Bharat Jodo Nyay Yatra : Rahul Gandhiની સુરક્ષાને લઈ Mallikarjun Khargeએ લખ્યો Amit Shahને પત્ર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-24 11:06:09

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થઈ છે. યાત્રા દરમિયાન અનેક વખત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી પર તેમજ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ગઈકાલે એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલા ઝપાઝપી બાદ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચિઠ્ઠી લખી છે. 

કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ

આગમી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. થોડા વખત પહેલા ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલી હતી ત્યારે આ વખતે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત મણિપુરથી કરવામાં આવી હતી. યાત્રાની શરૂઆત થઈ ત્યારે પણ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. 

અમિત શાહને મલ્લિકાર્જુન ખડગેએ લખ્યો પત્ર

યાત્રા દરમિયાન પણ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે ભારત જોડો ન્યાય યાત્રા આસામ પહોંચી હતી તે વખતે પોલીસ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહને પત્ર લખ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.