Bharuch લોકસભા બેઠક રહેશે રસપ્રદ! Mansukh Vasavaએ ફરી એક વખત Chaitar Vasava માટે આપ્યું નિવેદન, જાણો આ વખતે શું નવું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-12 15:03:56

લોકસભાની ચુંટણી આવે એ પહેલા રાજનીતિમાં રોજ એક નવો ભૂકંપ આવે છે, ભરૂચ લોકસભા સીટને લઈ અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી છે. મનસુખ વસાવા Vs ચૈતર વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. તે ઉપરાંત ભરૂચમાં ત્રીજા વસાવા પણ છે અને તે છે છોટુ વસાવા. ગઈકાલે જ BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા ત્યારે હવે ભરૂચ લોકસભા બેઠક માટે જેટલી પણ ગણતરીઓ હતી એ બધી ખોરવાઈ ગઈ છે અને અધૂરામાં પૂરું બીજો ઝટકો છોટુભાઈ વસાવા પણ આપવા જઈ રહ્યા છે.

ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન!

ચૈતર વસાવા અનેક વખત મનસુખ વસાવાને લઈ નિવેદન આપતા હોય છે તો કોઈ વખત મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈ નિવેદન આપતા હોય છે. ત્યારે મનસુખ વસાવા માટે પકડાર પણ ઉભો થઈ શકે છે કારણ કે છોટુ વસાવાએ જાહેરાત કરી છે કે તેઓ અલગ નવી પાર્ટી બનાવીને ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને ચૂંટણી લડશે. આ બધાની વચ્ચે જૂનો અને હમેશા ટ્રેન્ડમાં રહતો વિષય વસાવા vs વસાવા ફરી એક વાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું 'ચૈતર વસાવા કાગનો વાઘ છે, એ હારવાનો જ છે' સાથે જ તેમણે કહ્યું કે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપમાં જોડાવાથી ભાજપ ભરૂચ બેઠક મજબૂત થશે. 

 

ગઈકાલે મહેશ વસાવા જોડાયા હતા ભાજપમાં 

મહત્વનું છે કે થોડા સમય પહેલા છોટુ વસાવાનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે ભાજપમાં જઈ રહેલા નેતા માટે નિવેદન આપ્યું હતું. ગઈ કાલે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા જે બાદ તે ભડક્યા હતા. પુત્ર ભાજપમાં જતાં રોષે ભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે,ભાજપમાં બધા કોઢ ઊંદરો ભરતી થઇ રહ્યા છે. જે ભાજપને ખતમ કરી નાખશે. એમ આડ કતરી રીતે પોતાના પુત્રને પણ છોટુભાઈ વસાવાએ કોઢ ઉંદર કહ્યા હતા. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠકની જંગ રસપ્રદ રહેશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.