Bharuch Loksabha Seat : Mansukh Vasavaનાં કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢ્યો યુવક અને સાંસદ પાસેથી માંગ્યો હિસાબ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-04-20 15:35:04

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થતી હોય છે.. મનસુખ વસાવા અને ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનોને કારણે થતી હોય છે. આજે ભરૂચ લોકસભા બેઠકની વાત કરવી છે પરંતુ ઉમેદવારોની નહીં પરંતુ એક યુવાનની.. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવા એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ દરમિયાન સ્ટેજ પર એક યુવક ચઢી જાય છે અને સાંસદ મનસુખ વસાવાને સવાલ કરે છે.. કયા કામો નથી થયા તેની વાત યુવાન કરી રહ્યો છે તેવું વીડિયોમાં દેખાય છે.

સાંસદને યુવકે પૂછ્યા કામ અંગે સવાલ!

લોકસભા ચૂંટણીની શરૂઆત દેશમાં થઈ ગઈ છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન થઈ ગયું છે. ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત થવાની છે.. અનેક વખત એવો સવાલ કરવામાં આવતો હોય છે કે જનતા પોતાના માટે અવાજ નથી ઉપાડતી. પોતાને પડતી મુશ્કેલી માટે નથી બોલતી. જો કામ નથી થયા તો નથી બોલતી વગેરે વગેરે.. આ બધામાં એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સવાલ કરી રહ્યો છે કે ગણાવી રહ્યો છે કે આ કામ નથી થયું , આ કામ નથી થયું... 


પ્રશ્નના જવાબમાં સાંસદે કર્યો આ ઉલ્લેખ 

એવું લાગતું હતું કે સાંસદ મનસુખ વસાવા યુવાનના પ્રશ્નનો જવાબ આપશે પરંતુ તેમણે જવાબ ના આપ્યો. મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કર્યો અને તે વિશે વાત કરી.. પરંતુ યુવાનના સવાલનો જવાબ ના આપ્યો... સાંસદના મૌન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..    



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.