Bharat Jodo Nyay Yatra : Rahul Gandhiને મંદિર જવાથી રોકવામાં આવ્યા, નિવેદન આપતા કહ્યું કે મેં શું અપરાધ કર્યો છે?


  • Published By :
  • Published Date : 2024-01-22 11:08:12

અયોધ્યામાં ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. અનેક મોટી મોટી હસ્તીઓ આ મહોત્સવમાં સામેલ થવા અયોધ્યા પહોંચી રહ્યા છે. આ મહોત્સવનો બહિષ્કાર વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. મહોત્સવમાં ન આવવાનું કારણ દર્શાવતા તેમણે જણાવ્યું હતું કે આ રામ મંદિરનું ઉદ્ધાટન નથી, આ આર.એસ.એસ તેમજ ભાજપનો કાર્યક્રમ છે. આ બધા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે તેમને આજે મંદિર જવા માટે રોકવામાં આવી રહ્યા છે.

 

રાહુલ ગાંધીએ લગાવ્યો આરોપ!

ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થોડા દિવસ પહેલા થઈ હતી. આ યાત્રા આસામ પહોંચી છે. યાત્રા વખતે પીએમ મોદી પર તેમજ ભાજપ પર રાહુલ ગાંધીએ અનેક વખત પ્રહાર કર્યા છે. અનેક નિવેદનો આપ્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધીએ મંદિરને લઈ નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પહેલા તેમને મંદિરમાં જવાની અનુમતી મળી હતી પરંતુ હવે તેમને ત્યાં જવા માટે ના પાડવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ જે મંદિર વિશે વાત કરી તે શંકરદેવ મંદિર છે. આસામ પહોંચેલી યાત્રા દરમિયાન રાહુલ ગાંધી બતાદ્રાવા થાનના તીર્થસ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી હતી. પરંતુ તેમને ત્યાં જવાથી રોકવામાં આવ્યા હતા.

આ મામલે મંદિર પ્રશાસન દ્વારા શું કહેવાયું?    

મંદિર પ્રશાસન દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે કે કોંગ્રેસના સાંસદને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમાપ્ત થયા બાદ અહીંના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. એવી પણ માહિતી સામે આવી છે કે આ અંગેની માહિતી રવિવારે જ આપી દેવામાં આવી હતી. સમિતીના મુખ્ય જોગેન્દ્ર દવે દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે ઘણી સંસ્થાઓએ મંદિર પરિસરમાં ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો મંદિરમાં આવશે, તેથી રાહુલ ગાંધીને બપોરે 3 વાગ્યા પછી મંદિરમાં આવવા માટે કહેવામાં આવ્યું છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.