ભાગવંત માનનો ભાજપ સામે મોટો આક્ષેપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 18:10:42

આમ આદમી પાર્ટી રોજ ચર્ચામાં હોય છે ક્યારેક અરવિંદ કેજરીવાલની ગેરંટી તો ક્યારેક નેતાઓના નિવેદન આજે ફરી આમ આદમી પાર્ટીનાં પંજાબના મુખ્યમંત્રીએ વિડિયો ટ્વીટ કર્યો જેમાં તેમને બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે આપના MLA ને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ તેઓને વિશ્વાસ છે કે તેમના ધારાસભ્યો ઈમાનદાર છે. આ ટ્વીટ અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કર્યું અને લખ્યું કે અમને વિશ્વાસ છે કે અમારા ધારાસભ્યો ઈમાનદાર છે આ કોંગ્રેસ નથી અમને ખરીદવું કોઈની તાકાતની વાત નથી.  


વાસ્તવિકતા કોને ખબર? 

પેહલા પણ મનીષ સિસોદિયાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેમને ભાજપ તરફથી ઓફર આવી હતી અને તેમને ખરીદવાની કોશિશ થઈ રહી હતી. હવે પંજાબથી પણ આવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે તેમને કોણે ઓફર આપી એ પૂછવામાં આવ્યું ત્યારે તેમને નામ આપવાનો ઇનકાર કર્યો હતો. હવે આ મુદ્દામાં વાસ્તવિકતા શું છે એ મોટો સવાલ છે 


અરવિંદ કેજરીવાલની નવી રણનીતિ 

અરવિંદ કેજરીવાલ પહેલા ભાજપ પર પ્રહાર કરતાં હતા પણ હવે તેમણે કોંગ્રેસને પણ નિશાને લઈ રહ્યા છે. થોડા દિવસ પેહલા અમદાવાદમાં પત્રકારો દ્વારા સવાલ પૂછતાં તેમણે નિવેદન આપ્યું કે તેમને લાગે છે બીજેપી સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનવા માંગે છે, એટલે અરવિંદ કેજરીવાલ હવે  શામ-દામ-દંડ. ભેદની રાજનીતિ અપનાવી રહ્યા છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.