ભાગવંત માનનો ભાજપ સામે મોટો આક્ષેપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 18:10:42

આમ આદમી પાર્ટી રોજ ચર્ચામાં હોય છે ક્યારેક અરવિંદ કેજરીવાલની ગેરંટી તો ક્યારેક નેતાઓના નિવેદન આજે ફરી આમ આદમી પાર્ટીનાં પંજાબના મુખ્યમંત્રીએ વિડિયો ટ્વીટ કર્યો જેમાં તેમને બીજેપી પર પ્રહાર કરતાં કહ્યું કે આપના MLA ને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ તેઓને વિશ્વાસ છે કે તેમના ધારાસભ્યો ઈમાનદાર છે. આ ટ્વીટ અરવિંદ કેજરીવાલે રીટ્વીટ કર્યું અને લખ્યું કે અમને વિશ્વાસ છે કે અમારા ધારાસભ્યો ઈમાનદાર છે આ કોંગ્રેસ નથી અમને ખરીદવું કોઈની તાકાતની વાત નથી.  


વાસ્તવિકતા કોને ખબર? 

પેહલા પણ મનીષ સિસોદિયાએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે તેમને ભાજપ તરફથી ઓફર આવી હતી અને તેમને ખરીદવાની કોશિશ થઈ રહી હતી. હવે પંજાબથી પણ આવા આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે તેમને કોણે ઓફર આપી એ પૂછવામાં આવ્યું ત્યારે તેમને નામ આપવાનો ઇનકાર કર્યો હતો. હવે આ મુદ્દામાં વાસ્તવિકતા શું છે એ મોટો સવાલ છે 


અરવિંદ કેજરીવાલની નવી રણનીતિ 

અરવિંદ કેજરીવાલ પહેલા ભાજપ પર પ્રહાર કરતાં હતા પણ હવે તેમણે કોંગ્રેસને પણ નિશાને લઈ રહ્યા છે. થોડા દિવસ પેહલા અમદાવાદમાં પત્રકારો દ્વારા સવાલ પૂછતાં તેમણે નિવેદન આપ્યું કે તેમને લાગે છે બીજેપી સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનવા માંગે છે, એટલે અરવિંદ કેજરીવાલ હવે  શામ-દામ-દંડ. ભેદની રાજનીતિ અપનાવી રહ્યા છે.



અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!

ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. વાઘોડિયા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે કારણ કે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે આજે અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે...

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચૂંટણીને અનુલક્ષીને લખાયેલા કવિતા... લોલીપોપની લ્હાણી..

ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માગ કરાઈ રહી છે કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે. આવતીકાલે અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજે મહાસંમેલનનું આયોજન કર્યું છે.