બેસ્ટ બેકરી કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, બે આરોપીઓ નિર્દોષ જાહેર


  • Published By :
  • Published Date : 2023-06-13 21:49:12

ગુજરાતમાં 2002ના ચકચાર મચાવી દેનારા બેસ્ટ બેકરી કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલને નિર્દોષ જાહેર કર્યા છે. આ હત્યાકાંડમાં 14 લોકોના મોત થયા હતા. આ મામલે 21 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે પુરાવાના અભાવે વડોદરા કોર્ટે 2003માં તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી 2004માં સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન પર સુનાવણી કરતા મામલો મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો હતો.


14 લોકોના મોત થયા હતા


બેસ્ટ બેકરી પર ટોળાના હુમલામાં 14 લોકોના મોત થયા હતા. એડિશનલ સેશન્સ જજ એમ.જી. દેશપાંડેએ હર્ષદ સોલંકી અને મફત ગોહિલને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. બેસ્ટ બેકરી કેસમાં ટ્રાયલના પ્રથમ તબક્કા દરમિયાન મુંબઈની સેશન્સ કોર્ટે ફેબ્રુઆરી 2006માં 17માંથી નવ લોકોને દોષિત ઠેરવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે 2012માં તેમાંથી પાંચ દોષિતોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા પરંતુ અન્ય ચારની સજાને યથાવત રાખી હતી. નીચલી કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.


વડોદરામાં થયો હતો બેસ્ટ બેકરી હત્યાકાંડ


ગોધરા કાંડના બે દિવસ પછી, 1 માર્ચ, 2002 ના રોજ, ટોળાએ વડોદરામાં બેસ્ટ બેકરી પર હુમલો કર્યો, લૂંટ ચલાવી અને આગ લગાવી. ટોળાએ 14 લોકોની હત્યા પણ કરી હતી. ટોળાએ બેકરીના માલિક શેખ પરિવારના સભ્યોને નિશાન બનાવ્યા હતા. 2003માં સ્થાનિક કોર્ટમાં આ કેસની સુનાવણી બાદ 19 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં ગુજરાત હાઈકોર્ટે પણ તેમને નિર્દોષ છોડવાની પુષ્ટિ કરી હતી.


ઝાહિરા  શેખે કરી હતી સુપ્રીમમાં અરજી


બેસ્ટ બેકરી હત્યાકાંડના પીડિતોમાંથી એક, ઝાહિરા બીબી શેખે એક એનજીઓના સહયોગથી ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેની અરજીમાં ઝાહિરા  શેખે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અને આદેશને નિરસ્ત કરવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારીને કેસ મહારાષ્ટ્રમાં ચલાવવાનો હુકમ કર્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.