Bharuch Loksabha બેઠક પર ત્રિ પાંખીયો જંગ, BAPના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી પત્ર, Chaitar Vasava પણ હતા હાજર? જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-19 17:08:43

ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. ભારતીય જનતા પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી.પરંતુ થોડા સમય પહેલા છોટુ વસાવા દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા બેઠક પર તેમની પાર્ટી BAP પણ ઉમેદવારને ઉતારશે ચૂંટણી લડવા.. તે બાદ દિલીપ વસાવાના નામની જાહેરાત ઉમેદવાર તરીકે કરવામાં આવી અને હવે તેમણે ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરી દીધું છે.. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ચૈતર વસાવા પણ તેમની સાથે દેખાયા હતા...

બાપના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે.. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ થવાનો છે.. પરંતુ અનેક બેઠકો છે જ્યાં ત્રિ પાંખીયો જંગ થવાનો છે... ભરૂચ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે... બંને ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે જ્યારે આજે છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવાએ નામાંકન દાખલ કર્યું છે... છોટુ વસાવાએ થોડા દિવસ પહેલા આ અંગેની જાહેરાત કરી હતી કે તે ઉમેદવાર ઉતારશે...


શક્તિપ્રદર્શન કરી ઉમેદવારોએ નોંધાવી હતી દાવેદારી

ભરૂચ લોકસભા બેઠક એમ પણ ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે... મનસુખ વસાવા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા. તે સિવાય જ્યારે ચૈતર વસાવાએ ઉમેદવારી નોંધાવી ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ત્યારે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામતા આ બેઠક ખૂબ રસપ્રદ રહેવાની છે તેવું લાગી રહ્યું છે...        



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે