Bharuch Loksabha Seat : Mansukh Vasavaનાં કાર્યક્રમમાં સ્ટેજ પર ચઢ્યો યુવક અને સાંસદ પાસેથી માંગ્યો હિસાબ! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-04-20 15:35:04

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થતી હોય છે.. મનસુખ વસાવા અને ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનોને કારણે થતી હોય છે. આજે ભરૂચ લોકસભા બેઠકની વાત કરવી છે પરંતુ ઉમેદવારોની નહીં પરંતુ એક યુવાનની.. એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવા એક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ દરમિયાન સ્ટેજ પર એક યુવક ચઢી જાય છે અને સાંસદ મનસુખ વસાવાને સવાલ કરે છે.. કયા કામો નથી થયા તેની વાત યુવાન કરી રહ્યો છે તેવું વીડિયોમાં દેખાય છે.

સાંસદને યુવકે પૂછ્યા કામ અંગે સવાલ!

લોકસભા ચૂંટણીની શરૂઆત દેશમાં થઈ ગઈ છે. પ્રથમ તબક્કા માટેનું મતદાન થઈ ગયું છે. ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કા અંતર્ગત થવાની છે.. અનેક વખત એવો સવાલ કરવામાં આવતો હોય છે કે જનતા પોતાના માટે અવાજ નથી ઉપાડતી. પોતાને પડતી મુશ્કેલી માટે નથી બોલતી. જો કામ નથી થયા તો નથી બોલતી વગેરે વગેરે.. આ બધામાં એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સવાલ કરી રહ્યો છે કે ગણાવી રહ્યો છે કે આ કામ નથી થયું , આ કામ નથી થયું... 


પ્રશ્નના જવાબમાં સાંસદે કર્યો આ ઉલ્લેખ 

એવું લાગતું હતું કે સાંસદ મનસુખ વસાવા યુવાનના પ્રશ્નનો જવાબ આપશે પરંતુ તેમણે જવાબ ના આપ્યો. મનસુખ વસાવાએ પોતાના નિવેદનમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કર્યો અને તે વિશે વાત કરી.. પરંતુ યુવાનના સવાલનો જવાબ ના આપ્યો... સાંસદના મૌન પર તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..    



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.