સ્ટાર પ્રચારક બની ભગવંત માન કરી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-12 16:55:43

આમ આદમી પાર્ટી જોરશોરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માનને આપના સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. અત્યારે પણ ભગવંત માન ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ભાવનગર ખાતે તેમણે રોડ-શો કર્યો હતો જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે.

ભાવનગર ખાતે ભગવંત માને કર્યો રોડ-શો 

આ વખતે દરેક પાર્ટી પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટી પોતાના સ્ટાર પ્રચારકને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ભાજપ પોતાના 40 સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતારવાની છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર અંતર્ગત ભાવનગર ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે - ભગવંત માન 

પોતાના પ્રચાર દરમિયાન ભગવંત માને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ખરાબ લોકો ત્યાં સુધી ખરાબ રહેશે જ્યાં સુધી સારા લોકો જાગશે નહીં. ઉપરાંત ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. પહેલા લડ્યા હતા ગોરાઓ સામે, હવે લડીશું ચોરો સામે. ત્યારે પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ જેટલી મહેનત કરી છે તે મતમાં પરિવર્તિત થશે કે નહીં તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે.         




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.