સ્ટાર પ્રચારક બની ભગવંત માન કરી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-12 16:55:43

આમ આદમી પાર્ટી જોરશોરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માનને આપના સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. અત્યારે પણ ભગવંત માન ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ભાવનગર ખાતે તેમણે રોડ-શો કર્યો હતો જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે.

ભાવનગર ખાતે ભગવંત માને કર્યો રોડ-શો 

આ વખતે દરેક પાર્ટી પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટી પોતાના સ્ટાર પ્રચારકને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ભાજપ પોતાના 40 સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતારવાની છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર અંતર્ગત ભાવનગર ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે - ભગવંત માન 

પોતાના પ્રચાર દરમિયાન ભગવંત માને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ખરાબ લોકો ત્યાં સુધી ખરાબ રહેશે જ્યાં સુધી સારા લોકો જાગશે નહીં. ઉપરાંત ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. પહેલા લડ્યા હતા ગોરાઓ સામે, હવે લડીશું ચોરો સામે. ત્યારે પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ જેટલી મહેનત કરી છે તે મતમાં પરિવર્તિત થશે કે નહીં તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે.         




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.