સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટી કરતી પોતાનો પ્રચાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-04 13:33:39

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ભાજપ અનેક રીતે પોતાનો પ્રચાર કરી રહી છે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે પોતાના ટ્વિટર અકાઉન્ટથી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવવાની શરૂઆત કરી દીધી છે. એક બાદ એક ફોટો ટ્વિટ કરાયા છે તેમજ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં સ્ત્રી સશક્તિકરણ, ખેડૂતોને સરકાર દ્વારા મળેલા લાભ, સરકાર દ્વારા પૂરા કરવામાં આવેલા કામો સહિતના મુદ્દાઓને લઈ ભાજપે ટ્વિટ કર્યું છે.

Image

Image


અનેક યાત્રાધામનો કરાયો છે વિકાસ - ભાજપ

ભાજપે આવા અનેક ફોટો શેર કર્યા છે જેમાં ભાજપ દ્વારા વિકસિત કરવામાં આવેલા ટુરિસ્ટ સ્પોટ, યાત્રા ધામનો કરવામાં આવેલો વિકાસ તેમજ શિક્ષણને લઈ ભાજપે ટ્વિટ કરી છે. ભાજપ સરકાર દ્વારા અનેક યાત્રા ધામનો વિકાસ કરવામાં આવ્યો છે. જેને પણ ભાજપે ગણાવ્યું છે. ભાજપે લખ્યું કે ભાજપના સુશાસનમાં દેશભરના અનેક યાત્રાધામોનો વિકાસ થઈ રહ્યો છે. 

Image

 

શું પ્રચાર ભાજપ માટે થશે ઉપયોગી?

ભાજપ દ્વારા કરવામાં આવેલો ડિજિટલ પ્રયાર ભાજપને મતદાનમાં ઉપયોગી થશે કે નહીં કે 8 ડિસેમ્બરના રોજ ખબર પડી જશે. ચૂંટણી જાહેર થતા જ ભાજપે 8 ડિસેમ્બરના રોજ કમળ ખીલશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.  



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..