રાજ્યના એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા Rajkot Fire Accident મામલે મૌન, Parshottam Rupalaએ તો પત્રિકાર પરિષદ પણ કરી પણ તેમણે...


  • Published By :
  • Published Date : 2024-05-31 11:14:43

નેતાઓને જનપ્રતિધિ કહેવામાં આવે છે, અનેક લોકો નેતાઓને, ધારાસભ્યો, સાંસદોને જનસેવક પણ કહેતા હોય છે.. કદાચ નેતાઓ પણ અનેક વખત કહેતા હોય છે કે અમે તો જનતાની સેવા કરવા માટે આવ્યા છીએ.. જે પ્રજાએ તમને ચૂંટીને આગળ મોકલ્યા છે તેમની શું જવાબદારી નથી કે રાજ્યમાં કોઈ ઘટના બને તો સામે આવીને એટલિસ્ટ કોઈ પ્રતિક્રિયા આપે, સંવેદના વ્યક્ત કરે.. સામાન્ય માણસોમાં આ સહાનુભૂતિની લાગણી હોય છે પરંતુ કદાચ નેતાઓમાં રહેલી સંવેદનાઓ મરી પરવારી લાગે છે..

ભાનુબેન બાબરીયા સાથે જમાવટની ટીમે કરી વાત ત્યારે.. 

રાજકોટમાં જે ઘટના બની તે મામલે અનેક નેતાઓએ મૌન સાધ્યું છે, પરષોત્તમ રૂપાલા ક્યાં છે તે સવાલ પૂછાયા, પરંતુ આ બધામાં આપણે ભાનુબેન બાબરીયાને તો ભૂલી જ ગયા.. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જેમને આપવામાં આવ્યું તે જ મંત્રી જ્યારે આવી દુર્ઘટનાઓને લઈ મૌન સેવી લે તો? રાજકોટમાં જે ઘટના બની તે મામલે ભાનુબેન બાબરીયાની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.. કંઈ ના કરી શકે તો પણ atleast સામે આવીને સહાનુભૂતિના બે શબ્દો તો કહેવા જોઈને? આટલા લોકો આટલા બાળકો, લોકો મોતને ભેટ્યા પરંતુ તેઓ આટલા દિવસો વીતિ ગયા પરંતુ તે સામે આવ્યા નથી..  જમાવટની ટીમે તેમની સાથે ફોન પર વાત કરી હતી અને તેમણે આ ઘટના લઈ બોલવાનું ટાળ્યું હતું.. 


પત્રકારોના સવાલોના જવાબ આપ્યા વગર ભાગ્યા!

સ્ત્રી લાગણીઓને, પીડાઓને સારી રીતે સમજી શકે છે તેવું માનવામાં આવે છે. ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી છે આખી કેબિનેટમાં.. એક જ મહિલા છે તો પણ તે આ મામલે મૌન સાધીને બેઠા છે.. મંત્રીજીનું મૌન અમને ખટકે છે.. શું તેમની જવાબદારી ન હતી કે તે સામે આવીને આ મામલે બોલે? આવી ઘટનાઓ થાય ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓને, ધારાસભ્યોને, સાંસદોને સવાલ થાય.. સવાલોનો જવાબ આપવા માટે ભાજપના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને સવાલોનો સામનો કરવો પડે, સવાલ સાંભળ્યા પછી જવાબ આપવો તેમની ફરજમાં આવે છે.. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે અનેક સવાલો ઉભા કરે તેવા હતા. જવાબ આપ્યા વગર તે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાંથી જતા રહ્યા..   


આખી ઘટનાને લઈ મૌન સાધ્યું ભાનુબેન બાબરિયાએ   

શું મંત્રીજીની જવાબદારીમાં ન આવતું હતું કે આ ઘટનાને લઈ તે બોલે? આ ઘટનાને લઈ નિવેદન આપવું તેમના કર્તવ્યમાં ન આવતું હતું? અનેક નેતાઓ પોતાનું કર્તવ્ય ચૂક્યા છે. અને કર્તવ્ય જ્યારે કોઈ ચૂકે છે તો તેને આજે નહીં તો કાલે જવાબ મળતો હોય છે.. જે જે લોકો કર્તવ્ય ચૂક્યા છે તેમને યાદ કરવું પડશે કે સમય કોઈને પણ નથી છોડતો.. અનેક નેતાઓને જાણે ચૂપ રહેવાની ટેવ પડી ગઈ છે.. હવે નેતાઓ કોઈ બદલાવ લાવશે, જનતાનો મુદ્દો ઉઠાવશે જેવી અપેક્ષા રાખવી સામાન્ય માણસોએ છોડી દીધી છે પરંતુ આવી મોટી દુર્ઘટનામાં નેતાઓ બે શબ્દો સંવેદનના કહેશે તેવી આશા તો રાખી જ હોય છે...!આ અપેક્ષા પણ કદાચ માણસોએ માનીને રાખી હશે કે નેતાઓ, ધારાસભ્યો, સાંસદો માણસ છે તેમનામાં પણ સંવેદના જેવું કંઈક હશે એટલે...  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.