Bharat Jodo Nyay Yatra : Arunachal Pradeshમાં BJP પર Rahul Gandhiએ કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-20 18:47:44

14 જાન્યુઆરીથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે આ યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી. મણિપુરમાં જ્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી તે વખતે તેમણે પીએમ મોદી અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી આવતા તેવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જ્યારે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું ત્યારે પીએમ મોદી પર તેમણે પ્રહાર કર્યા હતા. મીડિયા પર પણ તેમણે પ્રહાર કર્યા હતા.

મીડિયા પર રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર!

રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. દેશના અનેક રાજ્યોમાંથી આ યાત્રા નીકળવાની છે. પીએમ મોદી તેમજ ભાજપ પર તેમણે પ્રહાર કર્યા છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જનસંબોધન કરતી વખતે તેમણે પીએમ મોદીની સાથે સાથે મીડિયા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સામાન્ય રીતે મીડિયા વિરોધનો અવાજ ઉઠાવે છે, પરંતુ આજે ભાજપ-આરએસએસે મીડિયાને કબજે કરી લીધું છે. તેઓ તમામ મીડિયા સંસ્થાઓ પર દબાણ લાવે છે અને તેમને જાહેર મુદ્દા ઉઠાવતા અટકાવે છે. જનતાના પ્રશ્નો ઉઠાવવાનો આ એકમાત્ર રસ્તો છે, તેથી જ અમે આ યાત્રા શરૂ કરી છે.     


અરૂણાચલ પ્રદેશમાં મોંઘવારી ચરમ સીમા પર પહોંચી - રાહુલ ગાંધી

વધુમાં તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી ચરમસીમાએ છે. તમે ટેક્સ ભરો છો, પરંતુ તમને તેનો લાભ મળતો નથી. રસ્તામાં ખાડા છે, રોડ નથી. અમારો ઉદ્દેશ્ય તમારા દિલનો અવાજ અને મુશ્કેલીઓ સાંભળવાનો છે અને પછી તેને સંસદમાં ઉઠાવીને દેશને જણાવવાનો છે. મહત્વનું છે કે આની પહેલા પણ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી. તે યાત્રાને સારૂં જનસમર્થન મળ્યું હતું. લોકસભા પહેલા રાહુલ ગાંધીએ યાત્રા કાઢી છે ત્યારે જોવું રહ્યું કે આ યાત્રા ચૂંટણી પરિણામ પર અસર કરે છે કે નહીં? 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે