દેશના આ શહેરનો અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિશ્વનું સૌથી ધીમું શહેર જાહેર


  • Published By :
  • Published Date : 2023-02-16 13:41:03

દેશના તમામ મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી મોટી ચિંતાનો વિષય છે. ટ્રાફિક જામ ના પગલે ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક શહેરો તો થોડા અંતર સુધી જઉ હોય તો પણ કલાકો લાગે છે. આ અંગે એક લેટેસ્ટ રિપોર્ટમાં જબરદસ્ત મોટો ખુલાસો થયો છે. વ્હીકલ ટ્રેકિંગ ટેકનોલોજી દ્વારા જિયોલોકેશન ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટએ એક લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે.  


આ રિપોર્ટમાં શું ખુલાસો થયો?


જિયોલોકેશન ટેકનોલોજી સ્પેશિયાલિસ્ટના TomTom દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં બેંગલુરૂને દુનિયાનું બીજુ સૌથી ધીમુ શહેર જાહેર થયું છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં પિક અવર્સ દરમિયાન 10 કિલોમીટરનું અંતર પાર કરવામાં સરેરાશ લગભગ અડધો કલાક લાગે છે. બેંગલુરૂ બાદ બ્રિટનની રાજધાની લંડન આ મામલે સૌથી પહેલા ક્રમે આવે છે. અહીં 10 કિમી ચાલવામાં 36 મિનિટ 20 સેકન્ડ જેટલો લાગી જાય છે. ત્યાર બાદ આયરલેન્ડની રાજધાની ડબ્લિન, જાપાનનું શહેર સાપોરો અને ઇટાલીનું મિલાન અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.


સ્ટડી માટે કયા માપદંડ હતા?


વિશ્વના સૌથી ધીમા શહેરને લઈ કરાયેલા આ  સ્ટડી માટે ખાસ માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. આ સ્ટડીમાં પેટ્રોલ, ડીઝલની કિંમત તેમજ EV માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે ડ્રાઈવિંગના ખર્ચ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તે લાંબા ટ્રાફિક જામને કારણે કલાકોના નુકસાન અને કાર્બન ઉત્સર્જનને પણ ધ્યાનમાં લે છે. આ મામલામાં બેંગલુરુ પણ ટોપ-5માં સામેલ છે. ગત વર્ષ એટલે કે  2022માં બેંગલુરુમાં પિક અવર્સમાં સરેરાશ 129 કલાક ગુમાવ્યા હતા. આ મામલામાં શહેર ટોપ-5માં ચોથા ક્રમે છે. આ સમયગાળા દરમિયાન, શહેરમાં ટ્રાફિક દરમિયાન પેટ્રોલ કારમાંથી 974 કિલો કાર્બન ઉત્સર્જન કરતા વાહનો મળી આવ્યા હતા. 2022માં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન ધરાવતા ટોપ-5 શહેરોમાં તે પાંચમા ક્રમે છે. આ સ્ટડીમાં ડીઝલ કારમાંથી ઉત્સર્જનનો ડેટા જાહેર કરવામાં આવ્યો નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.