દેશની સોપ્રથમ નેઝલ રસીને મળી DCGIની મંજૂરી, ઈન્જેક્સનથી મળશે છુટકારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 17:43:27

કોરોના રોગચાળા સામે ભારતને વધુ એક સફળતા મળી છે. દેશની સૌપ્રથમ નેઝલ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા કોરોના માટે બનાવેલી દેશની પ્રથમ  નેઝલ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19 વાયરસ માટે દેશની આ સૌપ્રથમ નેઝલ વેક્સિન છે. આ રસી નાક દ્વારા આપવામાં આવશે.

                                                                   

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈને મોટો બૂસ્ટ મળ્યો છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19 રિકોમ્બિનેટ નેઝલ વેક્સનીને કટોકટીની સ્થિતિમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વપરાશ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.


ડો. મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે આ પગલું રોગચાળા સામેની અમારી સામૂહિક લડાઈને વધુ મજબૂત કરશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોવિડ-19 સામેની લડાઈમાં તેના વિજ્ઞાન, સંશોધન અને વિકાસ અને માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાન આધારિત અભિગમ અને દરેકના પ્રયાસથી અમે કોવિડ-19ને હરાવીશું.


 નેઝલ વેક્સિનના ફાયદા


ઈન્જેક્સનથી મળશે છુટકારો

નાકના અંદરના ભાગમાં ઈમ્યુન તૈયાર થવાથી શ્વાસ લેવાથી સંક્રમણ થવાનું જોખમ ઘટશે

ઈન્જેક્સનથી છુટકારો થવાના કારણે હેલ્થવર્કર્સને ટ્રેનિંગની જરૂર નથી

બાળકોનું રસીકરણ કરવું બનશે સરળ

ઉત્પાદન સરળ થવાથી દુનિયાભરમાં ડિમાન્ડ પ્રમાણે ઉત્પાદન અને સપ્લાય શક્ય બનશે



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.