Bharuch Loksabha Seat : Mansukh Vasavaનાં કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢ્યો યુવક અને સાંસદ પાસેથી માંગ્યો હિસાબ! વીડિયો થયો વાયરલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-20 15:35:04

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થતી હોય છે.. મનસુખ વસાવા અને ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનોને કારણે થતી હોય છે. આજે ભરૂચ લોકસભા બેઠકની વાત કરવી છે પરંતુ ઉમેદવારોની નહીં પરંતુ એક યુવાનની.. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવા એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ દરમિયાન સ્ટેજ પર એક યુવક ચઢી જાય છે અને સાંસદ મનસુખ વસાવાને સવાલ કરે છે.. કયા કામો નથી થયા તેની વાત યુવાન કરી રહ્યો છે તેવું વીડિયોમાં દેખાય છે.

સાંસદને યુવકે પૂછ્યા કામ અંગે સવાલ!

લોકસભા ચૂંટણીની શરૂઆત દેશમાં થઈ ગઈ છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન થઈ ગયું છે. ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત થવાની છે.. અનેક વખત એવો સવાલ કરવામાં આવતો હોય છે કે જનતા પોતાના માટે અવાજ નથી ઉપાડતી. પોતાને પડતી મુશ્કેલી માટે નથી બોલતી. જો કામ નથી થયા તો નથી બોલતી વગેરે વગેરે.. આ બધામાં એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સવાલ કરી રહ્યો છે કે ગણાવી રહ્યો છે કે આ કામ નથી થયું , આ કામ નથી થયું... 


પ્રશ્નના જવાબમાં સાંસદે કર્યો આ ઉલ્લેખ 

એવું લાગતું હતું કે સાંસદ મનસુખ વસાવા યુવાનના પ્રશ્નનો જવાબ આપશે પરંતુ તેમણે જવાબ ના આપ્યો. મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કર્યો અને તે વિશે વાત કરી.. પરંતુ યુવાનના સવાલનો જવાબ ના આપ્યો... સાંસદના મૌન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..    



ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.

દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

જ્ઞાન સહાયક જે માટે વિદ્યાર્થીઓ આટલું લડ્યા ગાંધીનગરના રસ્તાઓ પર ઢસડાયા અને અંતે સરકારે ભરતી તો બહાર પડી પણ હવે એ લટકતી તલવાર જેવી સ્થિતી છે કારણ કે હવે સરકારે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરી છે એટલે હવે કાયમી શિક્ષકોની ભરતીનું શું? કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું....

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.