ડુંગળી ખરીદીને લઈ ભગવંત માને કરી જાહેરાત, શું ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો?


  • Published By :
  • Published Date : 2023-02-27 12:21:12

ખેડૂતને જગતનો તાત માનવામાં આવે છે. પરંતુ અનેક વખત ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવે છે. અનેક વખત પૂરતા ભાવ નથી મળતા જેને લઈ ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. ડુંગળીના ભાવ નથી મળી રહ્યા જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે પંજાબના મુખ્યમંત્રીએ ભાવનગરમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે પંજાબની સાથે સાથે દિલ્હી સરકાર પણ ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે. ખેડૂતો પોતાના પાકને નષ્ટ ન કરે.


ડુંગળીના પાકને નષ્ટ ન કરવા ભગવંત માનની અપીલ 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. રવિવારે ભાવનગર ખાતે આયોજીત એક સમૂહ લગ્ન સમારોહમાં તેમણે ભાગ લીધો હતો. તે બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ખેડૂતોએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી. ખેડૂતોએ ભગવંત માનને રજૂઆત કરી હતી કે હજારો-લાખોનો ખર્ચ કર્યા બાદ પ્રતિ કિલો ડુંગળીના અઢીથી ત્રણ રુપિયા ભાવ રહ્યા છે. જેને કારણે ડુંગળીનો નાશ કરવો પડે છે. ખેડૂતોની રજૂઆત બાદ ડુંગળી ખરીદવાની તૈયારી દર્શાવી હતી અને ભગવંત માને ખેડૂતોને અપીલ કરી કે 10-15 દિવસ તેઓ ડુંગળીનો નાશ ન કરે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્હીની સરકાર રેલવે વેગન મૂકીને ડુંગળીની ખરીદી કરશે.


રાજકારણમાં આવી શકે છે ગરમાવો     

હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ખેડૂતોને પોષણક્ષમા ભાવ નથી મળી રહ્યા તેવું ખેડૂતોનું કહેવું છે. ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. આ કારણે તેઓ લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની ખેતીનો જે ખર્ચ છે તે પણ તેઓને નથી મળી રહ્યો. પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં એમ પણ ડુંગળીની ખેતી મુખ્યત્વે થતી હોય છે. ત્યારે ભગવંત માનની જાહેરાત થયા બાદ રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે. ભગવંત માને સાંત્વના આપતા કહ્યું કે તેઓ આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી સાથે વાત કરશે. ખેડૂતોને અપીલ કરતા ભગવંત માને કહ્યું કે ખેડૂતો પોતાના ડુંગળીના પાકને નષ્ટ ન કરે.    




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.