Bhavnagar : આંગણવાડીમાં ભણતા બાળકોની આવી પરિસ્થિતિ જોઈ દયા આવી જશે! જર્જરિત દુકાનમાં ભણવા ભૂલકાઓ મજબૂર!


  • Published By :
  • Published Date : 2024-02-08 13:50:31

શિક્ષા મેળવવી બાળકનો અધિકાર હોય છે. બાળક જો શિક્ષિત હશે તો  સમાજ શિક્ષિત બનશે અને દેશ ઉજ્જવળ બનશે. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, કરોડો રુપિયાનું બજેટ પાસ કરવામાં આવતું હોય છે. અનેક શહેરોમાં તો સારી શાળાની સુવિધાઓ હોય છે પરંતુ ગામડાઓની અનેક શાળાઓ એવી હોય છે જે જર્જરિત હાલતમાં હોય છે અથવા તો શાળા જ નથી હોતી. દુકાનમાં ભણવા માટે ભાવિ મજબૂર બન્યા છે. આવી ઘટના ભાવનગરથી સામે આવી છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી દુકાનમાં ભણી રહ્યા છે. 

વિવિધ યોજનાઓ લાવવામાં આવે છે પરંતુ...

પઢેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ લાવવામાં આવી રહી છે. બાળકો ભણવા માટે કદાચ પ્રોત્સાહિત પણ થતા હશે પરંતુ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં નહીં પરંતુ દુકાનમાં ભણતા હોય છે. શાળાની સુવિધા ન હોવાને કારણે ભાવનગરના શિવ નગર વિસ્તારમાં આવેલી 151 નંબરની આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓ જર્જરિત દુકાનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે.

જર્જરિત દુકાનમાં બેસી ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર!  

ગુજરાતને વિકસીત રાજ્ય કહેવામાં આવે છે પરંતુ આજે પણ અનેક એવા શહેરો છે જ્યાં પાયાની સુવિધાઓ નથી પહોંચી. કોઈ જગ્યા પર  વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો નથી, જ્યાં શિક્ષકોને અને વિદ્યાર્થીઓ બંને છે ત્યાં શાળાઓ નથી... ભાવનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં નાના નાના ભૂલકાઓ દુકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. જર્જરિત આંગણવાડીમાં બેસવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. 


પૂર્વ શિક્ષણમંત્રીનું હોમ ટાઉન હોવા છતાંય..

મનપાને અનેક વખત આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રજૂઆત કરવામાં આવી તો પણ કાર્યવાહી ન થતા તેનો વીડિયો વાયરલ વાલીઓએ જાતે કર્યો. ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રીનું હોમ ટાઉન ભાવનગર હતું તેમ છતાંય દુકાનમાં ભણવા માટે દેશનું ભાવિ મજબૂર બન્યું છે. 


કરોડોની કરાય છે ફાળવણી પરંતુ નથી બદલાતી પરિસ્થિતિ!

મહત્વનું છે કે શિક્ષણ પાછળ સરકાર કરોડો ખર્ચે છે પરંતુ અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં હોય છે. શાળામાં પ્રાથમિક સુવિધા નથી હોતી જેને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે. શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરીત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે?



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.