Bharuch લોકસભાનાં બધા સમીકરણો BJPએ ખોરવી નાખ્યા? કૉંગ્રેસનાં નેતા જ Chaitar Vasava સામે લડશે!


  • Published By :
  • Published Date : 2024-03-15 17:22:15

ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યારે ચૈતર વસાવાનું નામ જાહેર થયું ત્યારથી કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો. એહમદ પટેલની આ સીટ છે એ વાત પર તેમના દીકરી અને દીકરો મેદાને આવ્યા હતા. માંડ માંડ એ મામલો ઠારે પાડ્યો તો ફરી કોંગ્રેસના નેતા જ ચૈતર વસાવા સામે ચૂંટણી લડવા મેદાને ઉતારવાની વાત કરી રહ્યા છે. ત્યારે એક જ લાઇન કહેવાની આવે થાય કે ચૈતર વસાવાનો ત્યાં ચર્ચો તો છે પણ પરચો બીજેપી આપશે? 

કોંગ્રેસના નેતાએ કરી ભરૂચ લોકસભા બેઠક પરથી લડવાની વાત!

ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી કોંગ્રેસની હાલત થઈ ગઈ છે. એક બાદ એક નેતા, કાર્યકરો પક્ષ છોડી રહ્યાં છે તો બીજી તરફ પક્ષમાં પણ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે અને તે મુજબ ભરૂચ અને ભાવનગર પર આપ પોતાના ઉમેદવારને ઉભા રાખશે. આ વાતને લઈ કોંગ્રેસના નેતાઓ ભડક્યા છે. કોંગ્રેસના એક નેતાએ ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. 



સોશિયલ મીડિયા પર આવી આ અંગેની જાહેરાત!

કોંગ્રેસના નેતા દ્વારા આવી જાહેરાત કરાતા રાજકારણ ગરમાયું છે. જે નેતાએ ચૂંટણી લડવાની વાત કરી છે તે સુલેમાન પટેલ છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસને ચીમકી આપી કે હું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવિશ. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બે વાર ઉમેદવારી કરી પરાજિત થયેલા સુલેમાન પટેલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી નારાજગી વ્યક્ત કરીને ધમકી આપી છે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ ગઠબંધનને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને હાલના જિલ્લા પ્રમુખ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે.  



બીજેપીએ શરૂ કરી દીધી કવાયત!

હવે ભરૂચ લોકસભાના સમીકરણો જેની આપણે હંમેશાથી વાત કરીએ છે એની વાત કરીએ તો જો ચૈતર વસાવાને ભરૂચ જીતવું હોય તો કોંગ્રેસ અને પોતાની વોટ બેન્ક બધાના વોટ જોઈએ પણ બધા ભેગા થાય એ પહેલા જ બીજેપી પોતાની સ્ટ્રેટજી પ્રમાણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતું દેખાય છે. કારણ કે ત્યાં મનસુખ વસાવા દમદાર નેતા તો છે પણ આટલા વર્ષોથી સત્તામાં રહ્યા એટલે થોડી તો એન્ટિ ઇન્કમબંસી લેહર હોય.જેને ખતમ કરતાં ભરૂચના બધા સમીકરણો ભાજપે ખોરવી નાખ્યા છે.


મહેશ વસાવા પણ જતા રહ્યા બીજેપીમાં!

ઉપરાંત મહેશ વસાવાને પણ ભાજપે પોતાના પક્ષમાં લઈ લીધા છે. મહેશ વસાવા જતા રહ્યા તેને લઈ છોટુ વસાવા અલગ પાર્ટી બનાવાનું કહે છે. આમ બધા સમીકરણોનો સીધો ફાયદો ભાજપને 5 લાખથી વધુ લીડમાં થઈ શકે ત્યારે એક લાઇન છે યે ઈશ્ક નહીં આસન પણ ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા માટે યે જંગ નહીં આસાન જેવી સ્થિતિ છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.