દેશના આ શહેરનો અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિશ્વનું સૌથી ધીમું શહેર જાહેર


  • Published By :
  • Published Date : 2023-02-16 13:41:03

દેશના તમામ મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી મોટી ચિંતાનો વિષય છે. ટ્રાફિક જામ ના પગલે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક શહેરો તો થોડા અંતર સુધી જઉ હોય તો પણ કલાકો લાગે છે. આ અંગે એક લેટેસ્ટ રિપોર્ટમાં જબરદસ્ત મોટો ખુલાસો થયો છે. વ્હીકલ ટ્રેકિંગ ટેકનોલોજી દ્વારા જિયોલોકેશન ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટએ એક લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે.  


આ રિપોર્ટમાં શું ખુલાસો થયો?


જિયોલોકેશન ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટના TomTom દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં બેંગલુરૂને દુનિયાનું બીજુ સૌથી ધીમુ શહેર જાહેર થયું છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં પિક અવર્સ દરમિયાન 10 કિલોમીટરનું અંતર પાર કરવામાં સરેરાશ લગભગ અડધો કલાક લાગે છે. બેંગલુરૂ બાદ બ્રિટનની રાજધાની લંડન આ મામલે સૌથી પહેલા ક્રમે આવે છે. અહીં 10 કિમી ચાલવામાં 36 મિનિટ 20 સેકન્ડ જેટલો લાગી જાય છે. ત્યાર બાદ આયરલેન્ડની રાજધાની ડબ્લિન, જાપાનનું શહેર સાપોરો અને ઇટાલીનું મિલાન અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.


સ્ટડી માટે કયા માપદંડ હતા?


વિશ્વના સૌથી ધીમા શહેરને લઈ કરાયેલા આ  સ્ટડી માટે ખાસ માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. આ સ્ટડીમાં પેટ્રોલ, ડીઝલની કિંમત તેમજ EV માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે ડ્રાઈવિંગના ખર્ચ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તે લાંબા ટ્રાફિક જામને કારણે કલાકોના નુકસાન અને કાર્બન ઉત્સર્જનને પણ ધ્યાનમાં લે છે. આ મામલામાં બેંગલુરુ પણ ટોપ-5માં સામેલ છે. ગત વર્ષ એટલે કે  2022માં બેંગલુરુમાં પિક અવર્સમાં સરેરાશ 129 કલાક ગુમાવ્યા હતા. આ મામલામાં શહેર ટોપ-5માં ચોથા ક્રમે છે. આ સમયગાળા દરમિયાન, શહેરમાં ટ્રાફિક દરમિયાન પેટ્રોલ કારમાંથી 974 કિલો કાર્બન ઉત્સર્જન કરતા વાહનો મળી આવ્યા હતા. 2022માં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન ધરાવતા ટોપ-5 શહેરોમાં તે પાંચમા ક્રમે છે. આ સ્ટડીમાં ડીઝલ કારમાંથી ઉત્સર્જનનો ડેટા જાહેર કરવામાં આવ્યો નથી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.