ડુંગળી ખરીદીને લઈ ભગવંત માને કરી જાહેરાત, શું ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો?


  • Published By :
  • Published Date : 2023-02-27 12:21:12

ખેડૂતને જગતનો તાત માનવામાં આવે છે. પરંતુ અનેક વખત ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવે છે. અનેક વખત પૂરતા ભાવ નથી મળતા જેને લઈ ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. ડુંગળીના ભાવ નથી મળી રહ્યા જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે પંજાબના મુખ્યમંત્રીએ ભાવનગરમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે પંજાબની સાથે સાથે દિલ્હી સરકાર પણ ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે. ખેડૂતો પોતાના પાકને નષ્ટ ન કરે.


ડુંગળીના પાકને નષ્ટ ન કરવા ભગવંત માનની અપીલ 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. રવિવારે ભાવનગર ખાતે આયોજીત એક સમૂહ લગ્ન સમારોહમાં તેમણે ભાગ લીધો હતો. તે બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ખેડૂતોએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી. ખેડૂતોએ ભગવંત માનને રજૂઆત કરી હતી કે હજારો-લાખોનો ખર્ચ કર્યા બાદ પ્રતિ કિલો ડુંગળીના અઢીથી ત્રણ રુપિયા ભાવ રહ્યા છે. જેને કારણે ડુંગળીનો નાશ કરવો પડે છે. ખેડૂતોની રજૂઆત બાદ ડુંગળી ખરીદવાની તૈયારી દર્શાવી હતી અને ભગવંત માને ખેડૂતોને અપીલ કરી કે 10-15 દિવસ તેઓ ડુંગળીનો નાશ ન કરે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્હીની સરકાર રેલવે વેગન મૂકીને ડુંગળીની ખરીદી કરશે.


રાજકારણમાં આવી શકે છે ગરમાવો     

હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ખેડૂતોને પોષણક્ષમા ભાવ નથી મળી રહ્યા તેવું ખેડૂતોનું કહેવું છે. ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. આ કારણે તેઓ લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની ખેતીનો જે ખર્ચ છે તે પણ તેઓને નથી મળી રહ્યો. પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં એમ પણ ડુંગળીની ખેતી મુખ્યત્વે થતી હોય છે. ત્યારે ભગવંત માનની જાહેરાત થયા બાદ રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે. ભગવંત માને સાંત્વના આપતા કહ્યું કે તેઓ આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી સાથે વાત કરશે. ખેડૂતોને અપીલ કરતા ભગવંત માને કહ્યું કે ખેડૂતો પોતાના ડુંગળીના પાકને નષ્ટ ન કરે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.