Bharuch Loksabha Seat : Mansukh Vasavaનાં કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢ્યો યુવક અને સાંસદ પાસેથી માંગ્યો હિસાબ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-04-20 15:35:04

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થતી હોય છે.. મનસુખ વસાવા અને ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનોને કારણે થતી હોય છે. આજે ભરૂચ લોકસભા બેઠકની વાત કરવી છે પરંતુ ઉમેદવારોની નહીં પરંતુ એક યુવાનની.. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવા એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ દરમિયાન સ્ટેજ પર એક યુવક ચઢી જાય છે અને સાંસદ મનસુખ વસાવાને સવાલ કરે છે.. કયા કામો નથી થયા તેની વાત યુવાન કરી રહ્યો છે તેવું વીડિયોમાં દેખાય છે.

સાંસદને યુવકે પૂછ્યા કામ અંગે સવાલ!

લોકસભા ચૂંટણીની શરૂઆત દેશમાં થઈ ગઈ છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન થઈ ગયું છે. ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત થવાની છે.. અનેક વખત એવો સવાલ કરવામાં આવતો હોય છે કે જનતા પોતાના માટે અવાજ નથી ઉપાડતી. પોતાને પડતી મુશ્કેલી માટે નથી બોલતી. જો કામ નથી થયા તો નથી બોલતી વગેરે વગેરે.. આ બધામાં એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સવાલ કરી રહ્યો છે કે ગણાવી રહ્યો છે કે આ કામ નથી થયું , આ કામ નથી થયું... 


પ્રશ્નના જવાબમાં સાંસદે કર્યો આ ઉલ્લેખ 

એવું લાગતું હતું કે સાંસદ મનસુખ વસાવા યુવાનના પ્રશ્નનો જવાબ આપશે પરંતુ તેમણે જવાબ ના આપ્યો. મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કર્યો અને તે વિશે વાત કરી.. પરંતુ યુવાનના સવાલનો જવાબ ના આપ્યો... સાંસદના મૌન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..    



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.