Bharuch Loksabha - Dediyapadaમાં Mansukh Vasavaનો હુંકાર! Chaitar Vasava અને આપ માટે કહ્યું કે મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી...


  • Published By :
  • Published Date : 2024-03-18 17:46:49

ભરૂચ લોકસભા બેઠક પર વસાવા Vs વસાવાનો જંગ જોવા  મળવાનો છે. ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા. આ બંને ઉમેદવારોના નિવેદનોના લીધે આ બેઠક ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે ચૈતર વસાવા માટે ફરી એક વખત મનસુખ વસાવાએ ટિપ્પણી કરી છે. ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે.   

ભરૂચ બેઠક પર જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ચૂંટણી હોય કે ના હોય પરંતુ એક બેઠકની ચર્ચા હમેશા થતી હોય છે અને તે છે ભરૂચ લોકસભાની બેઠક. ભાજપ તેમજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે, તેમને ઉમેદવાર બનાવ્યા છે તો ચૈતર વસાવા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. બંને ઉમેદવારો અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને લઈ તે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે મનુસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ના માત્ર મનસુખ વસાવાએ પરંતુ ભાજપમાં થોડા સમય પહેલા જોડાયેલા મહેશ વસાવાએ પણ નિવદેન આપ્યું છે.


મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા પર કર્યા પ્રહાર 

ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે. ગઈકાલે ડેડીયાપાડા ખાતે કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BTPના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ BJP માં સામેલ થયેલ મહેશ વસાવા, , રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અન્ય અગ્રણી નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા સાથે જ મહેશ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ પણ કર્યા હતા.

ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે - મહેશ વસાવા

નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે મારે એટલે બોલવું પડ્યું કે ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી. એ ઉમેદવાર થઈને મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. પણ મને કોઈ ફેર નહિ પડે. અમે આ વખતે 5 લાખ કરતા વધુ મતોથી જીતીશું અને AAP ના સુપડા સાફ થઈ જશે. એટલું જ નહીં હમણાં જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાએ પણ આક્ષેપ કર્યા કે ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે. તે ઉપરાંત ભાજપના તેમણે ભરપેટ વખાણ કર્યા છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.