ગુજરાતમાં આપનો પ્રચાર કરવા આવેલા ભગવંત માને કર્યા ભાજપ પર આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-13 16:59:27

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાના પ્રચારમાં રેલી તેમજ રોડ-શો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. રાજુલા ખાતે રોડ-શો કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે.

 

આપણે ટેક્સ ભરીએ છીએ તો પણ સરકારની તિજોરી ખાલી છે - માન  

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આપણે સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી ટેક્સ ભરીએ છીએ, તેમ છતાં સરકારની તિજોરી ખાલી કેમ છે? આપણા બાળકો માટે એમની તિજોરીઓ ખાલી થઈ જાય છે, જ્યારે પોતાના બાળકો માટે એમની તિજોરીઓ ક્યારેય ખાલી નથી થતી.


હું સત્ય કહેવા આવ્યો છું - ભગવંત માન 

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરેક પાર્ટી પોતાના પ્રચાર માટે તડામાર તૈયારી કરી રહી છે. પ્રચારને લઈ આમ આદમી પાર્ટી પણ કોઈ કોમ્પ્રોમાઈસ કરવા નથી માગતી. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભગવંત માન હાલ ગુજરાતના પ્રવાસે છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ રોડ-શો કરી રહ્યા છે. રોડ-શો દરમિયાન ભગવંત માને કહ્યું કે હું અહિંયા કોઈ શક્તિ પ્રદર્શન કરવા નથી આવ્યો. હું જુઠા સપનાઓ બતાવવા નથી આવ્યો. હું અહિંયા સત્ય કહેવા આવ્યો છું. 

Govt notices to BJP, Congress, AAP on overseas funding | India News - Times  of India

દરેક પાર્ટી ગાઈ રહી છે પોતાના ગુણગાન  

ચૂંટણી નજીક આવતા ભાજપ તેમજ કોંગ્રેસ પણ પોતાના ગુણગાન ગાઈ રહ્યા છે. થોડા સમય બાદ ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત આવી ભાજપનો પ્રચાર કરવાના છે. જ્યારે કોંગ્રેસ પણ પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ પણ પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે આરોપ-પ્રતિઆરોપ તેમજ પ્રચારની મતદારો પર કેટલી અસર થશે તે પરિણામના દિવસે ખબર પડશે.                 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.