રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાનો થશે પ્રારંભ, ગુજરાતથી મેઘાલય સુધી કરશે પદયાત્રા


  • Published By :
  • Published Date : 2023-08-08 18:59:07

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી ગુજરાતમાંથી પદયાત્રાની શરૂઆત કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલેએ આપેલી જાણકારી મુજબ કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય સુધી યોજાશે. આ યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.


આગામી મહિને થશે યાત્રાનો શુભારંભ


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો આગામી મહિનાથી જ શરૂ થશે તેવી જાણકારી મળી રહી છે. કોંગ્રેસના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ યાત્રાના પહેલા તબક્કામાં કોંગ્રેસના નેતાઓ ગરીબ અને જમીન સાથે જોડાયેલા લોકો સાથે સંપર્ક કરશે. આ યાત્રાનો હેતું ગરીબો, ખેડૂતો અને કામદારોની સમસ્યાઓની સમસ્યાઓ સમજવાનો છે. યાત્રાના પહેલા તબક્કા દરમિયાન રાહુલ ગાંધીએ 150થી વધુ દિવસ સુધી 14 રાજ્યોની પદયાત્રા કરી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.