Bhavnagar : આંગણવાડીમાં ભણતા બાળકોની આવી પરિસ્થિતિ જોઈ દયા આવી જશે! જર્જરિત દુકાનમાં ભણવા ભૂલકાઓ મજબૂર!


  • Published By :
  • Published Date : 2024-02-08 13:50:31

શિક્ષા મેળવવી બાળકનો અધિકાર હોય છે. બાળક જો શિક્ષિત હશે તો  સમાજ શિક્ષિત બનશે અને દેશ ઉજ્જવળ બનશે. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, કરોડો રુપિયાનું બજેટ પાસ કરવામાં આવતું હોય છે. અનેક શહેરોમાં તો સારી શાળાની સુવિધાઓ હોય છે પરંતુ ગામડાઓની અનેક શાળાઓ એવી હોય છે જે જર્જરિત હાલતમાં હોય છે અથવા તો શાળા જ નથી હોતી. દુકાનમાં ભણવા માટે ભાવિ મજબૂર બન્યા છે. આવી ઘટના ભાવનગરથી સામે આવી છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી દુકાનમાં ભણી રહ્યા છે. 

વિવિધ યોજનાઓ લાવવામાં આવે છે પરંતુ...

પઢેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ લાવવામાં આવી રહી છે. બાળકો ભણવા માટે કદાચ પ્રોત્સાહિત પણ થતા હશે પરંતુ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં નહીં પરંતુ દુકાનમાં ભણતા હોય છે. શાળાની સુવિધા ન હોવાને કારણે ભાવનગરના શિવ નગર વિસ્તારમાં આવેલી 151 નંબરની આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓ જર્જરિત દુકાનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે.

જર્જરિત દુકાનમાં બેસી ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર!  

ગુજરાતને વિકસીત રાજ્ય કહેવામાં આવે છે પરંતુ આજે પણ અનેક એવા શહેરો છે જ્યાં પાયાની સુવિધાઓ નથી પહોંચી. કોઈ જગ્યા પર  વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો નથી, જ્યાં શિક્ષકોને અને વિદ્યાર્થીઓ બંને છે ત્યાં શાળાઓ નથી... ભાવનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં નાના નાના ભૂલકાઓ દુકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. જર્જરિત આંગણવાડીમાં બેસવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. 


પૂર્વ શિક્ષણમંત્રીનું હોમ ટાઉન હોવા છતાંય..

મનપાને અનેક વખત આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રજૂઆત કરવામાં આવી તો પણ કાર્યવાહી ન થતા તેનો વીડિયો વાયરલ વાલીઓએ જાતે કર્યો. ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રીનું હોમ ટાઉન ભાવનગર હતું તેમ છતાંય દુકાનમાં ભણવા માટે દેશનું ભાવિ મજબૂર બન્યું છે. 


કરોડોની કરાય છે ફાળવણી પરંતુ નથી બદલાતી પરિસ્થિતિ!

મહત્વનું છે કે શિક્ષણ પાછળ સરકાર કરોડો ખર્ચે છે પરંતુ અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં હોય છે. શાળામાં પ્રાથમિક સુવિધા નથી હોતી જેને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે. શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરીત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે?



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.