'ભા' ગયા 'બા' બાજી મારી ગયા,ભાજપએ 14 મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા


  • Published By :
  • Published Date : 2022-11-10 13:45:17

ચુંટણી નજીક આવી રહી છે અને રાજકીય પક્ષો ચુંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્રિ પાંખિયા જંગ વચ્ચે ભાજપ ફરી સત્તા હાંસલ કરવા તનતોડ મહેનત કરી રહી છે ભાજપે પહેલી યાદીમાં જ 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જેમાં 60 બેઠકમાંથી 14 બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.


ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી 

વઢવાણ - જિગના બેન પંડયા 

રાજકોટ પશ્ચિમ - ડો. દર્શિતાબેન શાહ 

રાજકોટ ગ્રામીણ - ભાનુ બેન બાબરિયા 

ગોંડલ - ગીતાબા જાડેજા 

જામનગર ઉત્તર - રિવાબા જાડેજા

નાંદોદ - ડો. દર્શનબેન દેશમુખ 

લિંબાયત - સંગીતા બેન પાટિલ 

બાયડ - ભીખી બેન પરમાર 

નરોડા - ડો. પાયલબેન કુકરાની 

ઠક્કરબાપા નગર - કાંચનબેન રાદડિયા 

અસારવા - દર્શનાબેન વાઘેલા 

મોરવા હડફ - નિમિષાબેન સુથાર 

વડોદરા શહેર - મનીશાબેન વકીલ 



રિવાબાને મળી ટિકિટ

જામનગર બેઠક પર હકુભાઈને મોટું માથું ગણવામાં આવે છે. જામનગર ઉત્તરમાંથી હકુભાઈને મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. પરંતુ ક્રિમિનલ છબી હોવાને કારણે તેમનું પત્તુ કપાયું હોય તેવું લાગી રહ્યું છે. જેને કારણે કોરોના કાળમાં લોકોની સેવા કરનાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. રિવાબાને ટિકિટ મળવાથી હકુભાની ટિકિટ કપાઈ છે. 


ગીતાબાને રિપીટ કરાયા 

ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગોંડલ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ટિકિટને લઈને માથાકુટ ચાલી રહી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુધ્ધસિંહ પોત-પોતાના દીકરાઓને ટિકિટ અપાવવા માટે મથામણ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.


પ્રથમવાર આ બેઠક પર મહિલા ઉમેદવાર 

નર્મદા જિલ્લાની અનામત બેઠક નાંદોદ પર ડો. દર્શનબેન દેશમુખને મહિલા ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.ડૉ.દર્શનાબેન દેશમુખ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે અને તેમણે આદિજાતિ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અને વન વિકાસ નિગમના ડિરેક્ટર સહિત અનેક રાજ્યોના ભાજપના પ્રભારી રહી સંગઠનની કામગીરી કરી છે તેમના પરિવારમાં પણ ઘણા લોકો રાજકારણથી સંકળાયેલા છે આ તમામ ગણિત ગોઠવી ભાજપે આજે ડૉ.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી હોય તેવું લાગી રહ્યું છે 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.