ગુજરાતમાં આપનો પ્રચાર કરવા આવેલા ભગવંત માને કર્યા ભાજપ પર આકરા પ્રહાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-13 16:59:27

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં રેલી તેમજ રોડ-શો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. રાજુલા ખાતે રોડ-શો કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.

 

આપણે ટેક્સ ભરીએ છીએ તો પણ સરકારની તિજોરી ખાલી છે - માન  

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં સરકારની તિજોરી ખાલી કેમ છે? આપણા બાળકો માટે એમની તિજોરીઓ ખાલી થઈ જાય છે, જ્યારે પોતાના બાળકો માટે એમની તિજોરીઓ ક્યારેય ખાલી નથી થતી.


હું સત્ય કહેવા આવ્યો છું - ભગવંત માન 

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે તડામાર તૈયારી કરી રહી છે. પ્રચારને લઈ આમ આદમી પાર્ટી પણ કોઈ કોમ્પ્રોમાઈસ કરવા નથી માગતી. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ રોડ-શો કરી રહ્યા છે. રોડ-શો દરમિયાન ભગવંત માને કહ્યું કે હું અહિંયા કોઈ શક્તિ પ્રદર્શન કરવા નથી આવ્યો. હું જુઠા સપનાઓ બતાવવા નથી આવ્યો. હું અહિંયા સત્ય કહેવા આવ્યો છું. 

Govt notices to BJP, Congress, AAP on overseas funding | India News - Times  of India

દરેક પાર્ટી ગાઈ રહી છે પોતાના ગુણગાન  

ચૂંટણી નજીક આવતા ભાજપ તેમજ કોંગ્રેસ પણ પોતાના ગુણગાન ગાઈ રહ્યા છે. થોડા સમય બાદ ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરવાના છે. જ્યારે કોંગ્રેસ પણ પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ પણ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે આરોપ-પ્રતિઆરોપ તેમજ પ્રચારની મતદારો પર કેટલી અસર થશે તે પરિણામના દિવસે ખબર પડશે.                 




ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પોઈચામાં બનેલી ઘટના જેમાં નર્મદા નદીમાં ન્હાવા ગયેલા 8 લોકો ડૂબી ગયા હતા તેની ચર્ચા ચાલી રહી છે... તેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.. બીજી એક ઘટના મોરબીમાં બની હતી. મચ્છુ નદીમાં ન્હાવા માટે યુવાનો ગયા હતા જેમાંથી ત્રણ લોકો ડૂબી ગયા હતા.

રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.