Bharuch Loksabha Seat : Chaitar Vasava આજે ભરશે ઉમેદવારી ફોર્મ, ચૈતર વસાવાને મળી હાઈકોર્ટથી મોટી રાહત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-17 12:10:33

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારોએ નામાંકન ભરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને અનેક ઉમેદવારો આજે દાવેદારી નોંધાવાના છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા આજે નામાંકન દાખલ કરાવાના છે. ગઈકાલે ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાએ નામાંકન દાખલ કરાવ્યું હતું ત્યારે આજે ચૈતર વસાવા નામાંકન કરાવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે છે. 


ભરૂચ લોકસભા બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ 

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા સામાન્ય રીતે અનેક વખત થતી હોય છે. ઉમેદવારોના નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાતી હોય છે. આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ભાજપ તેમજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ છોટુ વસાવાની પાર્ટી દ્વારા પણ ઉમેદવાર ઉતારવામાં આવ્યો છે. છોટુ વસાવાના દીકરા ચૂંટણી મેદાનમાં ઉતરશે.. ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ચૈતર વસાવાએ પ્રચારની શરૂઆત કરી દીધી હતી.


લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા રાહતના સમાચાર 

ચૈતર વસાવાના પ્રચારના અનેક વીડિયો સામે આવ્યા છે. લોકસભા ઈલેક્શન પહેલા ચૈતર વસાવાને એક રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી છે અને તે અંતર્ગત નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ કરી શકશે. મહત્વનું છે કે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. વનવિભાગના કર્મચારીને માર માર્યો હોવાની ફરિયાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવી હતી. જે બાદ ચૈતર વસાવાને જેલ થઈ, શરતી જામીન મળ્યા જે મુજબ તે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. 


શક્તિપ્રદર્શન કર્યા બાદ ચૈતર વસાવા ભરશે ઉમેદવારી ફોર્મ 

આ બાદ ધારાસભ્યને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાને કારણે પ્રચાર માટે ત્યાં જવું અને તે માટે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની પરવાનગી મળે તે માટે અરજી કરવામાં આવી હતી. તે બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની પરવાનગી આપી છે. મળતી માહિતી અનુસાર 12 જૂન સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે તેવી રાહત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આજે ભરૂચ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવાના છે.    



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.