Bharuch Loksabha બેઠક પર ત્રિ પાંખીયો જંગ, BAPના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી પત્ર, Chaitar Vasava પણ હતા હાજર? જુઓ દ્રશ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-19 17:08:43

ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. ભારતીય જનતા પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી.પરંતુ થોડા સમય પહેલા છોટુ વસાવા દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા બેઠક પર તેમની પાર્ટી BAP પણ ઉમેદવારને ઉતારશે ચૂંટણી લડવા.. તે બાદ દિલીપ વસાવાના નામની જાહેરાત ઉમેદવાર તરીકે કરવામાં આવી અને હવે તેમણે ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરી દીધું છે.. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ચૈતર વસાવા પણ તેમની સાથે દેખાયા હતા...

બાપના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે.. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ થવાનો છે.. પરંતુ અનેક બેઠકો છે જ્યાં ત્રિ પાંખીયો જંગ થવાનો છે... ભરૂચ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે... બંને ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે જ્યારે આજે છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવાએ નામાંકન દાખલ કર્યું છે... છોટુ વસાવાએ થોડા દિવસ પહેલા આ અંગેની જાહેરાત કરી હતી કે તે ઉમેદવાર ઉતારશે...


શક્તિપ્રદર્શન કરી ઉમેદવારોએ નોંધાવી હતી દાવેદારી

ભરૂચ લોકસભા બેઠક એમ પણ ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે... મનસુખ વસાવા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા. તે સિવાય જ્યારે ચૈતર વસાવાએ ઉમેદવારી નોંધાવી ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ત્યારે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામતા આ બેઠક ખૂબ રસપ્રદ રહેવાની છે તેવું લાગી રહ્યું છે...        



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.