BharatPeના અશનીર ગ્રોવર અને પત્નીને અમેરિકા જતા દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા, આ છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-11-17 16:16:25

ફિનટેક ફર્મ ભારત-પેના કો-ફાઉન્ડર (BharatPe Co-Founder) અશનીર ગ્રોવર  (Ashneer Grover)ને લઈનો મોટા સમાચાર આવ્યા છે. અશનીર ગ્રોવરને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. તેઓ તેમની પત્ની માધુરી જૈન સાથે અમેરિકાના ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. જો કે એરપોર્ટ ઓથોરિટીએ તેમને દેશની બહાર જતા રોકી દેતા મામલો ગરમાયો છે. 


શા માટે રોકવામાં આવ્યા?


અશનીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન સામે દિલ્હી પોલીસ દ્વારા એક લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. જે કારણે તેમને દેશ છોડતા રોકવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ કપલ ન્યૂયોર્ક માટે રવાના થવાનું જ હતું, પરંતું IGI Airport પરથી જ તેમને પાછો મોકલી દેવામાં આવ્યા હતા. 


પતિ-પત્ની સામે દાખલ થઈ છે FIR


અશનીર ગ્રોવર અને તેમની પત્ની સામે જૂન 2023ના રોજ એક એફઆઈઆર દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ભારત પે ચલાવતી કંપની રેજિલિયેન્ટ ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડ (RIPL)ને 81 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા અને પૈસાનો કથિત દુરપયોગ કરવાના મામલે ફરિયાદ થઈ હતી. દિલ્હી પોલીસની તપાસમાં પણ ભારત પે ના સંચાલન દરમિયાન નાણાકિય છેતરપિંડીનો ખુલાસો થયો હતો. માત્ર અશનીર અને તેની પત્ની જ નહીં પણ તેમના પરિવારજનો સામે પણ ફરિયાદ થઈ છે. જેમાં દીપક ગુપ્તા, સુરેશ જૈન અને સ્વેતાંક જૈનનો સમાવેશ થાય છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.