'ભા' ગયા 'બા' બાજી મારી ગયા,ભાજપએ 14 મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા


  • Published By :
  • Published Date : 2022-11-10 13:45:17

ચુંટણી નજીક આવી રહી છે અને રાજકીય પક્ષો ચુંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્રિ પાંખિયા જંગ વચ્ચે ભાજપ ફરી સત્તા હાંસલ કરવા તનતોડ મહેનત કરી રહી છે ભાજપે પહેલી યાદીમાં જ 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જેમાં 60 બેઠકમાંથી 14 બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.


ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી 

વઢવાણ - જિગના બેન પંડયા 

રાજકોટ પશ્ચિમ - ડો. દર્શિતાબેન શાહ 

રાજકોટ ગ્રામીણ - ભાનુ બેન બાબરિયા 

ગોંડલ - ગીતાબા જાડેજા 

જામનગર ઉત્તર - રિવાબા જાડેજા

નાંદોદ - ડો. દર્શનબેન દેશમુખ 

લિંબાયત - સંગીતા બેન પાટિલ 

બાયડ - ભીખી બેન પરમાર 

નરોડા - ડો. પાયલબેન કુકરાની 

ઠક્કરબાપા નગર - કાંચનબેન રાદડિયા 

અસારવા - દર્શનાબેન વાઘેલા 

મોરવા હડફ - નિમિષાબેન સુથાર 

વડોદરા શહેર - મનીશાબેન વકીલ 



રિવાબાને મળી ટિકિટ

જામનગર બેઠક પર હકુભાઈને મોટું માથું ગણવામાં આવે છે. જામનગર ઉત્તરમાંથી હકુભાઈને મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. પરંતુ ક્રિમિનલ છબી હોવાને કારણે તેમનું પત્તુ કપાયું હોય તેવું લાગી રહ્યું છે. જેને કારણે કોરોના કાળમાં લોકોની સેવા કરનાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. રિવાબાને ટિકિટ મળવાથી હકુભાની ટિકિટ કપાઈ છે. 


ગીતાબાને રિપીટ કરાયા 

ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગોંડલ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ટિકિટને લઈને માથાકુટ ચાલી રહી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુધ્ધસિંહ પોત-પોતાના દીકરાઓને ટિકિટ અપાવવા માટે મથામણ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.


પ્રથમવાર આ બેઠક પર મહિલા ઉમેદવાર 

નર્મદા જિલ્લાની અનામત બેઠક નાંદોદ પર ડો. દર્શનબેન દેશમુખને મહિલા ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.ડૉ.દર્શનાબેન દેશમુખ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે અને તેમણે આદિજાતિ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અને વન વિકાસ નિગમના ડિરેક્ટર સહિત અનેક રાજ્યોના ભાજપના પ્રભારી રહી સંગઠનની કામગીરી કરી છે તેમના પરિવારમાં પણ ઘણા લોકો રાજકારણથી સંકળાયેલા છે આ તમામ ગણિત ગોઠવી ભાજપે આજે ડૉ.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી હોય તેવું લાગી રહ્યું છે 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.