિપ્પણી કરી હતી. “અમે અંગ્રેજોને ભારત છોડવાનું કહ્યું હતું. આજે અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર દિલ્હી છોડે,” બેનર્જીએ વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ઝારગ્રામના આદિવાસી બહુલ જિલ્લામાં વહીવટી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું. બેનર્જીએ કહ્યું, "વડાપ્રધાને ચૂંટણી પહેલા જે વચનો આપે છે તેનો એક ટકા પણ પૂરો કરતા નથી. વધુમાં  તેમણે કહ્યું કે "તમને કેન્દ્રમાં સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી". 


ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું


'ભારત છોડો આંદોલન'ની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મજબૂત ભારત માટે સદ્ભાવના અને માનવતાના વિચારોને યથાવત રાખવા પડશે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ કહ્યું કે ભારતની અવધારણા (આઈડિયા ઓફ ઈન્ડિયા) ખતમ ન થવી જોઈએ નહીં. મમતાએ કહ્યું કે 'ભારત છોડો' દિવસના અવસર પર અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળની ઉપેક્ષા સામે લડીશું. મમતાએ કહ્યું કે રાજ્યપાલનું પદ બંધારણીય છે, તેની બંધારણીય મર્યાદા છે. તેમણે કહ્યું કે મણિપુરમાં આદિવાસી લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેમની તકલીફો સાંભળનારૂ કોઈ નથી. મમતાએ કહ્યું કે લઘુમતીઓનું રક્ષણ કરવું બહુમતીની ફરજ છે.



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .