ડુંગળી ખરીદીને લઈ ભગવંત માને કરી જાહેરાત, શું ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો?


  • Published By :
  • Published Date : 2023-02-27 12:21:12

ખેડૂતને જગતનો તાત માનવામાં આવે છે. પરંતુ અનેક વખત ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવે છે. અનેક વખત પૂરતા ભાવ નથી મળતા જેને લઈ ખેડૂતોની સ્થિતિ કફોડી બની રહી છે. ડુંગળીના ભાવ નથી મળી રહ્યા જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે પંજાબના મુખ્યમંત્રીએ ભાવનગરમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું કે પંજાબની સાથે સાથે દિલ્હી સરકાર પણ ગુજરાતના ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદશે. ખેડૂતો પોતાના પાકને નષ્ટ ન કરે.


ડુંગળીના પાકને નષ્ટ ન કરવા ભગવંત માનની અપીલ 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. રવિવારે ભાવનગર ખાતે આયોજીત એક સમૂહ લગ્ન સમારોહમાં તેમણે ભાગ લીધો હતો. તે બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ખેડૂતોએ તેમની સાથે મુલાકાત પણ કરી હતી. ખેડૂતોએ ભગવંત માનને રજૂઆત કરી હતી કે હજારો-લાખોનો ખર્ચ કર્યા બાદ પ્રતિ કિલો ડુંગળીના અઢીથી ત્રણ રુપિયા ભાવ રહ્યા છે. જેને કારણે ડુંગળીનો નાશ કરવો પડે છે. ખેડૂતોની રજૂઆત બાદ ડુંગળી ખરીદવાની તૈયારી દર્શાવી હતી અને ભગવંત માને ખેડૂતોને અપીલ કરી કે 10-15 દિવસ તેઓ ડુંગળીનો નાશ ન કરે. આગામી 10 દિવસમાં પંજાબ અને દિલ્હીની સરકાર રેલવે વેગન મૂકીને ડુંગળીની ખરીદી કરશે.


રાજકારણમાં આવી શકે છે ગરમાવો     

હાલ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. ખેડૂતોને પોષણક્ષમા ભાવ નથી મળી રહ્યા તેવું ખેડૂતોનું કહેવું છે. ડુંગળીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. આ કારણે તેઓ લાંબા સમયથી પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની ખેતીનો જે ખર્ચ છે તે પણ તેઓને નથી મળી રહ્યો. પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં એમ પણ ડુંગળીની ખેતી મુખ્યત્વે થતી હોય છે. ત્યારે ભગવંત માનની જાહેરાત થયા બાદ રાજકારણ ગરમાશે તેવું લાગી રહ્યું છે. ભગવંત માને સાંત્વના આપતા કહ્યું કે તેઓ આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી સાથે વાત કરશે. ખેડૂતોને અપીલ કરતા ભગવંત માને કહ્યું કે ખેડૂતો પોતાના ડુંગળીના પાકને નષ્ટ ન કરે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.