બેસ્ટ બેકરી કેસમાં મુંબઈ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો, બે આરોપીઓ નિર્દોષ જાહેર


  • Published By :
  • Published Date : 2023-06-13 21:49:12

ગુજરાતમાં 2002ના ચકચાર મચાવી દેનારા બેસ્ટ બેકરી કેસમાં મુંબઈની સેશન્સ કોર્ટે બે આરોપીઓ હર્ષદ રાવજીભાઈ સોલંકી અને મફત મણીલાલ ગોહિલને નિર્દોષ જાહેર કર્યા છે. આ હત્યાકાંડમાં 14 લોકોના મોત થયા હતા. આ મામલે 21 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે પુરાવાના અભાવે વડોદરા કોર્ટે 2003માં તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી 2004માં સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન પર સુનાવણી કરતા મામલો મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો હતો.


14 લોકોના મોત થયા હતા


બેસ્ટ બેકરી પર ટોળાના હુમલામાં 14 લોકોના મોત થયા હતા. એડિશનલ સેશન્સ જજ એમ.જી. દેશપાંડેએ હર્ષદ સોલંકી અને મફત ગોહિલને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા. બેસ્ટ બેકરી કેસમાં ટ્રાયલના પ્રથમ તબક્કા દરમિયાન મુંબઈની સેશન્સ કોર્ટે ફેબ્રુઆરી 2006માં 17માંથી નવ લોકોને દોષિત ઠેરવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે 2012માં તેમાંથી પાંચ દોષિતોને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા પરંતુ અન્ય ચારની સજાને યથાવત રાખી હતી. નીચલી કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.


વડોદરામાં થયો હતો બેસ્ટ બેકરી હત્યાકાંડ


ગોધરા કાંડના બે દિવસ પછી, 1 માર્ચ, 2002 ના રોજ, ટોળાએ વડોદરામાં બેસ્ટ બેકરી પર હુમલો કર્યો, લૂંટ ચલાવી અને આગ લગાવી. ટોળાએ 14 લોકોની હત્યા પણ કરી હતી. ટોળાએ બેકરીના માલિક શેખ પરિવારના સભ્યોને નિશાન બનાવ્યા હતા. 2003માં સ્થાનિક કોર્ટમાં આ કેસની સુનાવણી બાદ 19 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં ગુજરાત હાઈકોર્ટે પણ તેમને નિર્દોષ છોડવાની પુષ્ટિ કરી હતી.


ઝાહિરા  શેખે કરી હતી સુપ્રીમમાં અરજી


બેસ્ટ બેકરી હત્યાકાંડના પીડિતોમાંથી એક, ઝાહિરા બીબી શેખે એક એનજીઓના સહયોગથી ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેની અરજીમાં ઝાહિરા  શેખે ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અને આદેશને નિરસ્ત કરવાની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજી સ્વીકારીને કેસ મહારાષ્ટ્રમાં ચલાવવાનો હુકમ કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.