'ભા' ગયા 'બા' બાજી મારી ગયા,ભાજપએ 14 મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા


  • Published By :
  • Published Date : 2022-11-10 13:45:17

ચુંટણી નજીક આવી રહી છે અને રાજકીય પક્ષો ચુંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્રિ પાંખિયા જંગ વચ્ચે ભાજપ ફરી સત્તા હાંસલ કરવા તનતોડ મહેનત કરી રહી છે ભાજપે પહેલી યાદીમાં જ 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જેમાં 60 બેઠકમાંથી 14 બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.


ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી 

વઢવાણ - જિગના બેન પંડયા 

રાજકોટ પશ્ચિમ - ડો. દર્શિતાબેન શાહ 

રાજકોટ ગ્રામીણ - ભાનુ બેન બાબરિયા 

ગોંડલ - ગીતાબા જાડેજા 

જામનગર ઉત્તર - રિવાબા જાડેજા

નાંદોદ - ડો. દર્શનબેન દેશમુખ 

લિંબાયત - સંગીતા બેન પાટિલ 

બાયડ - ભીખી બેન પરમાર 

નરોડા - ડો. પાયલબેન કુકરાની 

ઠક્કરબાપા નગર - કાંચનબેન રાદડિયા 

અસારવા - દર્શનાબેન વાઘેલા 

મોરવા હડફ - નિમિષાબેન સુથાર 

વડોદરા શહેર - મનીશાબેન વકીલ 



રિવાબાને મળી ટિકિટ

જામનગર બેઠક પર હકુભાઈને મોટું માથું ગણવામાં આવે છે. જામનગર ઉત્તરમાંથી હકુભાઈને મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. પરંતુ ક્રિમિનલ છબી હોવાને કારણે તેમનું પત્તુ કપાયું હોય તેવું લાગી રહ્યું છે. જેને કારણે કોરોના કાળમાં લોકોની સેવા કરનાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. રિવાબાને ટિકિટ મળવાથી હકુભાની ટિકિટ કપાઈ છે. 


ગીતાબાને રિપીટ કરાયા 

ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગોંડલ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ટિકિટને લઈને માથાકુટ ચાલી રહી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુધ્ધસિંહ પોત-પોતાના દીકરાઓને ટિકિટ અપાવવા માટે મથામણ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.


પ્રથમવાર આ બેઠક પર મહિલા ઉમેદવાર 

નર્મદા જિલ્લાની અનામત બેઠક નાંદોદ પર ડો. દર્શનબેન દેશમુખને મહિલા ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.ડૉ.દર્શનાબેન દેશમુખ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે અને તેમણે આદિજાતિ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અને વન વિકાસ નિગમના ડિરેક્ટર સહિત અનેક રાજ્યોના ભાજપના પ્રભારી રહી સંગઠનની કામગીરી કરી છે તેમના પરિવારમાં પણ ઘણા લોકો રાજકારણથી સંકળાયેલા છે આ તમામ ગણિત ગોઠવી ભાજપે આજે ડૉ.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી હોય તેવું લાગી રહ્યું છે 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.