ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:34:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આજે બપોરે 3 કલાકે આમ આદમી પાર્ટી સરકારના પંજાબ અને દિલ્લીના બે મુખ્યમંત્રીઓ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને સતત ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે તેઓ ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 


શું લાગે છે આજ વખતે કેજરીવાલ કઈ બાબતે ગેરંટી આપશે?

ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ આજે અને કાલે એમ 3 સભાઓ ગજાવશે. આજે બપોરે 3 કલાકે તેઓ ભાવનગરમાં પહોંચશે અને ત્યાં તેઓ જન સંબોધન કરશે. આવતીકાલે મહેસાણાના ઊંઝા ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભા સંબોધશે. મહેસાણા બાદ બનાસકાંઠાના ડીસામાં આવતીકાલે બપોરે 2 કલાકે પણ સભા સંબોધન કરવામાં આવે. 


આજે ભાજપની પણ ગૌરવયાત્રા

આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભાજપના શાસનો ગૌરવ લેવા અને લોકોને રીજવવા માટે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી ગૌરવ યાત્રા, બહુચરાજીથી માતાના મઢ સુધી, દ્વારકાથી પોરબંદર સુધી ગુજરાત ગૌરવ યાત્રા, સંત સવૈયાનાથજીથી ઝાંઝરકાની ગુજરાત ગૌરવ યાત્રા છે.  




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.