દેશના આ શહેરનો અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિશ્વનું સૌથી ધીમું શહેર જાહેર


  • Published By :
  • Published Date : 2023-02-16 13:41:03

દેશના તમામ મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી મોટી ચિંતાનો વિષય છે. ટ્રાફિક જામ ના પગલે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક શહેરો તો થોડા અંતર સુધી જઉ હોય તો પણ કલાકો લાગે છે. આ અંગે એક લેટેસ્ટ રિપોર્ટમાં જબરદસ્ત મોટો ખુલાસો થયો છે. વ્હીકલ ટ્રેકિંગ ટેકનોલોજી દ્વારા જિયોલોકેશન ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટએ એક લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે.  


આ રિપોર્ટમાં શું ખુલાસો થયો?


જિયોલોકેશન ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટના TomTom દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં બેંગલુરૂને દુનિયાનું બીજુ સૌથી ધીમુ શહેર જાહેર થયું છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં પિક અવર્સ દરમિયાન 10 કિલોમીટરનું અંતર પાર કરવામાં સરેરાશ લગભગ અડધો કલાક લાગે છે. બેંગલુરૂ બાદ બ્રિટનની રાજધાની લંડન આ મામલે સૌથી પહેલા ક્રમે આવે છે. અહીં 10 કિમી ચાલવામાં 36 મિનિટ 20 સેકન્ડ જેટલો લાગી જાય છે. ત્યાર બાદ આયરલેન્ડની રાજધાની ડબ્લિન, જાપાનનું શહેર સાપોરો અને ઇટાલીનું મિલાન અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.


સ્ટડી માટે કયા માપદંડ હતા?


વિશ્વના સૌથી ધીમા શહેરને લઈ કરાયેલા આ  સ્ટડી માટે ખાસ માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. આ સ્ટડીમાં પેટ્રોલ, ડીઝલની કિંમત તેમજ EV માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે ડ્રાઈવિંગના ખર્ચ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તે લાંબા ટ્રાફિક જામને કારણે કલાકોના નુકસાન અને કાર્બન ઉત્સર્જનને પણ ધ્યાનમાં લે છે. આ મામલામાં બેંગલુરુ પણ ટોપ-5માં સામેલ છે. ગત વર્ષ એટલે કે  2022માં બેંગલુરુમાં પિક અવર્સમાં સરેરાશ 129 કલાક ગુમાવ્યા હતા. આ મામલામાં શહેર ટોપ-5માં ચોથા ક્રમે છે. આ સમયગાળા દરમિયાન, શહેરમાં ટ્રાફિક દરમિયાન પેટ્રોલ કારમાંથી 974 કિલો કાર્બન ઉત્સર્જન કરતા વાહનો મળી આવ્યા હતા. 2022માં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન ધરાવતા ટોપ-5 શહેરોમાં તે પાંચમા ક્રમે છે. આ સ્ટડીમાં ડીઝલ કારમાંથી ઉત્સર્જનનો ડેટા જાહેર કરવામાં આવ્યો નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.