BharatPeના અશનીર ગ્રોવર અને પત્નીને અમેરિકા જતા દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા, આ છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-11-17 16:16:25

ફિનટેક ફર્મ ભારત-પેના કો-ફાઉન્ડર (BharatPe Co-Founder) અશનીર ગ્રોવર  (Ashneer Grover)ને લઈનો મોટા સમાચાર આવ્યા છે. અશનીર ગ્રોવરને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. તેઓ તેમની પત્ની માધુરી જૈન સાથે અમેરિકાના ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. જો કે એરપોર્ટ ઓથોરિટીએ તેમને દેશની બહાર જતા રોકી દેતા મામલો ગરમાયો છે. 


શા માટે રોકવામાં આવ્યા?


અશનીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન સામે દિલ્હી પોલીસ દ્વારા એક લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. જે કારણે તેમને દેશ છોડતા રોકવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ કપલ ન્યૂયોર્ક માટે રવાના થવાનું જ હતું, પરંતું IGI Airport પરથી જ તેમને પાછો મોકલી દેવામાં આવ્યા હતા. 


પતિ-પત્ની સામે દાખલ થઈ છે FIR


અશનીર ગ્રોવર અને તેમની પત્ની સામે જૂન 2023ના રોજ એક એફઆઈઆર દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ભારત પે ચલાવતી કંપની રેજિલિયેન્ટ ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડ (RIPL)ને 81 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા અને પૈસાનો કથિત દુરપયોગ કરવાના મામલે ફરિયાદ થઈ હતી. દિલ્હી પોલીસની તપાસમાં પણ ભારત પે ના સંચાલન દરમિયાન નાણાકિય છેતરપિંડીનો ખુલાસો થયો હતો. માત્ર અશનીર અને તેની પત્ની જ નહીં પણ તેમના પરિવારજનો સામે પણ ફરિયાદ થઈ છે. જેમાં દીપક ગુપ્તા, સુરેશ જૈન અને સ્વેતાંક જૈનનો સમાવેશ થાય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.