Bharuch Loksabha - Dediyapadaમાં Mansukh Vasavaનો હુંકાર! Chaitar Vasava અને આપ માટે કહ્યું કે મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી...


  • Published By :
  • Published Date : 2024-03-18 17:46:49

ભરૂચ લોકસભા બેઠક પર વસાવા Vs વસાવાનો જંગ જોવા  મળવાનો છે. ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા. આ બંને ઉમેદવારોના નિવેદનોના લીધે આ બેઠક ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે ચૈતર વસાવા માટે ફરી એક વખત મનસુખ વસાવાએ ટિપ્પણી કરી છે. ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે.   

ભરૂચ બેઠક પર જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ચૂંટણી હોય કે ના હોય પરંતુ એક બેઠકની ચર્ચા હમેશા થતી હોય છે અને તે છે ભરૂચ લોકસભાની બેઠક. ભાજપ તેમજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે, તેમને ઉમેદવાર બનાવ્યા છે તો ચૈતર વસાવા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. બંને ઉમેદવારો અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને લઈ તે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે મનુસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ના માત્ર મનસુખ વસાવાએ પરંતુ ભાજપમાં થોડા સમય પહેલા જોડાયેલા મહેશ વસાવાએ પણ નિવદેન આપ્યું છે.


મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા પર કર્યા પ્રહાર 

ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે. ગઈકાલે ડેડીયાપાડા ખાતે કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BTPના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ BJP માં સામેલ થયેલ મહેશ વસાવા, , રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અન્ય અગ્રણી નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા સાથે જ મહેશ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ પણ કર્યા હતા.

ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે - મહેશ વસાવા

નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે મારે એટલે બોલવું પડ્યું કે ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી. એ ઉમેદવાર થઈને મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. પણ મને કોઈ ફેર નહિ પડે. અમે આ વખતે 5 લાખ કરતા વધુ મતોથી જીતીશું અને AAP ના સુપડા સાફ થઈ જશે. એટલું જ નહીં હમણાં જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાએ પણ આક્ષેપ કર્યા કે ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે. તે ઉપરાંત ભાજપના તેમણે ભરપેટ વખાણ કર્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.