MLAના રાજીનામાના પાછળ Bharat Boghara? Bhupat Bhayani અને Chirag Patelના રાજીનામા વખતે ભરત બોઘરા હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-12-20 09:48:06

એક બાદ એક કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામા આપી રહ્યા છે. લગ્નમાં જેમ વરરાજા સાથે એક અણવર હોય એવી જ રીતે રાજીનામા આપી રહેલા ધારાસભ્યોની સાથે એક કોમન ચહેરો દેખાઈ રહ્યો છે. એક અઠવાડિયાની અંદર જે ધારાસભ્યો રાજીનામું આપવા પહોંચ્યા તેમાં એક વ્યક્તિ કોમન હતા અને તે હતા ભરત બોઘરા.... લગ્નમાં જેમ અણવર હોય છે તેમ રાજીનામા આપવા માટે જતા ધારાસભ્યોના અણવર તરીકે ભરત બોઘરા જોવા મળી રહ્યા છે.  

ધારાસભ્યો રાજીનામું આપવા ગયા ત્યારે ભરત બોઘરા હાજર હતા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં ભાજપે ઓપરેશન લોટસની શરૂઆત કરી દીધી છે. ભાજપની જે 182 જીતવાની ઈચ્છા હતી એ ધીરે ધીરે પૂરી કરતાં દેખાય રહ્યા છે. ગુજરાતમાં એક જ અઠવાડિયામાં એક આપના અને એક કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે. આ બંને નેતાઓનો ખેલ પાડવા પાછળ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે જ્યારે બંને નેતા રાજીનામું આપવા ગયા ત્યારે ત્યાં સાથે ભરત બોઘરા હાજર હતા. ભરત બોઘરાએ સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારનો મોટો ચહેરો ગણાય છે. સાથે જ આ નેતા અધ્યક્ષ સી.આર.પાટિલના ખાસ ગણાય છે. 


ભરત બોઘરા પીએમની ગુડબુકમાં!

ભૂપત ભાયાણીના રાજીનામા સમયે પણ ભરત બોઘરા હાજર હતા. અને ચિરાગ પટેલના રાજીનામાં સમયે પણ એ હાજર હતા. કહેવાય છે કે ગાંધીનગર સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્રમાં કોઈપણ પાર્ટીનો દબદબો હોવો જરૂરી છે, એટલે જ તમામ પાર્ટીઓ સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહી છે. એમાં પણ રાજકોટએ સૌરાષ્ટ્ર અને રાજકારણનું એપી સેન્ટર ગણાય છે. કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા આ બે નામ એક સમયે જસદણ વિધાનસભામાં ખૂબ જ મહત્વના છે અને શક્તિશાળી મનાતા હતા. વિધાનસભા ચૂંટણી પહેલાં ડો. ભરત બોઘરાએ જસદણ આટકોટ વિસ્તારમાં વિશાળ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું. જેના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણ પણ આવ્યા હતા. બોઘરા મોદીની ગુડબુકમાં છે અને સીઆર પાટિલની પણ નજીક છે. ઓપરેશન લોટસમાં તેમના નામની ચર્ચાને પગલે એ સાબિત થઈ ગયું છે કે સૌરાષ્ટ્રમાં પાવર સેન્ટર બદલાઈ ગયું છે.

ધારાસભ્યપદેથી રાજીનામું આપવા સાથે ભૂપત ભાયાણીના AAP પર પ્રહારો

આ સીટ પર મોહન કુંડારિયાને કરાઈ શકે છે રિપીટ 

એવું માનવામાં આવે છે કે બીજી વિકેટો પડી શકે અને એમાં પણ વરરાજા બદલાશે પણ અણવર સેમ જ રહેશે. જે તે સમયે ભરત બોઘરા વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બનવાના દાવેદાર હતા પણ પાટીલે જસદણની બેઠક પર સીટ માગવાની તો ચોખ્ખી ના પાડી હતી. પછી લોકસભામાં રાજકોટની બેઠક પર કરેલા પ્રયાસો પણ ફળ્યા ન હતા. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થિના ખોડલધામના ટ્રસ્ટી એવા રમેશ ટીલાળાને ભાજપે ટિકિટ આપી હતી. હવે બોઘરાને રાજકોટની બેઠકના દાવેદાર ગણાય છે. હાલમાં રાજકોટની સીટ એ ભાજપના હાથમાં છે. અહીંથી કડવા પાટીદાર એવા મોહન કુંડારીયા સાંસદ છે. જેઓ એકવાર કેન્દ્રીય મંત્રી પણ બની ચૂક્યા છે. ભાજપ આ સીટ પર મોહન કુંડારિયાને રિપિટ કરે તેવી સંભાવનાઓ ઘણી ઓછી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે