Arjun Modhwadia સાથે જાદુ થઈ ગયો! 30 મિનીટમાં ભાજપની સુંદરતા દેખાઈ.. પરંતુ તેમને આ સવાલનો જવાબ આપવો પડશે કે....


  • Published By :
  • Published Date : 2024-03-06 11:29:13

રાજનીતિ અને રાજનેતા અને વિશ્વાસ આ શબ્દોને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી તેવું લાગે છે.! રાજનીતિ એટલે રાજ કરવાની નીતિ પરંતુ હવે તો રાજ કરવા માટે નીતિને બદલી દેવાય તેવું લાગે. લોકોને સુવિધા મળે, તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જે કામ કરે તેને રાજનેતા કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં બનેલી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરી રહી છે. વર્ષો સુધી જે પાર્ટીમાં રહ્યા હોય અને તે પાર્ટીને જ્યારે કોઈ છોડીને જાય છે ત્યારે અનેક પ્રશ્નો થાય છે. એ પક્ષ માટે ખરાબ કહ્યું હોય, જે પક્ષના નીતિની નિંદા કરી હોય અને તે પક્ષમાં જોડાયા પછી થોડા કલાકોની અંદર જ તે પક્ષના સારા કામો દેખાવા લાગે ત્યારે પ્રશ્નો થાય, પ્રશ્નો થવા સ્વભાવિક પણ છે. 

અર્જુન મોઢવાડિયા પણ એ આક્ષેપોના ઘેરામાં આવશે જે આક્ષેપો તેમણે સરકાર પર લગાવ્યા હતા!  

અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની, અંબરીશ ડેર જેવા અનેક રાજનેતાઓની જેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. પાર્ટી છોડવાનું કારણ ગમે તે હોય પરંતુ પ્રશ્નો તો અનેક ઉભા થાય છે. કોંગ્રેસનો સાથ છોડ્યા પછી સોશિયલ મીડિયા પરથી ભલે કોંગ્રેસનું નિશાન હટાવી દે પરંતુ તે આક્ષેપોનું શું જે તેમણે સત્તાધારી પક્ષ પર લગાવ્યા છે. ભાજપમાં જોડાયા નેતાઓ પણ હવે એ આક્ષેપોમાં જોડાઈ ગયા છે જે આક્ષેપો તેમણે ભાજપ પર જે તે સમયે લગાવ્યા હશે. અર્જુન મોઢવાડિયાએ અનેક ટ્વિટ કરી છે જેમાં તેમણે સરકારના દેવા વિશે, સરકારની યોજના વિશે આક્ષેપો કર્યા છે, અનેક સવાલો કર્યા છે. ભાજપમાં જોડાયા બાદ હવે તે પણ તે જ આક્ષેપનો હિસ્સો બની ગયા છે જે તેમણે લગાવ્યા હતા.


નેતાઓએ એ જવાબ આપવો પડશે કે....  

મહત્વનું છે કે જ્યારે કોઈ નેતા પક્ષ છોડે છે તે બાદ તે જે કારણ આપે છે તે ગળે ઉતરે તેવું નથી હોતું. વિપક્ષમાં રહીને જ્યારે વિકાસના કામો નથી થઈ શક્તા, લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી કારણ કે સરકાર તેમને કામો નથી કરવા દઈ રહી તેવા કારણો આપવામાં આવતા હોય છે. જનતા કામો થઈ શકે, વિસ્તારમાં વિકાસ થઈ શકે તે માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે તેવી વાતો કરવામાં આવતી હોય છે ત્યારે પક્ષ પલટો કરનાર નેતાઓએ એ વાતનો જવાબ તો આપવો જ જોઈએ કે સત્તાધારી પક્ષમાં જોડાયા બાદ તે એ કામો કરવામાં સફળ રહ્યા જેને લઈ તેમણે પક્ષને અલવિદા કહ્યું હતું. અર્જુન મોઢવાડિયાએ એ વાતનો જવાબ આપવો પડશે કે પોરબંદરમાં એ પ્રમાણેનો વિકાસ થયો કે નહીં જે એ ઈચ્છી રહ્યા હતા? અંબરીશ ડેરને પણ એ વાતનો જવાબ આપવો પડશે કે રેલવે લાઈનને નખાવવામાં સફળ રહ્યા જેના માટે તેમણે આંદોલન કર્યું? પક્ષ ગમે તે હોય પરંતુ કામ થવા જોઈએ જનતાના...!    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે