Bharuch લોકસભાનાં બધા સમીકરણો BJPએ ખોરવી નાખ્યા? કૉંગ્રેસનાં નેતા જ Chaitar Vasava સામે લડશે!


  • Published By :
  • Published Date : 2024-03-15 17:22:15

ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યારે ચૈતર વસાવાનું નામ જાહેર થયું ત્યારથી કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો. એહમદ પટેલની આ સીટ છે એ વાત પર તેમના દીકરી અને દીકરો મેદાને આવ્યા હતા. માંડ માંડ એ મામલો ઠારે પાડ્યો તો ફરી કોંગ્રેસના નેતા જ ચૈતર વસાવા સામે ચૂંટણી લડવા મેદાને ઉતારવાની વાત કરી રહ્યા છે. ત્યારે એક જ લાઇન કહેવાની આવે થાય કે ચૈતર વસાવાનો ત્યાં ચર્ચો તો છે પણ પરચો બીજેપી આપશે? 

કોંગ્રેસના નેતાએ કરી ભરૂચ લોકસભા બેઠક પરથી લડવાની વાત!

ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી કોંગ્રેસની હાલત થઈ ગઈ છે. એક બાદ એક નેતા, કાર્યકરો પક્ષ છોડી રહ્યાં છે તો બીજી તરફ પક્ષમાં પણ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે અને તે મુજબ ભરૂચ અને ભાવનગર પર આપ પોતાના ઉમેદવારને ઉભા રાખશે. આ વાતને લઈ કોંગ્રેસના નેતાઓ ભડક્યા છે. કોંગ્રેસના એક નેતાએ ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. 



સોશિયલ મીડિયા પર આવી આ અંગેની જાહેરાત!

કોંગ્રેસના નેતા દ્વારા આવી જાહેરાત કરાતા રાજકારણ ગરમાયું છે. જે નેતાએ ચૂંટણી લડવાની વાત કરી છે તે સુલેમાન પટેલ છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસને ચીમકી આપી કે હું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવિશ. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બે વાર ઉમેદવારી કરી પરાજિત થયેલા સુલેમાન પટેલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી નારાજગી વ્યક્ત કરીને ધમકી આપી છે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ ગઠબંધનને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને હાલના જિલ્લા પ્રમુખ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે.  



બીજેપીએ શરૂ કરી દીધી કવાયત!

હવે ભરૂચ લોકસભાના સમીકરણો જેની આપણે હંમેશાથી વાત કરીએ છે એની વાત કરીએ તો જો ચૈતર વસાવાને ભરૂચ જીતવું હોય તો કોંગ્રેસ અને પોતાની વોટ બેન્ક બધાના વોટ જોઈએ પણ બધા ભેગા થાય એ પહેલા જ બીજેપી પોતાની સ્ટ્રેટજી પ્રમાણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતું દેખાય છે. કારણ કે ત્યાં મનસુખ વસાવા દમદાર નેતા તો છે પણ આટલા વર્ષોથી સત્તામાં રહ્યા એટલે થોડી તો એન્ટિ ઇન્કમબંસી લેહર હોય.જેને ખતમ કરતાં ભરૂચના બધા સમીકરણો ભાજપે ખોરવી નાખ્યા છે.


મહેશ વસાવા પણ જતા રહ્યા બીજેપીમાં!

ઉપરાંત મહેશ વસાવાને પણ ભાજપે પોતાના પક્ષમાં લઈ લીધા છે. મહેશ વસાવા જતા રહ્યા તેને લઈ છોટુ વસાવા અલગ પાર્ટી બનાવાનું કહે છે. આમ બધા સમીકરણોનો સીધો ફાયદો ભાજપને 5 લાખથી વધુ લીડમાં થઈ શકે ત્યારે એક લાઇન છે યે ઈશ્ક નહીં આસન પણ ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા માટે યે જંગ નહીં આસાન જેવી સ્થિતિ છે.   



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે