મમતા બેનર્જીના BJP પર પ્રહાર “આપણે અંગ્રેજોને ભારત છોડવા કહ્યું હતું, આજે અમે કહીએ છીએ ભાજપ સરકાર દિલ્હી છોડે”


  • Published By :
  • Published Date : 2023-08-09 18:33:44

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે મણિપુર હિંસા મુદ્દે ભાજપ પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોની સ્થિતી સુધારવામાં ભાજપનું નેતૃત્વ નિષ્ફળ રહ્યું છે. આ ભગવા પાર્ટીને દેશ નિકાલ કરવી જોઈએ. ત્રણ દિવસના વહીવટી પ્રવાસ પર નિકળેલા મમતા બેનર્જીએ કહ્યું કે આ જાતિય સંઘર્ષનો સામનો કરી રહેલા મણિપુરમાં આદિવાસી સંકટનો સામનો કરી રહ્યા છે, અને તેમની દુર્દશા સાંભળનારો કોઈ નથી. ભારતમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે, અને કેન્દ્ર આ મામલે તદ્દન ઉદાસીન છે.  


PM મોદી પર આકરા પ્રહાર


પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકારે દિલ્હી છોડી દેવું જોઈએ. તેમણે ભારત છોડો આંદોલનની 81મી વર્ષગાંઠના અવસરે આ ટિપ્પણી કરી હતી. “અમે અંગ્રેજોને ભારત છોડવાનું કહ્યું હતું. આજે અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર દિલ્હી છોડે,” બેનર્જીએ વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ઝારગ્રામના આદિવાસી બહુલ જિલ્લામાં વહીવટી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું. બેનર્જીએ કહ્યું, "વડાપ્રધાને ચૂંટણી પહેલા જે વચનો આપે છે તેનો એક ટકા પણ પૂરો કરતા નથી. વધુમાં  તેમણે કહ્યું કે "તમને કેન્દ્રમાં સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી". 


ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું


'ભારત છોડો આંદોલન'ની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે મજબૂત ભારત માટે સદ્ભાવના અને માનવતાના વિચારોને યથાવત રાખવા પડશે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ કહ્યું કે ભારતની અવધારણા (આઈડિયા ઓફ ઈન્ડિયા) ખતમ ન થવી જોઈએ નહીં. મમતાએ કહ્યું કે 'ભારત છોડો' દિવસના અવસર પર અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે ભાજપને દિલ્હીમાંથી ભગાડીશું. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળની ઉપેક્ષા સામે લડીશું. મમતાએ કહ્યું કે રાજ્યપાલનું પદ બંધારણીય છે, તેની બંધારણીય મર્યાદા છે. તેમણે કહ્યું કે મણિપુરમાં આદિવાસી લોકો સંકટનો સામનો કરી રહ્યા છે, તેમની તકલીફો સાંભળનારૂ કોઈ નથી. મમતાએ કહ્યું કે લઘુમતીઓનું રક્ષણ કરવું બહુમતીની ફરજ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.