ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:34:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આજે બપોરે 3 કલાકે આમ આદમી પાર્ટી સરકારના પંજાબ અને દિલ્લીના બે મુખ્યમંત્રીઓ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને સતત ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે તેઓ ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 


શું લાગે છે આજ વખતે કેજરીવાલ કઈ બાબતે ગેરંટી આપશે?

ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ આજે અને કાલે એમ 3 સભાઓ ગજાવશે. આજે બપોરે 3 કલાકે તેઓ ભાવનગરમાં પહોંચશે અને ત્યાં તેઓ જન સંબોધન કરશે. આવતીકાલે મહેસાણાના ઊંઝા ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભા સંબોધશે. મહેસાણા બાદ બનાસકાંઠાના ડીસામાં આવતીકાલે બપોરે 2 કલાકે પણ સભા સંબોધન કરવામાં આવે. 


આજે ભાજપની પણ ગૌરવયાત્રા

આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભાજપના શાસનો ગૌરવ લેવા અને લોકોને રીજવવા માટે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી ગૌરવ યાત્રા, બહુચરાજીથી માતાના મઢ સુધી, દ્વારકાથી પોરબંદર સુધી ગુજરાત ગૌરવ યાત્રા, સંત સવૈયાનાથજીથી ઝાંઝરકાની ગુજરાત ગૌરવ યાત્રા છે.  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે