ભાગવંત માનનો ભાજપ સામે મોટો આક્ષેપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 18:10:42

આમ આદમી પાર્ટી રોજ ચર્ચામાં હોય છે ક્યારેક અરવિંદ કેજરીવાલની ગેરંટી તો ક્યારેક નેતાઓના નિવેદન આજે ફરી આમ આદમી પાર્ટીનાં પંજાબના મુખ્યમંત્રીએ વિડિયો ટ્વીટ કર્યો જેમાં તેમને બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે આપના MLA ને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ તેઓને વિશ્વાસ છે કે તેમના ધારાસભ્યો ઈમાનદાર છે. આ ટ્વીટ અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કર્યું અને લખ્યું કે અમને વિશ્વાસ છે કે અમારા ધારાસભ્યો ઈમાનદાર છે આ કોંગ્રેસ નથી અમને ખરીદવું કોઈની તાકાતની વાત નથી.  


વાસ્તવિકતા કોને ખબર? 

પેહલા પણ મનીષ સિસોદિયાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેમને ભાજપ તરફથી ઓફર આવી હતી અને તેમને ખરીદવાની કોશિશ થઈ રહી હતી. હવે પંજાબથી પણ આવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે તેમને કોણે ઓફર આપી એ પૂછવામાં આવ્યું ત્યારે તેમને નામ આપવાનો ઇનકાર કર્યો હતો. હવે આ મુદ્દામાં વાસ્તવિકતા શું છે એ મોટો સવાલ છે 


અરવિંદ કેજરીવાલની નવી રણનીતિ 

અરવિંદ કેજરીવાલ પહેલા ભાજપ પર પ્રહાર કરતાં હતા પણ હવે તેમણે કોંગ્રેસને પણ નિશાને લઈ રહ્યા છે. થોડા દિવસ પેહલા અમદાવાદમાં પત્રકારો દ્વારા સવાલ પૂછતાં તેમણે નિવેદન આપ્યું કે તેમને લાગે છે બીજેપી સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનવા માંગે છે, એટલે અરવિંદ કેજરીવાલ હવે  શામ-દામ-દંડ. ભેદની રાજનીતિ અપનાવી રહ્યા છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.