Arjun Modhwadia સાથે જાદુ થઈ ગયો! 30 મિનીટમાં ભાજપની સુંદરતા દેખાઈ.. પરંતુ તેમને આ સવાલનો જવાબ આપવો પડશે કે....


  • Published By :
  • Published Date : 2024-03-06 11:29:13

રાજનીતિ અને રાજનેતા અને વિશ્વાસ આ શબ્દોને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી તેવું લાગે છે.! રાજનીતિ એટલે રાજ કરવાની નીતિ પરંતુ હવે તો રાજ કરવા માટે નીતિને બદલી દેવાય તેવું લાગે. લોકોને સુવિધા મળે, તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જે કામ કરે તેને રાજનેતા કહેવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયમાં બનેલી ઘટનાઓ અનેક સવાલો ઉભા કરી રહી છે. વર્ષો સુધી જે પાર્ટીમાં રહ્યા હોય અને તે પાર્ટીને જ્યારે કોઈ છોડીને જાય છે ત્યારે અનેક પ્રશ્નો થાય છે. એ પક્ષ માટે ખરાબ કહ્યું હોય, જે પક્ષના નીતિની નિંદા કરી હોય અને તે પક્ષમાં જોડાયા પછી થોડા કલાકોની અંદર જ તે પક્ષના સારા કામો દેખાવા લાગે ત્યારે પ્રશ્નો થાય, પ્રશ્નો થવા સ્વભાવિક પણ છે. 

અર્જુન મોઢવાડિયા પણ એ આક્ષેપોના ઘેરામાં આવશે જે આક્ષેપો તેમણે સરકાર પર લગાવ્યા હતા!  

અમે વાત કરી રહ્યા છીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાની, અંબરીશ ડેર જેવા અનેક રાજનેતાઓની જેમણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. પાર્ટી છોડવાનું કારણ ગમે તે હોય પરંતુ પ્રશ્નો તો અનેક ઉભા થાય છે. કોંગ્રેસનો સાથ છોડ્યા પછી સોશિયલ મીડિયા પરથી ભલે કોંગ્રેસનું નિશાન હટાવી દે પરંતુ તે આક્ષેપોનું શું જે તેમણે સત્તાધારી પક્ષ પર લગાવ્યા છે. ભાજપમાં જોડાયા નેતાઓ પણ હવે એ આક્ષેપોમાં જોડાઈ ગયા છે જે આક્ષેપો તેમણે ભાજપ પર જે તે સમયે લગાવ્યા હશે. અર્જુન મોઢવાડિયાએ અનેક ટ્વિટ કરી છે જેમાં તેમણે સરકારના દેવા વિશે, સરકારની યોજના વિશે આક્ષેપો કર્યા છે, અનેક સવાલો કર્યા છે. ભાજપમાં જોડાયા બાદ હવે તે પણ તે જ આક્ષેપનો હિસ્સો બની ગયા છે જે તેમણે લગાવ્યા હતા.


નેતાઓએ એ જવાબ આપવો પડશે કે....  

મહત્વનું છે કે જ્યારે કોઈ નેતા પક્ષ છોડે છે તે બાદ તે જે કારણ આપે છે તે ગળે ઉતરે તેવું નથી હોતું. વિપક્ષમાં રહીને જ્યારે વિકાસના કામો નથી થઈ શક્તા, લોકોને પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી કારણ કે સરકાર તેમને કામો નથી કરવા દઈ રહી તેવા કારણો આપવામાં આવતા હોય છે. જનતા કામો થઈ શકે, વિસ્તારમાં વિકાસ થઈ શકે તે માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે તેવી વાતો કરવામાં આવતી હોય છે ત્યારે પક્ષ પલટો કરનાર નેતાઓએ એ વાતનો જવાબ તો આપવો જ જોઈએ કે સત્તાધારી પક્ષમાં જોડાયા બાદ તે એ કામો કરવામાં સફળ રહ્યા જેને લઈ તેમણે પક્ષને અલવિદા કહ્યું હતું. અર્જુન મોઢવાડિયાએ એ વાતનો જવાબ આપવો પડશે કે પોરબંદરમાં એ પ્રમાણેનો વિકાસ થયો કે નહીં જે એ ઈચ્છી રહ્યા હતા? અંબરીશ ડેરને પણ એ વાતનો જવાબ આપવો પડશે કે રેલવે લાઈનને નખાવવામાં સફળ રહ્યા જેના માટે તેમણે આંદોલન કર્યું? પક્ષ ગમે તે હોય પરંતુ કામ થવા જોઈએ જનતાના...!    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.