Bharuch Loksabha Seat : Chaitar Vasava આજે ભરશે ઉમેદવારી ફોર્મ, ચૈતર વસાવાને મળી હાઈકોર્ટથી મોટી રાહત, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-17 12:10:33

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારોએ નામાંકન ભરવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને અનેક ઉમેદવારો આજે દાવેદારી નોંધાવાના છે. ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા આજે નામાંકન દાખલ કરાવાના છે. ગઈકાલે ભાવનગરના ઉમેદવાર ઉમેશ મકવાણાએ નામાંકન દાખલ કરાવ્યું હતું ત્યારે આજે ચૈતર વસાવા નામાંકન કરાવાના છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે છે. 


ભરૂચ લોકસભા બેઠક પર જામશે ત્રિપાંખીયો જંગ 

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા સામાન્ય રીતે અનેક વખત થતી હોય છે. ઉમેદવારોના નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાતી હોય છે. આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ભાજપ તેમજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે પરંતુ છોટુ વસાવાની પાર્ટી દ્વારા પણ ઉમેદવાર ઉતારવામાં આવ્યો છે. છોટુ વસાવાના દીકરા ચૂંટણી મેદાનમાં ઉતરશે.. ભાજપે વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ ચૈતર વસાવાએ પ્રચારની શરૂઆત કરી દીધી હતી.


લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા રાહતના સમાચાર 

ચૈતર વસાવાના પ્રચારના અનેક વીડિયો સામે આવ્યા છે. લોકસભા ઈલેક્શન પહેલા ચૈતર વસાવાને એક રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી છે અને તે અંતર્ગત નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પ્રવેશ કરી શકશે. મહત્વનું છે કે ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા હતા. વનવિભાગના કર્મચારીને માર માર્યો હોવાની ફરિયાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ કરવામાં આવી હતી. જે બાદ ચૈતર વસાવાને જેલ થઈ, શરતી જામીન મળ્યા જે મુજબ તે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. 


શક્તિપ્રદર્શન કર્યા બાદ ચૈતર વસાવા ભરશે ઉમેદવારી ફોર્મ 

આ બાદ ધારાસભ્યને લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાને કારણે પ્રચાર માટે ત્યાં જવું અને તે માટે નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની પરવાનગી મળે તે માટે અરજી કરવામાં આવી હતી. તે બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની પરવાનગી આપી છે. મળતી માહિતી અનુસાર 12 જૂન સુધી ચૈતર વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે તેવી રાહત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. ત્યારે આજે ભરૂચ લોકસભાના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી ફોર્મ ભરવાના છે.    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.