Bharuch Loksabha Seat : Chaitar Vasava આજે ભરશે ઉમેદવારી ફોર્મ, ચૈતર વસાવાને મળી હાઈકોર્ટથી મોટી રાહત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-17 12:10:33

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારોએ નામાંકન ભરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને અનેક ઉમેદવારો આજે દાવેદારી નોંધાવાના છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા આજે નામાંકન દાખલ કરાવાના છે. ગઈકાલે ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાએ નામાંકન દાખલ કરાવ્યું હતું ત્યારે આજે ચૈતર વસાવા નામાંકન કરાવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે છે. 


ભરૂચ લોકસભા બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ 

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા સામાન્ય રીતે અનેક વખત થતી હોય છે. ઉમેદવારોના નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાતી હોય છે. આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ભાજપ તેમજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ છોટુ વસાવાની પાર્ટી દ્વારા પણ ઉમેદવાર ઉતારવામાં આવ્યો છે. છોટુ વસાવાના દીકરા ચૂંટણી મેદાનમાં ઉતરશે.. ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ચૈતર વસાવાએ પ્રચારની શરૂઆત કરી દીધી હતી.


લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા રાહતના સમાચાર 

ચૈતર વસાવાના પ્રચારના અનેક વીડિયો સામે આવ્યા છે. લોકસભા ઈલેક્શન પહેલા ચૈતર વસાવાને એક રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી છે અને તે અંતર્ગત નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ કરી શકશે. મહત્વનું છે કે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. વનવિભાગના કર્મચારીને માર માર્યો હોવાની ફરિયાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવી હતી. જે બાદ ચૈતર વસાવાને જેલ થઈ, શરતી જામીન મળ્યા જે મુજબ તે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. 


શક્તિપ્રદર્શન કર્યા બાદ ચૈતર વસાવા ભરશે ઉમેદવારી ફોર્મ 

આ બાદ ધારાસભ્યને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાને કારણે પ્રચાર માટે ત્યાં જવું અને તે માટે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની પરવાનગી મળે તે માટે અરજી કરવામાં આવી હતી. તે બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની પરવાનગી આપી છે. મળતી માહિતી અનુસાર 12 જૂન સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે તેવી રાહત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આજે ભરૂચ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવાના છે.    



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .