દેશની સોપ્રથમ નેઝલ રસીને મળી DCGIની મંજૂરી, ઈન્જેક્સનથી મળશે છુટકારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 17:43:27

કોરોના રોગચાળા સામે ભારતને વધુ એક સફળતા મળી છે. દેશની સૌપ્રથમ નેઝલ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા કોરોના માટે બનાવેલી દેશની પ્રથમ  નેઝલ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19 વાયરસ માટે દેશની આ સૌપ્રથમ નેઝલ વેક્સિન છે. આ રસી નાક દ્વારા આપવામાં આવશે.

                                                                   

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈને મોટો બૂસ્ટ મળ્યો છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19 રિકોમ્બિનેટ નેઝલ વેક્સનીને કટોકટીની સ્થિતિમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વપરાશ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.


ડો. મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે આ પગલું રોગચાળા સામેની અમારી સામૂહિક લડાઈને વધુ મજબૂત કરશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોવિડ-19 સામેની લડાઈમાં તેના વિજ્ઞાન, સંશોધન અને વિકાસ અને માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાન આધારિત અભિગમ અને દરેકના પ્રયાસથી અમે કોવિડ-19ને હરાવીશું.


 નેઝલ વેક્સિનના ફાયદા


ઈન્જેક્સનથી મળશે છુટકારો

નાકના અંદરના ભાગમાં ઈમ્યુન તૈયાર થવાથી શ્વાસ લેવાથી સંક્રમણ થવાનું જોખમ ઘટશે

ઈન્જેક્સનથી છુટકારો થવાના કારણે હેલ્થવર્કર્સને ટ્રેનિંગની જરૂર નથી

બાળકોનું રસીકરણ કરવું બનશે સરળ

ઉત્પાદન સરળ થવાથી દુનિયાભરમાં ડિમાન્ડ પ્રમાણે ઉત્પાદન અને સપ્લાય શક્ય બનશે



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .