રાજ્યના એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા Rajkot Fire Accident મામલે મૌન, Parshottam Rupalaએ તો પત્રિકાર પરિષદ પણ કરી પણ તેમણે...


  • Published By :
  • Published Date : 2024-05-31 11:14:43

નેતાઓને જનપ્રતિધિ કહેવામાં આવે છે, અનેક લોકો નેતાઓને, ધારાસભ્યો, સાંસદોને જનસેવક પણ કહેતા હોય છે.. કદાચ નેતાઓ પણ અનેક વખત કહેતા હોય છે કે અમે તો જનતાની સેવા કરવા માટે આવ્યા છીએ.. જે પ્રજાએ તમને ચૂંટીને આગળ મોકલ્યા છે તેમની શું જવાબદારી નથી કે રાજ્યમાં કોઈ ઘટના બને તો સામે આવીને એટલિસ્ટ કોઈ પ્રતિક્રિયા આપે, સંવેદના વ્યક્ત કરે.. સામાન્ય માણસોમાં આ સહાનુભૂતિની લાગણી હોય છે પરંતુ કદાચ નેતાઓમાં રહેલી સંવેદનાઓ મરી પરવારી લાગે છે..

ભાનુબેન બાબરીયા સાથે જમાવટની ટીમે કરી વાત ત્યારે.. 

રાજકોટમાં જે ઘટના બની તે મામલે અનેક નેતાઓએ મૌન સાધ્યું છે, પરષોત્તમ રૂપાલા ક્યાં છે તે સવાલ પૂછાયા, પરંતુ આ બધામાં આપણે ભાનુબેન બાબરીયાને તો ભૂલી જ ગયા.. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જેમને આપવામાં આવ્યું તે જ મંત્રી જ્યારે આવી દુર્ઘટનાઓને લઈ મૌન સેવી લે તો? રાજકોટમાં જે ઘટના બની તે મામલે ભાનુબેન બાબરીયાની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.. કંઈ ના કરી શકે તો પણ atleast સામે આવીને સહાનુભૂતિના બે શબ્દો તો કહેવા જોઈને? આટલા લોકો આટલા બાળકો, લોકો મોતને ભેટ્યા પરંતુ તેઓ આટલા દિવસો વીતિ ગયા પરંતુ તે સામે આવ્યા નથી..  જમાવટની ટીમે તેમની સાથે ફોન પર વાત કરી હતી અને તેમણે આ ઘટના લઈ બોલવાનું ટાળ્યું હતું.. 


પત્રકારોના સવાલોના જવાબ આપ્યા વગર ભાગ્યા!

સ્ત્રી લાગણીઓને, પીડાઓને સારી રીતે સમજી શકે છે તેવું માનવામાં આવે છે. ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી છે આખી કેબિનેટમાં.. એક જ મહિલા છે તો પણ તે આ મામલે મૌન સાધીને બેઠા છે.. મંત્રીજીનું મૌન અમને ખટકે છે.. શું તેમની જવાબદારી ન હતી કે તે સામે આવીને આ મામલે બોલે? આવી ઘટનાઓ થાય ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓને, ધારાસભ્યોને, સાંસદોને સવાલ થાય.. સવાલોનો જવાબ આપવા માટે ભાજપના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને સવાલોનો સામનો કરવો પડે, સવાલ સાંભળ્યા પછી જવાબ આપવો તેમની ફરજમાં આવે છે.. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે અનેક સવાલો ઉભા કરે તેવા હતા. જવાબ આપ્યા વગર તે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાંથી જતા રહ્યા..   


આખી ઘટનાને લઈ મૌન સાધ્યું ભાનુબેન બાબરિયાએ   

શું મંત્રીજીની જવાબદારીમાં ન આવતું હતું કે આ ઘટનાને લઈ તે બોલે? આ ઘટનાને લઈ નિવેદન આપવું તેમના કર્તવ્યમાં ન આવતું હતું? અનેક નેતાઓ પોતાનું કર્તવ્ય ચૂક્યા છે. અને કર્તવ્ય જ્યારે કોઈ ચૂકે છે તો તેને આજે નહીં તો કાલે જવાબ મળતો હોય છે.. જે જે લોકો કર્તવ્ય ચૂક્યા છે તેમને યાદ કરવું પડશે કે સમય કોઈને પણ નથી છોડતો.. અનેક નેતાઓને જાણે ચૂપ રહેવાની ટેવ પડી ગઈ છે.. હવે નેતાઓ કોઈ બદલાવ લાવશે, જનતાનો મુદ્દો ઉઠાવશે જેવી અપેક્ષા રાખવી સામાન્ય માણસોએ છોડી દીધી છે પરંતુ આવી મોટી દુર્ઘટનામાં નેતાઓ બે શબ્દો સંવેદનના કહેશે તેવી આશા તો રાખી જ હોય છે...!આ અપેક્ષા પણ કદાચ માણસોએ માનીને રાખી હશે કે નેતાઓ, ધારાસભ્યો, સાંસદો માણસ છે તેમનામાં પણ સંવેદના જેવું કંઈક હશે એટલે...  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.