સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી કરતી પોતાનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-04 13:33:39

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ભાજપ અનેક રીતે પોતાનો પ્રચાર કરી રહી છે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટથી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવાની શરૂઆત કરી દીધી છે. એક બાદ એક ફોટો ટ્વિટ કરાયા છે તેમજ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં સ્ત્રી સશક્તિકરણ, ખેડૂતોને સરકાર દ્વારા મળેલા લાભ, સરકાર દ્વારા પૂરા કરવામાં આવેલા કામો સહિતના મુદ્દાઓને લઈ ભાજપે ટ્વિટ કર્યું છે.

Image

Image


અનેક યાત્રાધામનો કરાયો છે વિકાસ - ભાજપ

ભાજપે આવા અનેક ફોટો શેર કર્યા છે જેમાં ભાજપ દ્વારા વિકસિત કરવામાં આવેલા ટુરિસ્ટ સ્પોટ, યાત્રા ધામનો કરવામાં આવેલો વિકાસ તેમજ શિક્ષણને લઈ ભાજપે ટ્વિટ કરી છે. ભાજપ સરકાર દ્વારા અનેક યાત્રા ધામનો વિકાસ કરવામાં આવ્યો છે. જેને પણ ભાજપે ગણાવ્યું છે. ભાજપે લખ્યું કે ભાજપના સુશાસનમાં દેશભરના અનેક યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે. 

Image

 

શું પ્રચાર ભાજપ માટે થશે ઉપયોગી?

ભાજપ દ્વારા કરવામાં આવેલો ડિજિટલ પ્રયાર ભાજપને મતદાનમાં ઉપયોગી થશે કે નહીં કે 8 ડિસેમ્બરના રોજ ખબર પડી જશે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે 8 ડિસેમ્બરના રોજ કમળ ખીલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.