Bharat Jodo Nyay Yatra : Rahul Gandhiને મંદિર જવાથી રોકવામાં આવ્યા, નિવેદન આપતા કહ્યું કે મેં શું અપરાધ કર્યો છે?


  • Published By :
  • Published Date : 2024-01-22 11:08:12

અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. અનેક મોટી મોટી હસ્તીઓ આ મહોત્સવમાં સામેલ થવા અયોધ્યા પહોંચી રહ્યા છે. આ મહોત્સવનો બહિષ્કાર વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. મહોત્સવમાં ન આવવાનું કારણ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે આ રામ મંદિરનું ઉદ્ધાટન નથી, આ આર.એસ.એસ તેમજ ભાજપનો કાર્યક્રમ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તેમને આજે મંદિર જવા માટે રોકવામાં આવી રહ્યા છે.

 

રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ!

ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થોડા દિવસ પહેલા થઈ હતી. આ યાત્રા આસામ પહોંચી છે. યાત્રા વખતે પીએમ મોદી પર તેમજ ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. અનેક નિવેદનો આપ્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ મંદિરને લઈ નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પહેલા તેમને મંદિરમાં જવાની અનુમતી મળી હતી પરંતુ હવે તેમને ત્યાં જવા માટે ના પાડવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ જે મંદિર વિશે વાત કરી તે શંકરદેવ મંદિર છે. આસામ પહોંચેલી યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બતાદ્રાવા થાનના તીર્થસ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. પરંતુ તેમને ત્યાં જવાથી રોકવામાં આવ્યા હતા.

આ મામલે મંદિર પ્રશાસન દ્વારા શું કહેવાયું?    

મંદિર પ્રશાસન દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે કે કોંગ્રેસના સાંસદને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમાપ્ત થયા બાદ અહીંના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અંગેની માહિતી રવિવારે જ આપી દેવામાં આવી હતી. સમિતીના મુખ્ય જોગેન્દ્ર દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે ઘણી સંસ્થાઓએ મંદિર પરિસરમાં ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવશે, તેથી રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પછી મંદિરમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.