સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી કરતી પોતાનો પ્રચાર


  • Published By :
  • Published Date : 2022-11-04 13:33:39

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ભાજપ અનેક રીતે પોતાનો પ્રચાર કરી રહી છે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટથી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવાની શરૂઆત કરી દીધી છે. એક બાદ એક ફોટો ટ્વિટ કરાયા છે તેમજ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં સ્ત્રી સશક્તિકરણ, ખેડૂતોને સરકાર દ્વારા મળેલા લાભ, સરકાર દ્વારા પૂરા કરવામાં આવેલા કામો સહિતના મુદ્દાઓને લઈ ભાજપે ટ્વિટ કર્યું છે.

Image

Image


અનેક યાત્રાધામનો કરાયો છે વિકાસ - ભાજપ

ભાજપે આવા અનેક ફોટો શેર કર્યા છે જેમાં ભાજપ દ્વારા વિકસિત કરવામાં આવેલા ટુરિસ્ટ સ્પોટ, યાત્રા ધામનો કરવામાં આવેલો વિકાસ તેમજ શિક્ષણને લઈ ભાજપે ટ્વિટ કરી છે. ભાજપ સરકાર દ્વારા અનેક યાત્રા ધામનો વિકાસ કરવામાં આવ્યો છે. જેને પણ ભાજપે ગણાવ્યું છે. ભાજપે લખ્યું કે ભાજપના સુશાસનમાં દેશભરના અનેક યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે. 

Image

 

શું પ્રચાર ભાજપ માટે થશે ઉપયોગી?

ભાજપ દ્વારા કરવામાં આવેલો ડિજિટલ પ્રયાર ભાજપને મતદાનમાં ઉપયોગી થશે કે નહીં કે 8 ડિસેમ્બરના રોજ ખબર પડી જશે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે 8 ડિસેમ્બરના રોજ કમળ ખીલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે