Bharuch લોકસભાનાં બધા સમીકરણો BJPએ ખોરવી નાખ્યા? કૉંગ્રેસનાં નેતા જ Chaitar Vasava સામે લડશે!


  • Published By :
  • Published Date : 2024-03-15 17:22:15

ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યારે ચૈતર વસાવાનું નામ જાહેર થયું ત્યારથી કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો હતો. એહમદ પટેલની આ સીટ છે એ વાત પર તેમના દીકરી અને દીકરો મેદાને આવ્યા હતા. માંડ માંડ એ મામલો ઠારે પાડ્યો તો ફરી કોંગ્રેસના નેતા જ ચૈતર વસાવા સામે ચૂંટણી લડવા મેદાને ઉતારવાની વાત કરી રહ્યા છે. ત્યારે એક જ લાઇન કહેવાની આવે થાય કે ચૈતર વસાવાનો ત્યાં ચર્ચો તો છે પણ પરચો બીજેપી આપશે? 

કોંગ્રેસના નેતાએ કરી ભરૂચ લોકસભા બેઠક પરથી લડવાની વાત!

ગુજરાતમાં કોંગ્રેસની હાલત કફોડી છે. એક સાંધે ત્યાં તેર તુટે જેવી કોંગ્રેસની હાલત થઈ ગઈ છે. એક બાદ એક નેતા, કાર્યકરો પક્ષ છોડી રહ્યાં છે તો બીજી તરફ પક્ષમાં પણ આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે અને તે મુજબ ભરૂચ અને ભાવનગર પર આપ પોતાના ઉમેદવારને ઉભા રાખશે. આ વાતને લઈ કોંગ્રેસના નેતાઓ ભડક્યા છે. કોંગ્રેસના એક નેતાએ ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. 



સોશિયલ મીડિયા પર આવી આ અંગેની જાહેરાત!

કોંગ્રેસના નેતા દ્વારા આવી જાહેરાત કરાતા રાજકારણ ગરમાયું છે. જે નેતાએ ચૂંટણી લડવાની વાત કરી છે તે સુલેમાન પટેલ છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસને ચીમકી આપી કે હું ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઝંપલાવિશ. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી બે વાર ઉમેદવારી કરી પરાજિત થયેલા સુલેમાન પટેલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિથી નારાજગી વ્યક્ત કરીને ધમકી આપી છે. તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ પણ ગઠબંધનને લઈને નારાજગી વ્યક્ત કરી છે અને હાલના જિલ્લા પ્રમુખ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા છે.  



બીજેપીએ શરૂ કરી દીધી કવાયત!

હવે ભરૂચ લોકસભાના સમીકરણો જેની આપણે હંમેશાથી વાત કરીએ છે એની વાત કરીએ તો જો ચૈતર વસાવાને ભરૂચ જીતવું હોય તો કોંગ્રેસ અને પોતાની વોટ બેન્ક બધાના વોટ જોઈએ પણ બધા ભેગા થાય એ પહેલા જ બીજેપી પોતાની સ્ટ્રેટજી પ્રમાણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવતું દેખાય છે. કારણ કે ત્યાં મનસુખ વસાવા દમદાર નેતા તો છે પણ આટલા વર્ષોથી સત્તામાં રહ્યા એટલે થોડી તો એન્ટિ ઇન્કમબંસી લેહર હોય.જેને ખતમ કરતાં ભરૂચના બધા સમીકરણો ભાજપે ખોરવી નાખ્યા છે.


મહેશ વસાવા પણ જતા રહ્યા બીજેપીમાં!

ઉપરાંત મહેશ વસાવાને પણ ભાજપે પોતાના પક્ષમાં લઈ લીધા છે. મહેશ વસાવા જતા રહ્યા તેને લઈ છોટુ વસાવા અલગ પાર્ટી બનાવાનું કહે છે. આમ બધા સમીકરણોનો સીધો ફાયદો ભાજપને 5 લાખથી વધુ લીડમાં થઈ શકે ત્યારે એક લાઇન છે યે ઈશ્ક નહીં આસન પણ ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા માટે યે જંગ નહીં આસાન જેવી સ્થિતિ છે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.