Bharuch - સાંસદ Mansukh Vasavaની એક પોસ્ટે ચર્ચા ચગાવી કે શું અધિકારીઓ સાંસદને ગાંઠતા નથી? મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-28 15:30:41

અનેક વખત આપણી સામે અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાંસદ, ધારાસભ્ય ફરિયાદ કરતા હોય કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી.. ત્યારે ભરૂચના સાંસદ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે એમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને એ પોસ્ટ એવા સંકેત આપે છે કે અધિકારીઓ મનસુખ વસાવાને ગાંઠતા નથી...  

જો સાંસદની વાત અધિકારીઓ નથી માનતા તો... 

ધારાસભ્ય, સાંસદને આપણે લોકપ્રતિનિધી માનીએ છીએ.. સામાન્ય માણસને પડતી મુશ્કેલીનું સમાધાન તે  લાવી શકે.. જો કોઈને સમસ્યા હોય તો તે સ્થાનિક નેતાનો સંપર્ક કરી સમસ્યા અંગે રજૂઆત કરી શકે.. આપણે એવું માનીએ છીએ કે સાંસદોનું, ધારાસભ્યોનું અધિકારીઓ માનતા હશે પરંતુ ભરૂચથી જે સમાચાર સામે આવ્યા તે વિચાર કરવા આપણને મજબૂર કરે છે કે સાચે અધિકારીઓ સાંસદોનું માનતા નહીં હોય?


મનસુખ વસાવાએ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ 

ભરૂચના સાંસદનો અવાજ સોશિયલ મીડિયા થકી ઊઠતો થયો, જે બતાવે છે કે અધિકારી રાજ વધ્યું છે અને અધિકારીઓ સાંસદોને પણ નથી ગાંઠતા. લોકો સાંસદને રજૂઆત કરે કે કંઈક કામ વહેલું થાય અને સમસ્યાઓનું નિરાકરણ વહેલું આવે, પરંતુ સાંસદને લોકોનાં કામ કરાવવામાં પણ રાજકારણ વચ્ચે લાવવું પડતું હોય એવી સ્થિતિ મનસુખ વસાવાની પોસ્ટ પરથી દેખાય છે. 


ફેસબુક પોસ્ટમાં શું લખ્યું મનસુખ વસાવાએ?

તેમણે ફેસબુક પર ધોવાયેલા રસ્તાના ફોટો મૂક્યા અને લખ્યું કે ડેડીયાપાડા તાલુકાના મોરજળી ગામ ખાતે બગલાખાડીનાં રસ્તાનું ધોવાણ થતાં પ્રજાને અવરજવરમાં પડતી મુશ્કેલી,દિવસ દરમિયાન હજારો લોકોની અવિરત અવર-જવર રહેતી હોય છે જેઓને આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડે છે. રસ્તાના ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઈન ટુટી ગયેલ હોવાથી ત્યાંથી નિકળવામાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો પડે છે. સંબંધિત વાસમોનાં અધિકારીઓ તથા જીલ્લા પંચાયતના અધિકારીઓ જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિકાલ કરી પ્રજાને થતી હાલાકી દૂર કરે.



અધિકારીઓ સાંસદને નથી ગાંઠતા?

લાગે છે, સરકારી વહીવટી તંત્રનું ધ્યાન દોરવા મનસુખ વસાવા પાસે સોશિયલ મીડિયામાં જ પોસ્ટ મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી.. એક સાંસદ તરીકે જ્યાં એક ફોન કોલ પર પ્રજાની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ ત્યાં તો ભરૂચના સાંસદ જાણે કે તેમની વાત અધિકારીઓ માનતા જ ન હોય તેવી પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા થકી અધિકારીઓને આદેશ આપવા મજબૂર બન્યા છે ક્યારેક ધારાસભ્યો પત્ર લખે છે સમસ્યાના નિરાકરણ માટે તો ક્યારેક નેતાઓ અધિકારીઓની complain કરતાં હોય છે.


સાંસદે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી પડે કે... 

આવી સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે પ્રજા કોની પાસે જાય? આટલાં વર્ષોથી મનસુખ ભાઈ ત્યાંના સાંસદ છે અને છત્તા તેમણે પોસ્ટ કરીને લખવું પડે કે અધિકારીઓ આ કામ કરજો લોકોને હાલાકી પડે છે એ તો ભયાનક વાત કહેવાય.. ચાલો અંતે સાંસદે પ્રજાનું વિચાર્યું તો ખરી હવે કે ત્યાંના સ્થાનિક લોકોને મુશ્કેલી પડે છે. ત્યારે જોવાનું રહ્યું છે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી પોસ્ટ સમસ્યાનું નિરાકરણ લાવવામાં કેટલી અસર કરે છે?  



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...