Bhavnagar: મધ્યાહન ભોજનમાં બાળકોનું પીરસાતું હતું ભેળસેળ યુક્ત ભોજન, અક્ષયપાત્ર સંસ્થા 57 શાળાને સપ્લાય કરતી હતી ભોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-07 15:14:29

નકલી... નકલી... નકલી.... જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી જ... થોડા સમયથી નકલી શબ્દ ઘણી બધી વખત સાંભળવામાં આવ્યો હશે કારણ કે અંબાજીમાં અપાતો મોહનથાળ તપાસ દરમિયાન ફેઈલ ગયો હતો. મોહનથાળમાં નકલી ઘી વાપરવામાં આવતું હોવાનો ખુલાસો રિપોર્ટમાં કરાયો હતો. ત્યારથી આ વાત સતત ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વધુ એક ફૂડ સેમ્પલ ફેલ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળામાં બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજનમાં વપરાતું ખાદ્યતેલ ફેલ ગયું છે. ભેળસેળ વાળું ભોજન અંદાજીત 22 હજાર જેટલા બાળકોને પીરસવામાં આવતું હતું. 

ખાદ્યતેલ ખાઇ રહ્યા હો તો જરૂર વાંચજો આ સમાચાર, તમને હાર્ટ એટેક અથવા કેન્સર  થઇ શકે છે | Gujarat News in Gujarati

મધ્યાહન ભોજન યોજનામાં ધો.1થી 5માં બાળક દીઠ રોજનો માત્ર ₹2.88નો ખર્ચ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવાયા હતા નમુના 

સરકારી શાળામાં બાળકોને બપોરનું ભોજન મળે તે માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. બાળકોને સારૂં ભોજન મળે તે આ યોજનાનો ઉપદેશ્ય હતો. ત્યારે ભાવનગરની સરકારી શાળામાં અપાતું ભોજન ચર્ચામાં આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન આપવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગે ફૂડના સેમ્પલ લીધા હતા. 


ગુજરાતઃ મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ

ભેળસેળ યુક્ત વાળુ ભોજન બાળકોને પીરસાય છે!

22 હજાર બાળકોને આ સંસ્થા દ્વારા ભોજન પીરસવામાં આવે છે. ત્યારે આ નમૂના ફેઈલ ગયા છે. પોષણયુક્ત ભોજન બાળકોને મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ ભાવનગરની સરકારી શાળામાં ભેળસેળ યુક્ત ભોજન પીરસવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. તેલના નમૂનાનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેને લઈ મેન્યુફેક્ચરિંગ કંપની અને અક્ષયપાત્ર સંસ્થાને મહાનગરપાલિકા વિભાગ દ્વારા દંડ કરવામાં આવ્યો છે. 



ભાવનગર મનપા દ્વારા કરાઈ આ કાર્યવાહી 

મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ફૂડ સેમ્પલ લેવામાં આવે છે. ખાદ્યતેલના ડબ્બાને સીઝ કરવામાં આવ્યા છે. રિપોર્ટ ફેઈલ જતા ભાવનગર અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ભાવનગર મનપા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. અંબાજા એક્સપોર્ટ લિમિટેડને 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.  

ભાવનગર મનપાએ 6 દિવસમાં રૂ. 2.17 કરોડનો વેરો વસુલ્યો | Bhavnagar Municipal  Corporation in 6 days Rs 2 17 crores tax collected


કોરોના સમયે લેવાયા હતા સેમ્પલ અને રિપોર્ટ છેક હવે આવ્યો!

ભાવનગરમાં 57 જેટલી સ્કૂલોને આ અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન સપ્લાય કરવામાં આવે છે. ત્યારે ખાદ્યતેલના નમૂના ફેઈલ થયા છે જેને લઈ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બાબતે અક્ષયપાત્ર સંસ્થાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ નમૂના ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યા હતા. કોરોના સમયે શાળાઓ સંપૂર્ણ બંધ હતી. આ ખાદ્યતેલનો ઉપયોગ બાળકોના ભોજનમાં કરવામાં નથી આવ્યો તેવી વાત તેમણે કહી હતી.  મહત્વનું છે કે મનપા દ્વારા કોઈ દંડાત્મક પગલા લેવામાં આવશે કે પછી આ નજીવા દંડથી સંતોષ માને છે તે એક પ્રશ્ન છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.