Bharat Jodo Nyay Yatra : Rahul Gandhiની સુરક્ષાને લઈ Mallikarjun Khargeએ લખ્યો Amit Shahને પત્ર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-24 11:06:09

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થઈ છે. યાત્રા દરમિયાન અનેક વખત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી પર તેમજ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ગઈકાલે એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલા ઝપાઝપી બાદ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચિઠ્ઠી લખી છે. 

કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ

આગમી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. થોડા વખત પહેલા ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલી હતી ત્યારે આ વખતે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત મણિપુરથી કરવામાં આવી હતી. યાત્રાની શરૂઆત થઈ ત્યારે પણ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. 

અમિત શાહને મલ્લિકાર્જુન ખડગેએ લખ્યો પત્ર

યાત્રા દરમિયાન પણ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે ભારત જોડો ન્યાય યાત્રા આસામ પહોંચી હતી તે વખતે પોલીસ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહને પત્ર લખ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે