Bhavnagar: મધ્યાહન ભોજનમાં બાળકોનું પીરસાતું હતું ભેળસેળ યુક્ત ભોજન, અક્ષયપાત્ર સંસ્થા 57 શાળાને સપ્લાય કરતી હતી ભોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-07 15:14:29

નકલી... નકલી... નકલી.... જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી જ... થોડા સમયથી નકલી શબ્દ ઘણી બધી વખત સાંભળવામાં આવ્યો હશે કારણ કે અંબાજીમાં અપાતો મોહનથાળ તપાસ દરમિયાન ફેઈલ ગયો હતો. મોહનથાળમાં નકલી ઘી વાપરવામાં આવતું હોવાનો ખુલાસો રિપોર્ટમાં કરાયો હતો. ત્યારથી આ વાત સતત ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વધુ એક ફૂડ સેમ્પલ ફેલ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળામાં બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજનમાં વપરાતું ખાદ્યતેલ ફેલ ગયું છે. ભેળસેળ વાળું ભોજન અંદાજીત 22 હજાર જેટલા બાળકોને પીરસવામાં આવતું હતું. 

ખાદ્યતેલ ખાઇ રહ્યા હો તો જરૂર વાંચજો આ સમાચાર, તમને હાર્ટ એટેક અથવા કેન્સર  થઇ શકે છે | Gujarat News in Gujarati

મધ્યાહન ભોજન યોજનામાં ધો.1થી 5માં બાળક દીઠ રોજનો માત્ર ₹2.88નો ખર્ચ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવાયા હતા નમુના 

સરકારી શાળામાં બાળકોને બપોરનું ભોજન મળે તે માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. બાળકોને સારૂં ભોજન મળે તે આ યોજનાનો ઉપદેશ્ય હતો. ત્યારે ભાવનગરની સરકારી શાળામાં અપાતું ભોજન ચર્ચામાં આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન આપવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગે ફૂડના સેમ્પલ લીધા હતા. 


ગુજરાતઃ મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ

ભેળસેળ યુક્ત વાળુ ભોજન બાળકોને પીરસાય છે!

22 હજાર બાળકોને આ સંસ્થા દ્વારા ભોજન પીરસવામાં આવે છે. ત્યારે આ નમૂના ફેઈલ ગયા છે. પોષણયુક્ત ભોજન બાળકોને મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ ભાવનગરની સરકારી શાળામાં ભેળસેળ યુક્ત ભોજન પીરસવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. તેલના નમૂનાનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેને લઈ મેન્યુફેક્ચરિંગ કંપની અને અક્ષયપાત્ર સંસ્થાને મહાનગરપાલિકા વિભાગ દ્વારા દંડ કરવામાં આવ્યો છે. 



ભાવનગર મનપા દ્વારા કરાઈ આ કાર્યવાહી 

મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ફૂડ સેમ્પલ લેવામાં આવે છે. ખાદ્યતેલના ડબ્બાને સીઝ કરવામાં આવ્યા છે. રિપોર્ટ ફેઈલ જતા ભાવનગર અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ભાવનગર મનપા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. અંબાજા એક્સપોર્ટ લિમિટેડને 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.  

ભાવનગર મનપાએ 6 દિવસમાં રૂ. 2.17 કરોડનો વેરો વસુલ્યો | Bhavnagar Municipal  Corporation in 6 days Rs 2 17 crores tax collected


કોરોના સમયે લેવાયા હતા સેમ્પલ અને રિપોર્ટ છેક હવે આવ્યો!

ભાવનગરમાં 57 જેટલી સ્કૂલોને આ અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન સપ્લાય કરવામાં આવે છે. ત્યારે ખાદ્યતેલના નમૂના ફેઈલ થયા છે જેને લઈ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બાબતે અક્ષયપાત્ર સંસ્થાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ નમૂના ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યા હતા. કોરોના સમયે શાળાઓ સંપૂર્ણ બંધ હતી. આ ખાદ્યતેલનો ઉપયોગ બાળકોના ભોજનમાં કરવામાં નથી આવ્યો તેવી વાત તેમણે કહી હતી.  મહત્વનું છે કે મનપા દ્વારા કોઈ દંડાત્મક પગલા લેવામાં આવશે કે પછી આ નજીવા દંડથી સંતોષ માને છે તે એક પ્રશ્ન છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.