Bharuch Loksabha બેઠક પર ત્રિ પાંખીયો જંગ, BAPના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી પત્ર, Chaitar Vasava પણ હતા હાજર? જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-19 17:08:43

ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. ભારતીય જનતા પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી.પરંતુ થોડા સમય પહેલા છોટુ વસાવા દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા બેઠક પર તેમની પાર્ટી BAP પણ ઉમેદવારને ઉતારશે ચૂંટણી લડવા.. તે બાદ દિલીપ વસાવાના નામની જાહેરાત ઉમેદવાર તરીકે કરવામાં આવી અને હવે તેમણે ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરી દીધું છે.. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ચૈતર વસાવા પણ તેમની સાથે દેખાયા હતા...

બાપના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે.. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ થવાનો છે.. પરંતુ અનેક બેઠકો છે જ્યાં ત્રિ પાંખીયો જંગ થવાનો છે... ભરૂચ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે... બંને ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે જ્યારે આજે છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવાએ નામાંકન દાખલ કર્યું છે... છોટુ વસાવાએ થોડા દિવસ પહેલા આ અંગેની જાહેરાત કરી હતી કે તે ઉમેદવાર ઉતારશે...


શક્તિપ્રદર્શન કરી ઉમેદવારોએ નોંધાવી હતી દાવેદારી

ભરૂચ લોકસભા બેઠક એમ પણ ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે... મનસુખ વસાવા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા. તે સિવાય જ્યારે ચૈતર વસાવાએ ઉમેદવારી નોંધાવી ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ત્યારે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામતા આ બેઠક ખૂબ રસપ્રદ રહેવાની છે તેવું લાગી રહ્યું છે...        



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.