દેશની સોપ્રથમ નેઝલ રસીને મળી DCGIની મંજૂરી, ઈન્જેક્સનથી મળશે છુટકારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 17:43:27

કોરોના રોગચાળા સામે ભારતને વધુ એક સફળતા મળી છે. દેશની સૌપ્રથમ નેઝલ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા કોરોના માટે બનાવેલી દેશની પ્રથમ  નેઝલ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19 વાયરસ માટે દેશની આ સૌપ્રથમ નેઝલ વેક્સિન છે. આ રસી નાક દ્વારા આપવામાં આવશે.

                                                                   

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈને મોટો બૂસ્ટ મળ્યો છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19 રિકોમ્બિનેટ નેઝલ વેક્સનીને કટોકટીની સ્થિતિમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વપરાશ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.


ડો. મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે આ પગલું રોગચાળા સામેની અમારી સામૂહિક લડાઈને વધુ મજબૂત કરશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોવિડ-19 સામેની લડાઈમાં તેના વિજ્ઞાન, સંશોધન અને વિકાસ અને માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાન આધારિત અભિગમ અને દરેકના પ્રયાસથી અમે કોવિડ-19ને હરાવીશું.


 નેઝલ વેક્સિનના ફાયદા


ઈન્જેક્સનથી મળશે છુટકારો

નાકના અંદરના ભાગમાં ઈમ્યુન તૈયાર થવાથી શ્વાસ લેવાથી સંક્રમણ થવાનું જોખમ ઘટશે

ઈન્જેક્સનથી છુટકારો થવાના કારણે હેલ્થવર્કર્સને ટ્રેનિંગની જરૂર નથી

બાળકોનું રસીકરણ કરવું બનશે સરળ

ઉત્પાદન સરળ થવાથી દુનિયાભરમાં ડિમાન્ડ પ્રમાણે ઉત્પાદન અને સપ્લાય શક્ય બનશે



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.