મુશળધાર વરસાદથી સિલિકોન સીટી બેંગલુરૂ જળમગ્ન, પીવાના શુધ્ધ પાણીની ભારે અછત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 15:01:45

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, સિલિકોન સીટી તરીકે જાણીતા બેંગલુરૂના માર્ગોથી લઈને મકાનો,ઓફિસો જળમગ્ન થઈ ગયા છે, શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી લોકોને ઘરોથી ઓફિસ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આઈટી કંપનીઓના કામકાજ પર પણ વરસાદના કારણે ભારે અસર થઈ છે.


હજુ પણ ભારે વરસાદની આગાહી


બેંગલુરૂના નિચાણવાળા વિસ્તારોના અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, અતિ ભારે વરસાદથી સામાન્ય  જનજીવન ખોરવાયું છે, હવામાન વિભાગે પણ શહેરમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેથી લોકોની સમસ્યા હજુ પણ વધશે. હવામાન વિભાગે બેંગલુરૂ અને અન્ય વિસ્તારો જેવા કે કોડાગુ, ઉત્તર કન્નડ, ઉડુપી અને ચિકમંગલૂર માટે યલો એલર્ટ જાહેર કરી છે. મુશળધાર વરસાદથી બેહાલ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી છે, તેમણે જળમગ્ન વિસ્તારોમાંથી પાણીને કાઢવા માટે તાત્કાલિક પગલા ભરવાની પણ વાત કહી છે. 


પીવાના પાણીના ફાંફા


બેંગલુરૂ સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના માર્ગો પર 2 કિમી લાબો ટ્રાફિક જામ જોવા મળ્યા હતો. જો કે હવે લોકોને પીવા યોગ્ય શુધ્ધ પાણીના પણ ફાંફા પડી રહ્યા છે, બેંગલુરૂ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે મંગળ અને બુધવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં આપવાની ચેતવણી આપી છે. 




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.