સ્ટાર પ્રચારક બની ભગવંત માન કરી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-12 16:55:43

આમ આદમી પાર્ટી જોરશોરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માનને આપના સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. અત્યારે પણ ભગવંત માન ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ભાવનગર ખાતે તેમણે રોડ-શો કર્યો હતો જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે.

ભાવનગર ખાતે ભગવંત માને કર્યો રોડ-શો 

આ વખતે દરેક પાર્ટી પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટી પોતાના સ્ટાર પ્રચારકને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ભાજપ પોતાના 40 સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતારવાની છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર અંતર્ગત ભાવનગર ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે - ભગવંત માન 

પોતાના પ્રચાર દરમિયાન ભગવંત માને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ખરાબ લોકો ત્યાં સુધી ખરાબ રહેશે જ્યાં સુધી સારા લોકો જાગશે નહીં. ઉપરાંત ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. પહેલા લડ્યા હતા ગોરાઓ સામે, હવે લડીશું ચોરો સામે. ત્યારે પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ જેટલી મહેનત કરી છે તે મતમાં પરિવર્તિત થશે કે નહીં તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.