ભાગવંત માનનો ભાજપ સામે મોટો આક્ષેપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 18:10:42

આમ આદમી પાર્ટી રોજ ચર્ચામાં હોય છે ક્યારેક અરવિંદ કેજરીવાલની ગેરંટી તો ક્યારેક નેતાઓના નિવેદન આજે ફરી આમ આદમી પાર્ટીનાં પંજાબના મુખ્યમંત્રીએ વિડિયો ટ્વીટ કર્યો જેમાં તેમને બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે આપના MLA ને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ તેઓને વિશ્વાસ છે કે તેમના ધારાસભ્યો ઈમાનદાર છે. આ ટ્વીટ અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કર્યું અને લખ્યું કે અમને વિશ્વાસ છે કે અમારા ધારાસભ્યો ઈમાનદાર છે આ કોંગ્રેસ નથી અમને ખરીદવું કોઈની તાકાતની વાત નથી.  


વાસ્તવિકતા કોને ખબર? 

પેહલા પણ મનીષ સિસોદિયાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેમને ભાજપ તરફથી ઓફર આવી હતી અને તેમને ખરીદવાની કોશિશ થઈ રહી હતી. હવે પંજાબથી પણ આવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે તેમને કોણે ઓફર આપી એ પૂછવામાં આવ્યું ત્યારે તેમને નામ આપવાનો ઇનકાર કર્યો હતો. હવે આ મુદ્દામાં વાસ્તવિકતા શું છે એ મોટો સવાલ છે 


અરવિંદ કેજરીવાલની નવી રણનીતિ 

અરવિંદ કેજરીવાલ પહેલા ભાજપ પર પ્રહાર કરતાં હતા પણ હવે તેમણે કોંગ્રેસને પણ નિશાને લઈ રહ્યા છે. થોડા દિવસ પેહલા અમદાવાદમાં પત્રકારો દ્વારા સવાલ પૂછતાં તેમણે નિવેદન આપ્યું કે તેમને લાગે છે બીજેપી સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનવા માંગે છે, એટલે અરવિંદ કેજરીવાલ હવે  શામ-દામ-દંડ. ભેદની રાજનીતિ અપનાવી રહ્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.