હવે અમિત શાહે પણ રાહુલ ગાંધીની ટી-શર્ટની કિંમત યાદ કરાવી! ભારત જોડો યાત્રા પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 19:46:20

કન્યાકુમારીથી કાશ્મીર સુધી રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કોંગ્રેસની આ યાત્રા રાજકીય પક્ષો માટે ચર્ચાનો વિષય બની ગઈ છે. ત્યારે રાજસ્થાનના પ્રવાસે ગયેલા અમિત શાહે એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીની ટી-શર્ટ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે. 


અમિત શાહના નિશાના પર રાહુલની ભારત જોડો યાત્રા 

પોતાનું અસ્તિત્વ ગુમાવતી કોંગ્રેસને ફરી બેઠુ કરવા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલનારી આ યાત્રામાં ભારે જનમેદની જોવા મળી છે. ત્યારે રાજસ્થાનના પ્રવાસે ગયેલા અમિત શાહે રાજસ્થાનની સરકાર પર તેમજ ભારત જોડો યાત્રા પર આકરા પ્રહાર કર્યા છે. શાહે કહ્યું કે રાહુલ બાબા વિદેશી ટી-શર્ટ પહેરીને ભારતને જોડવા નીકળ્યા છે. 


રાજસ્થાન સરકાર પર શાહની ટિપ્પણી    

રાજસ્થાનના પ્રવાસે ગયેલા શાહે રાજસ્થાન સરકારને પણ આડે હાથ લીધી હતી. રાજસ્થાન સરકાર પર પ્રહાર કરતા શાહે કહ્યું છે 10 દિવસની અંદર ખેડૂતોની લોન માફ કરવાનું શું થયું? 3500 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાનું શું થયું? 20 લાખ યુવાનોને રોજગાર આપવાનું શું થયું? કોંગ્રેસ માત્ર ઠાલા વચનો જ આપી શકે છે, વચનો પૂરા નહીં કરી શકે.    

વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર વિકાસના કામો કરી શકે. તે સડકોનું નિર્માણ ન કરી શકે, વીજળી કે રોજગારી ન આપી શકે. કોંગ્રેસ વોટબેંકને ખુશ કરીને જ રાજકારણ કરી શકે છે. આજે રાજસ્થાનમાં જે પ્રકારની સરકાર ચાલી રહી છે તેનાથી આપણે સૌથી દુ:ખી છીએ.   

 

રાહુલની ટી-શર્ટ બની છે ચર્ચાનો વિષય

લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી નાનીમાં નાની વાતને મોટો મુદ્દો બનાવી રાજનીતિ કરે છે. એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરે છે. ત્યારે રાહુલની આ યાત્રામાં પહેરાયેલી ટી-શર્ટ હાલ ચર્ચાનો મુદ્દો બની ગઈ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.