Bharat Jodo Nyay Yatra : Arunachal Pradeshમાં BJP પર Rahul Gandhiએ કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-20 18:47:44

14 જાન્યુઆરીથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે આ યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી. મણિપુરમાં જ્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી તે વખતે તેમણે પીએમ મોદી અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી આવતા તેવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જ્યારે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું ત્યારે પીએમ મોદી પર તેમણે પ્રહાર કર્યા હતા. મીડિયા પર પણ તેમણે પ્રહાર કર્યા હતા.

મીડિયા પર રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર!

રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. દેશના અનેક રાજ્યોમાંથી આ યાત્રા નીકળવાની છે. પીએમ મોદી તેમજ ભાજપ પર તેમણે પ્રહાર કર્યા છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જનસંબોધન કરતી વખતે તેમણે પીએમ મોદીની સાથે સાથે મીડિયા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સામાન્ય રીતે મીડિયા વિરોધનો અવાજ ઉઠાવે છે, પરંતુ આજે ભાજપ-આરએસએસે મીડિયાને કબજે કરી લીધું છે. તેઓ તમામ મીડિયા સંસ્થાઓ પર દબાણ લાવે છે અને તેમને જાહેર મુદ્દા ઉઠાવતા અટકાવે છે. જનતાના પ્રશ્નો ઉઠાવવાનો આ એકમાત્ર રસ્તો છે, તેથી જ અમે આ યાત્રા શરૂ કરી છે.     


અરૂણાચલ પ્રદેશમાં મોંઘવારી ચરમ સીમા પર પહોંચી - રાહુલ ગાંધી

વધુમાં તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી ચરમસીમાએ છે. તમે ટેક્સ ભરો છો, પરંતુ તમને તેનો લાભ મળતો નથી. રસ્તામાં ખાડા છે, રોડ નથી. અમારો ઉદ્દેશ્ય તમારા દિલનો અવાજ અને મુશ્કેલીઓ સાંભળવાનો છે અને પછી તેને સંસદમાં ઉઠાવીને દેશને જણાવવાનો છે. મહત્વનું છે કે આની પહેલા પણ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી. તે યાત્રાને સારૂં જનસમર્થન મળ્યું હતું. લોકસભા પહેલા રાહુલ ગાંધીએ યાત્રા કાઢી છે ત્યારે જોવું રહ્યું કે આ યાત્રા ચૂંટણી પરિણામ પર અસર કરે છે કે નહીં? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.