Bharat Jodo Nyay Yatra : Manipurમાં Rahul Gandhiએ PM Modi પર કર્યા શાબ્દિક પ્રહાર, કહ્યું કે પીએમ મોદી આજ સુધી મણિપુર....


  • Published By :
  • Published Date : 2024-01-16 09:34:38

થોડા સમય પહેલા કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી હતી. દેશના અલગ અલગ રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ હતી અને રાહુલ ગાંધીની આ યાત્રાને સારો રિસ્પોન્સ મળ્યો હતો. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. રાહુલ ગાંધી આ યાત્રાની આગેવાની કરી રહ્યા છે. આ યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થવાની છે. આ યાત્રાની શરૂઆત મણિપુરથી કરવામાં આવી છે. મણિપુરમાં એક જાહેર સભા રાહુલ ગાંધીએ સંબોધી હતી. રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. 

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા શાબ્દિક પ્રહાર 

મણિપુરમાં હિંસા દિવસેને દિવસે વધી રહી છે. માહોલ શાંત થવાની જગ્યાએ ઉગ્ર બની રહ્યો છે. હિંસાના સમાચાર મણિપુરથી અવાર નવાર સામે આવતા રહે છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. 14 જાન્યુઆરીથી આ યાત્રાનો પ્રારંભ થયો છે. 14 જેટલા રાજ્યોમાંથી આ યાત્રા પસાર થવાની છે ત્યારે આ યાત્રા મણિપુર પહોંચી હતી. મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ તેમજ મણિપુરમાં પીએમ મોદી નથી ગયા તેને લઈ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર તેમજ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. 

પીએમ મોદીને મણિપુર જવાનો સમય નથી - રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ મણિપુરના થૌબલમાં એક સભા યોજી હતી જેમાં તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આજ સુધી ભારતના પ્રધાનમંત્રીને મણિપુર જવાનો સમય નથી મળ્યો. ભાજપ-આરએસએસ માટે કદાચ મણિપુર ભારતનો ભાગ નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે 29 જૂન બાદ મણિપુરમાં શાસન વ્યવસ્થાનું સમગ્ર માળખું ધ્વસ્ત થઇ ગયું છે. સમગ્ર રાજ્યમાં નફરત ફેલાઈ ગઇ છે. આજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુર જવાનો સમય મળ્યો નથી. કદાચ તેઓ મણિપુરને ભારતનો ભાગ જ માનતા નહિ હોય. ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવા માટે લોકોએ અલગ અલગ વિચારો આપ્યા. કોઈએ કહ્યું પૂર્વથી શરૂ કરો, કોઇએ કહ્યું પશ્ચિમથી શરૂ કરો. પરંતુ મેં કહ્યું હતું કે યાત્રા તો મણિપુરથી જ શરૂ થશે.    



છેલ્લા અનેક મહિનાઓથી મણિપુરમાં ભડકી છે હિંસા 

મહત્વનું છે મણિપુરને લઈ કોંગ્રેસે અનેક વખત સવાલ ઉઠાવ્યો છે કે પીએમ મોદી શા માટે હજી સુધી મણિપુરની મુલાકાતે નથી ગયા? મણિપુર માટે નિવેદન પણ પીએમ મોદીએ નથી આપ્યું. મણિપુર મુદ્દે પીએમ મોદી શા માટે શાંત છે તેવા અનેક પ્રશ્ન કોંગ્રેસ દ્વારા અનેક વખત કરવામાં આવ્યા છે. ત્યારે જોવું રહ્યું કે મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થાય છે..  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.