હવે અમિત શાહે પણ રાહુલ ગાંધીની ટી-શર્ટની કિંમત યાદ કરાવી! ભારત જોડો યાત્રા પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 19:46:20

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કોંગ્રેસની આ યાત્રા રાજકીય પક્ષો માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. ત્યારે રાજસ્થાનના પ્રવાસે ગયેલા અમિત શાહે એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીની ટી-શર્ટ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે. 


અમિત શાહના નિશાના પર રાહુલની ભારત જોડો યાત્રા 

પોતાનું અસ્તિત્વ ગુમાવતી કોંગ્રેસને ફરી બેઠુ કરવા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રામાં ભારે જનમેદની જોવા મળી છે. ત્યારે રાજસ્થાનના પ્રવાસે ગયેલા અમિત શાહે રાજસ્થાનની સરકાર પર તેમજ ભારત જોડો યાત્રા પર આકરા પ્રહાર કર્યા છે. શાહે કહ્યું કે રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે. 


રાજસ્થાન સરકાર પર શાહની ટિપ્પણી    

રાજસ્થાનના પ્રવાસે ગયેલા શાહે રાજસ્થાન સરકારને પણ આડે હાથ લીધી હતી. રાજસ્થાન સરકાર પર પ્રહાર કરતા શાહે કહ્યું છે 10 દિવસની અંદર ખેડૂતોની લોન માફ કરવાનું શું થયું? 3500 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાનું શું થયું? 20 લાખ યુવાનોને રોજગાર આપવાનું શું થયું? કોંગ્રેસ માત્ર ઠાલા વચનો જ આપી શકે છે, વચનો પૂરા નહીં કરી શકે.    

વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર વિકાસના કામો કરી શકે. તે સડકોનું નિર્માણ ન કરી શકે, વીજળી કે રોજગારી ન આપી શકે. કોંગ્રેસ વોટબેંકને ખુશ કરીને જ રાજકારણ કરી શકે છે. આજે રાજસ્થાનમાં જે પ્રકારની સરકાર ચાલી રહી છે તેનાથી આપણે સૌથી દુ:ખી છીએ.   

 

રાહુલની ટી-શર્ટ બની છે ચર્ચાનો વિષય

લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી નાનીમાં નાની વાતને મોટો મુદ્દો બનાવી રાજનીતિ કરે છે. એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરે છે. ત્યારે રાહુલની આ યાત્રામાં પહેરાયેલી ટી-શર્ટ હાલ ચર્ચાનો મુદ્દો બની ગઈ છે.



આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .