Bharuch Loksabha - Dediyapadaમાં Mansukh Vasavaનો હુંકાર! Chaitar Vasava અને આપ માટે કહ્યું કે મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી...


  • Published By :
  • Published Date : 2024-03-18 17:46:49

ભરૂચ લોકસભા બેઠક પર વસાવા Vs વસાવાનો જંગ જોવા  મળવાનો છે. ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા. આ બંને ઉમેદવારોના નિવેદનોના લીધે આ બેઠક ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે ચૈતર વસાવા માટે ફરી એક વખત મનસુખ વસાવાએ ટિપ્પણી કરી છે. ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે.   

ભરૂચ બેઠક પર જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ચૂંટણી હોય કે ના હોય પરંતુ એક બેઠકની ચર્ચા હમેશા થતી હોય છે અને તે છે ભરૂચ લોકસભાની બેઠક. ભાજપ તેમજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે, તેમને ઉમેદવાર બનાવ્યા છે તો ચૈતર વસાવા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. બંને ઉમેદવારો અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને લઈ તે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે મનુસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ના માત્ર મનસુખ વસાવાએ પરંતુ ભાજપમાં થોડા સમય પહેલા જોડાયેલા મહેશ વસાવાએ પણ નિવદેન આપ્યું છે.


મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા પર કર્યા પ્રહાર 

ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે. ગઈકાલે ડેડીયાપાડા ખાતે કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BTPના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ BJP માં સામેલ થયેલ મહેશ વસાવા, , રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અન્ય અગ્રણી નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા સાથે જ મહેશ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ પણ કર્યા હતા.

ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે - મહેશ વસાવા

નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે મારે એટલે બોલવું પડ્યું કે ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી. એ ઉમેદવાર થઈને મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. પણ મને કોઈ ફેર નહિ પડે. અમે આ વખતે 5 લાખ કરતા વધુ મતોથી જીતીશું અને AAP ના સુપડા સાફ થઈ જશે. એટલું જ નહીં હમણાં જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાએ પણ આક્ષેપ કર્યા કે ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે. તે ઉપરાંત ભાજપના તેમણે ભરપેટ વખાણ કર્યા છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે