બેસ્ટ બેકરી કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, બે આરોપીઓ નિર્દોષ જાહેર


  • Published By :
  • Published Date : 2023-06-13 21:49:12

ગુજરાતમાં 2002ના ચકચાર મચાવી દેનારા બેસ્ટ બેકરી કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલને નિર્દોષ જાહેર કર્યા છે. આ હત્યાકાંડમાં 14 લોકોના મોત થયા હતા. આ મામલે 21 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે પુરાવાના અભાવે વડોદરા કોર્ટે 2003માં તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી 2004માં સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન પર સુનાવણી કરતા મામલો મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો હતો.


14 લોકોના મોત થયા હતા


બેસ્ટ બેકરી પર ટોળાના હુમલામાં 14 લોકોના મોત થયા હતા. એડિશનલ સેશન્સ જજ એમ.જી. દેશપાંડેએ હર્ષદ સોલંકી અને મફત ગોહિલને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. બેસ્ટ બેકરી કેસમાં ટ્રાયલના પ્રથમ તબક્કા દરમિયાન મુંબઈની સેશન્સ કોર્ટે ફેબ્રુઆરી 2006માં 17માંથી નવ લોકોને દોષિત ઠેરવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે 2012માં તેમાંથી પાંચ દોષિતોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા પરંતુ અન્ય ચારની સજાને યથાવત રાખી હતી. નીચલી કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.


વડોદરામાં થયો હતો બેસ્ટ બેકરી હત્યાકાંડ


ગોધરા કાંડના બે દિવસ પછી, 1 માર્ચ, 2002 ના રોજ, ટોળાએ વડોદરામાં બેસ્ટ બેકરી પર હુમલો કર્યો, લૂંટ ચલાવી અને આગ લગાવી. ટોળાએ 14 લોકોની હત્યા પણ કરી હતી. ટોળાએ બેકરીના માલિક શેખ પરિવારના સભ્યોને નિશાન બનાવ્યા હતા. 2003માં સ્થાનિક કોર્ટમાં આ કેસની સુનાવણી બાદ 19 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં ગુજરાત હાઈકોર્ટે પણ તેમને નિર્દોષ છોડવાની પુષ્ટિ કરી હતી.


ઝાહિરા  શેખે કરી હતી સુપ્રીમમાં અરજી


બેસ્ટ બેકરી હત્યાકાંડના પીડિતોમાંથી એક, ઝાહિરા બીબી શેખે એક એનજીઓના સહયોગથી ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેની અરજીમાં ઝાહિરા  શેખે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અને આદેશને નિરસ્ત કરવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારીને કેસ મહારાષ્ટ્રમાં ચલાવવાનો હુકમ કર્યો હતો.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?