મુશળધાર વરસાદથી સિલિકોન સીટી બેંગલુરૂ જળમગ્ન, પીવાના શુધ્ધ પાણીની ભારે અછત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 15:01:45

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, સિલિકોન સીટી તરીકે જાણીતા બેંગલુરૂના માર્ગોથી લઈને મકાનો,ઓફિસો જળમગ્ન થઈ ગયા છે, શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી લોકોને ઘરોથી ઓફિસ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આઈટી કંપનીઓના કામકાજ પર પણ વરસાદના કારણે ભારે અસર થઈ છે.


હજુ પણ ભારે વરસાદની આગાહી


બેંગલુરૂના નિચાણવાળા વિસ્તારોના અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, અતિ ભારે વરસાદથી સામાન્ય  જનજીવન ખોરવાયું છે, હવામાન વિભાગે પણ શહેરમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેથી લોકોની સમસ્યા હજુ પણ વધશે. હવામાન વિભાગે બેંગલુરૂ અને અન્ય વિસ્તારો જેવા કે કોડાગુ, ઉત્તર કન્નડ, ઉડુપી અને ચિકમંગલૂર માટે યલો એલર્ટ જાહેર કરી છે. મુશળધાર વરસાદથી બેહાલ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી છે, તેમણે જળમગ્ન વિસ્તારોમાંથી પાણીને કાઢવા માટે તાત્કાલિક પગલા ભરવાની પણ વાત કહી છે. 


પીવાના પાણીના ફાંફા


બેંગલુરૂ સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના માર્ગો પર 2 કિમી લાબો ટ્રાફિક જામ જોવા મળ્યા હતો. જો કે હવે લોકોને પીવા યોગ્ય શુધ્ધ પાણીના પણ ફાંફા પડી રહ્યા છે, બેંગલુરૂ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે મંગળ અને બુધવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં આપવાની ચેતવણી આપી છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.