Bharat Jodo Nyay Yatra : Arunachal Pradeshમાં BJP પર Rahul Gandhiએ કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-20 18:47:44

14 જાન્યુઆરીથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે આ યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી. મણિપુરમાં જ્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી તે વખતે તેમણે પીએમ મોદી અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી આવતા તેવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જ્યારે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું ત્યારે પીએમ મોદી પર તેમણે પ્રહાર કર્યા હતા. મીડિયા પર પણ તેમણે પ્રહાર કર્યા હતા.

મીડિયા પર રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર!

રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. દેશના અનેક રાજ્યોમાંથી આ યાત્રા નીકળવાની છે. પીએમ મોદી તેમજ ભાજપ પર તેમણે પ્રહાર કર્યા છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જનસંબોધન કરતી વખતે તેમણે પીએમ મોદીની સાથે સાથે મીડિયા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સામાન્ય રીતે મીડિયા વિરોધનો અવાજ ઉઠાવે છે, પરંતુ આજે ભાજપ-આરએસએસે મીડિયાને કબજે કરી લીધું છે. તેઓ તમામ મીડિયા સંસ્થાઓ પર દબાણ લાવે છે અને તેમને જાહેર મુદ્દા ઉઠાવતા અટકાવે છે. જનતાના પ્રશ્નો ઉઠાવવાનો આ એકમાત્ર રસ્તો છે, તેથી જ અમે આ યાત્રા શરૂ કરી છે.     


અરૂણાચલ પ્રદેશમાં મોંઘવારી ચરમ સીમા પર પહોંચી - રાહુલ ગાંધી

વધુમાં તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી ચરમસીમાએ છે. તમે ટેક્સ ભરો છો, પરંતુ તમને તેનો લાભ મળતો નથી. રસ્તામાં ખાડા છે, રોડ નથી. અમારો ઉદ્દેશ્ય તમારા દિલનો અવાજ અને મુશ્કેલીઓ સાંભળવાનો છે અને પછી તેને સંસદમાં ઉઠાવીને દેશને જણાવવાનો છે. મહત્વનું છે કે આની પહેલા પણ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી. તે યાત્રાને સારૂં જનસમર્થન મળ્યું હતું. લોકસભા પહેલા રાહુલ ગાંધીએ યાત્રા કાઢી છે ત્યારે જોવું રહ્યું કે આ યાત્રા ચૂંટણી પરિણામ પર અસર કરે છે કે નહીં? 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.