Bharuch - સાંસદ Mansukh Vasavaની એક પોસ્ટે ચર્ચા ચગાવી કે શું અધિકારીઓ સાંસદને ગાંઠતા નથી? મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-06-28 15:30:41

અનેક વખત આપણી સામે અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાંસદ, ધારાસભ્ય ફરિયાદ કરતા હોય કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી.. ત્યારે ભરૂચના સાંસદ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે એમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને એ પોસ્ટ એવા સંકેત આપે છે કે અધિકારીઓ મનસુખ વસાવાને ગાંઠતા નથી...  

જો સાંસદની વાત અધિકારીઓ નથી માનતા તો... 

ધારાસભ્ય, સાંસદને આપણે લોકપ્રતિનિધી માનીએ છીએ.. સામાન્ય માણસને પડતી મુશ્કેલીનું સમાધાન તે  લાવી શકે.. જો કોઈને સમસ્યા હોય તો તે સ્થાનિક નેતાનો સંપર્ક કરી સમસ્યા અંગે રજૂઆત કરી શકે.. આપણે એવું માનીએ છીએ કે સાંસદોનું, ધારાસભ્યોનું અધિકારીઓ માનતા હશે પરંતુ ભરૂચથી જે સમાચાર સામે આવ્યા તે વિચાર કરવા આપણને મજબૂર કરે છે કે સાચે અધિકારીઓ સાંસદોનું માનતા નહીં હોય?


મનસુખ વસાવાએ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ 

ભરૂચના સાંસદનો અવાજ સોશિયલ મીડિયા થકી ઊઠતો થયો, જે બતાવે છે કે અધિકારી રાજ વધ્યું છે અને અધિકારીઓ સાંસદોને પણ નથી ગાંઠતા. લોકો સાંસદને રજૂઆત કરે કે કંઈક કામ વહેલું થાય અને સમસ્યાઓનું નિરાકરણ વહેલું આવે, પરંતુ સાંસદને લોકોનાં કામ કરાવવામાં પણ રાજકારણ વચ્ચે લાવવું પડતું હોય એવી સ્થિતિ મનસુખ વસાવાની પોસ્ટ પરથી દેખાય છે. 


ફેસબુક પોસ્ટમાં શું લખ્યું મનસુખ વસાવાએ?

તેમણે ફેસબુક પર ધોવાયેલા રસ્તાના ફોટો મૂક્યા અને લખ્યું કે ડેડીયાપાડા તાલુકાના મોરજળી ગામ ખાતે બગલાખાડીનાં રસ્તાનું ધોવાણ થતાં પ્રજાને અવરજવરમાં પડતી મુશ્કેલી,દિવસ દરમિયાન હજારો લોકોની અવિરત અવર-જવર રહેતી હોય છે જેઓને આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડે છે. રસ્તાના ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઈન ટુટી ગયેલ હોવાથી ત્યાંથી નિકળવામાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો પડે છે. સંબંધિત વાસમોનાં અધિકારીઓ તથા જીલ્લા પંચાયતના અધિકારીઓ જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિકાલ કરી પ્રજાને થતી હાલાકી દૂર કરે.



અધિકારીઓ સાંસદને નથી ગાંઠતા?

લાગે છે, સરકારી વહીવટી તંત્રનું ધ્યાન દોરવા મનસુખ વસાવા પાસે સોશિયલ મીડિયામાં જ પોસ્ટ મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી.. એક સાંસદ તરીકે જ્યાં એક ફોન કોલ પર પ્રજાની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ ત્યાં તો ભરૂચના સાંસદ જાણે કે તેમની વાત અધિકારીઓ માનતા જ ન હોય તેવી પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા થકી અધિકારીઓને આદેશ આપવા મજબૂર બન્યા છે ક્યારેક ધારાસભ્યો પત્ર લખે છે સમસ્યાના નિરાકરણ માટે તો ક્યારેક નેતાઓ અધિકારીઓની complain કરતાં હોય છે.


સાંસદે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી પડે કે... 

આવી સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે પ્રજા કોની પાસે જાય? આટલાં વર્ષોથી મનસુખ ભાઈ ત્યાંના સાંસદ છે અને છત્તા તેમણે પોસ્ટ કરીને લખવું પડે કે અધિકારીઓ આ કામ કરજો લોકોને હાલાકી પડે છે એ તો ભયાનક વાત કહેવાય.. ચાલો અંતે સાંસદે પ્રજાનું વિચાર્યું તો ખરી હવે કે ત્યાંના સ્થાનિક લોકોને મુશ્કેલી પડે છે. ત્યારે જોવાનું રહ્યું છે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી પોસ્ટ સમસ્યાનું નિરાકરણ લાવવામાં કેટલી અસર કરે છે?  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.