MLAના રાજીનામાના પાછળ Bharat Boghara? Bhupat Bhayani અને Chirag Patelના રાજીનામા વખતે ભરત બોઘરા હતા હાજર


  • Published By :
  • Published Date : 2023-12-20 09:48:06

એક બાદ એક કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામા આપી રહ્યા છે. લગ્નમાં જેમ વરરાજા સાથે એક અણવર હોય એવી જ રીતે રાજીનામા આપી રહેલા ધારાસભ્યોની સાથે એક કોમન ચહેરો દેખાઈ રહ્યો છે. એક અઠવાડિયાની અંદર જે ધારાસભ્યો રાજીનામું આપવા પહોંચ્યા તેમાં એક વ્યક્તિ કોમન હતા અને તે હતા ભરત બોઘરા.... લગ્નમાં જેમ અણવર હોય છે તેમ રાજીનામા આપવા માટે જતા ધારાસભ્યોના અણવર તરીકે ભરત બોઘરા જોવા મળી રહ્યા છે.  

ધારાસભ્યો રાજીનામું આપવા ગયા ત્યારે ભરત બોઘરા હાજર હતા

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં ભાજપે ઓપરેશન લોટસની શરૂઆત કરી દીધી છે. ભાજપની જે 182 જીતવાની ઈચ્છા હતી એ ધીરે ધીરે પૂરી કરતાં દેખાય રહ્યા છે. ગુજરાતમાં એક જ અઠવાડિયામાં એક આપના અને એક કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે. આ બંને નેતાઓનો ખેલ પાડવા પાછળ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે જ્યારે બંને નેતા રાજીનામું આપવા ગયા ત્યારે ત્યાં સાથે ભરત બોઘરા હાજર હતા. ભરત બોઘરાએ સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારનો મોટો ચહેરો ગણાય છે. સાથે જ આ નેતા અધ્યક્ષ સી.આર.પાટિલના ખાસ ગણાય છે. 


ભરત બોઘરા પીએમની ગુડબુકમાં!

ભૂપત ભાયાણીના રાજીનામા સમયે પણ ભરત બોઘરા હાજર હતા. અને ચિરાગ પટેલના રાજીનામાં સમયે પણ એ હાજર હતા. કહેવાય છે કે ગાંધીનગર સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્રમાં કોઈપણ પાર્ટીનો દબદબો હોવો જરૂરી છે, એટલે જ તમામ પાર્ટીઓ સૌરાષ્ટ્ર પર ફોકસ કરી રહી છે. એમાં પણ રાજકોટએ સૌરાષ્ટ્ર અને રાજકારણનું એપી સેન્ટર ગણાય છે. કુંવરજી બાવળીયા અને ભરત બોઘરા આ બે નામ એક સમયે જસદણ વિધાનસભામાં ખૂબ જ મહત્વના છે અને શક્તિશાળી મનાતા હતા. વિધાનસભા ચૂંટણી પહેલાં ડો. ભરત બોઘરાએ જસદણ આટકોટ વિસ્તારમાં વિશાળ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું. જેના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જસદણ પણ આવ્યા હતા. બોઘરા મોદીની ગુડબુકમાં છે અને સીઆર પાટિલની પણ નજીક છે. ઓપરેશન લોટસમાં તેમના નામની ચર્ચાને પગલે એ સાબિત થઈ ગયું છે કે સૌરાષ્ટ્રમાં પાવર સેન્ટર બદલાઈ ગયું છે.

ધારાસભ્યપદેથી રાજીનામું આપવા સાથે ભૂપત ભાયાણીના AAP પર પ્રહારો

આ સીટ પર મોહન કુંડારિયાને કરાઈ શકે છે રિપીટ 

એવું માનવામાં આવે છે કે બીજી વિકેટો પડી શકે અને એમાં પણ વરરાજા બદલાશે પણ અણવર સેમ જ રહેશે. જે તે સમયે ભરત બોઘરા વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય બનવાના દાવેદાર હતા પણ પાટીલે જસદણની બેઠક પર સીટ માગવાની તો ચોખ્ખી ના પાડી હતી. પછી લોકસભામાં રાજકોટની બેઠક પર કરેલા પ્રયાસો પણ ફળ્યા ન હતા. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થિના ખોડલધામના ટ્રસ્ટી એવા રમેશ ટીલાળાને ભાજપે ટિકિટ આપી હતી. હવે બોઘરાને રાજકોટની બેઠકના દાવેદાર ગણાય છે. હાલમાં રાજકોટની સીટ એ ભાજપના હાથમાં છે. અહીંથી કડવા પાટીદાર એવા મોહન કુંડારીયા સાંસદ છે. જેઓ એકવાર કેન્દ્રીય મંત્રી પણ બની ચૂક્યા છે. ભાજપ આ સીટ પર મોહન કુંડારિયાને રિપિટ કરે તેવી સંભાવનાઓ ઘણી ઓછી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.