Bharat Jodo Nyay Yatra : Rahul Gandhiને મંદિર જવાથી રોકવામાં આવ્યા, નિવેદન આપતા કહ્યું કે મેં શું અપરાધ કર્યો છે?


  • Published By :
  • Published Date : 2024-01-22 11:08:12

અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. અનેક મોટી મોટી હસ્તીઓ આ મહોત્સવમાં સામેલ થવા અયોધ્યા પહોંચી રહ્યા છે. આ મહોત્સવનો બહિષ્કાર વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. મહોત્સવમાં ન આવવાનું કારણ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે આ રામ મંદિરનું ઉદ્ધાટન નથી, આ આર.એસ.એસ તેમજ ભાજપનો કાર્યક્રમ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તેમને આજે મંદિર જવા માટે રોકવામાં આવી રહ્યા છે.

 

રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ!

ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થોડા દિવસ પહેલા થઈ હતી. આ યાત્રા આસામ પહોંચી છે. યાત્રા વખતે પીએમ મોદી પર તેમજ ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. અનેક નિવેદનો આપ્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ મંદિરને લઈ નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પહેલા તેમને મંદિરમાં જવાની અનુમતી મળી હતી પરંતુ હવે તેમને ત્યાં જવા માટે ના પાડવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ જે મંદિર વિશે વાત કરી તે શંકરદેવ મંદિર છે. આસામ પહોંચેલી યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બતાદ્રાવા થાનના તીર્થસ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. પરંતુ તેમને ત્યાં જવાથી રોકવામાં આવ્યા હતા.

આ મામલે મંદિર પ્રશાસન દ્વારા શું કહેવાયું?    

મંદિર પ્રશાસન દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે કે કોંગ્રેસના સાંસદને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમાપ્ત થયા બાદ અહીંના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અંગેની માહિતી રવિવારે જ આપી દેવામાં આવી હતી. સમિતીના મુખ્ય જોગેન્દ્ર દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે ઘણી સંસ્થાઓએ મંદિર પરિસરમાં ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવશે, તેથી રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પછી મંદિરમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે