Bharuch Loksabha - Dediyapadaમાં Mansukh Vasavaનો હુંકાર! Chaitar Vasava અને આપ માટે કહ્યું કે મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી...


  • Published By :
  • Published Date : 2024-03-18 17:46:49

ભરૂચ લોકસભા બેઠક પર વસાવા Vs વસાવાનો જંગ જોવા  મળવાનો છે. ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા. આ બંને ઉમેદવારોના નિવેદનોના લીધે આ બેઠક ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે ચૈતર વસાવા માટે ફરી એક વખત મનસુખ વસાવાએ ટિપ્પણી કરી છે. ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે.   

ભરૂચ બેઠક પર જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ચૂંટણી હોય કે ના હોય પરંતુ એક બેઠકની ચર્ચા હમેશા થતી હોય છે અને તે છે ભરૂચ લોકસભાની બેઠક. ભાજપ તેમજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે, તેમને ઉમેદવાર બનાવ્યા છે તો ચૈતર વસાવા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. બંને ઉમેદવારો અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને લઈ તે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે મનુસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ના માત્ર મનસુખ વસાવાએ પરંતુ ભાજપમાં થોડા સમય પહેલા જોડાયેલા મહેશ વસાવાએ પણ નિવદેન આપ્યું છે.


મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા પર કર્યા પ્રહાર 

ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે. ગઈકાલે ડેડીયાપાડા ખાતે કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BTPના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ BJP માં સામેલ થયેલ મહેશ વસાવા, , રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અન્ય અગ્રણી નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા સાથે જ મહેશ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ પણ કર્યા હતા.

ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે - મહેશ વસાવા

નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે મારે એટલે બોલવું પડ્યું કે ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી. એ ઉમેદવાર થઈને મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. પણ મને કોઈ ફેર નહિ પડે. અમે આ વખતે 5 લાખ કરતા વધુ મતોથી જીતીશું અને AAP ના સુપડા સાફ થઈ જશે. એટલું જ નહીં હમણાં જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાએ પણ આક્ષેપ કર્યા કે ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે. તે ઉપરાંત ભાજપના તેમણે ભરપેટ વખાણ કર્યા છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.