Bharuch લોકસભા બેઠક રહેશે રસપ્રદ! Mansukh Vasavaએ ફરી એક વખત Chaitar Vasava માટે આપ્યું નિવેદન, જાણો આ વખતે શું નવું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-12 15:03:56

લોકસભાની ચુંટણી આવે એ પહેલા રાજનીતિમાં રોજ એક નવો ભૂકંપ આવે છે, ભરૂચ લોકસભા સીટને લઈ અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી છે. મનસુખ વસાવા Vs ચૈતર વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. તે ઉપરાંત ભરૂચમાં ત્રીજા વસાવા પણ છે અને તે છે છોટુ વસાવા. ગઈકાલે જ BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા ત્યારે હવે ભરૂચ લોકસભા બેઠક માટે જેટલી પણ ગણતરીઓ હતી એ બધી ખોરવાઈ ગઈ છે અને અધૂરામાં પૂરું બીજો ઝટકો છોટુભાઈ વસાવા પણ આપવા જઈ રહ્યા છે.

ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન!

ચૈતર વસાવા અનેક વખત મનસુખ વસાવાને લઈ નિવેદન આપતા હોય છે તો કોઈ વખત મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈ નિવેદન આપતા હોય છે. ત્યારે મનસુખ વસાવા માટે પકડાર પણ ઉભો થઈ શકે છે કારણ કે છોટુ વસાવાએ જાહેરાત કરી છે કે તેઓ અલગ નવી પાર્ટી બનાવીને ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને ચૂંટણી લડશે. આ બધાની વચ્ચે જૂનો અને હમેશા ટ્રેન્ડમાં રહતો વિષય વસાવા vs વસાવા ફરી એક વાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું 'ચૈતર વસાવા કાગનો વાઘ છે, એ હારવાનો જ છે' સાથે જ તેમણે કહ્યું કે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપમાં જોડાવાથી ભાજપ ભરૂચ બેઠક મજબૂત થશે. 

 

ગઈકાલે મહેશ વસાવા જોડાયા હતા ભાજપમાં 

મહત્વનું છે કે થોડા સમય પહેલા છોટુ વસાવાનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે ભાજપમાં જઈ રહેલા નેતા માટે નિવેદન આપ્યું હતું. ગઈ કાલે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા જે બાદ તે ભડક્યા હતા. પુત્ર ભાજપમાં જતાં રોષે ભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે,ભાજપમાં બધા કોઢ ઊંદરો ભરતી થઇ રહ્યા છે. જે ભાજપને ખતમ કરી નાખશે. એમ આડ કતરી રીતે પોતાના પુત્રને પણ છોટુભાઈ વસાવાએ કોઢ ઉંદર કહ્યા હતા. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠકની જંગ રસપ્રદ રહેશે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે