Bhavnagar : આંગણવાડીમાં ભણતા બાળકોની આવી પરિસ્થિતિ જોઈ દયા આવી જશે! જર્જરિત દુકાનમાં ભણવા ભૂલકાઓ મજબૂર!


  • Published By :
  • Published Date : 2024-02-08 13:50:31

શિક્ષા મેળવવી બાળકનો અધિકાર હોય છે. બાળક જો શિક્ષિત હશે તો  સમાજ શિક્ષિત બનશે અને દેશ ઉજ્જવળ બનશે. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, કરોડો રુપિયાનું બજેટ પાસ કરવામાં આવતું હોય છે. અનેક શહેરોમાં તો સારી શાળાની સુવિધાઓ હોય છે પરંતુ ગામડાઓની અનેક શાળાઓ એવી હોય છે જે જર્જરિત હાલતમાં હોય છે અથવા તો શાળા જ નથી હોતી. દુકાનમાં ભણવા માટે ભાવિ મજબૂર બન્યા છે. આવી ઘટના ભાવનગરથી સામે આવી છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી દુકાનમાં ભણી રહ્યા છે. 

વિવિધ યોજનાઓ લાવવામાં આવે છે પરંતુ...

પઢેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ લાવવામાં આવી રહી છે. બાળકો ભણવા માટે કદાચ પ્રોત્સાહિત પણ થતા હશે પરંતુ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં નહીં પરંતુ દુકાનમાં ભણતા હોય છે. શાળાની સુવિધા ન હોવાને કારણે ભાવનગરના શિવ નગર વિસ્તારમાં આવેલી 151 નંબરની આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓ જર્જરિત દુકાનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે.

જર્જરિત દુકાનમાં બેસી ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર!  

ગુજરાતને વિકસીત રાજ્ય કહેવામાં આવે છે પરંતુ આજે પણ અનેક એવા શહેરો છે જ્યાં પાયાની સુવિધાઓ નથી પહોંચી. કોઈ જગ્યા પર  વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો નથી, જ્યાં શિક્ષકોને અને વિદ્યાર્થીઓ બંને છે ત્યાં શાળાઓ નથી... ભાવનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં નાના નાના ભૂલકાઓ દુકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. જર્જરિત આંગણવાડીમાં બેસવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. 


પૂર્વ શિક્ષણમંત્રીનું હોમ ટાઉન હોવા છતાંય..

મનપાને અનેક વખત આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રજૂઆત કરવામાં આવી તો પણ કાર્યવાહી ન થતા તેનો વીડિયો વાયરલ વાલીઓએ જાતે કર્યો. ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રીનું હોમ ટાઉન ભાવનગર હતું તેમ છતાંય દુકાનમાં ભણવા માટે દેશનું ભાવિ મજબૂર બન્યું છે. 


કરોડોની કરાય છે ફાળવણી પરંતુ નથી બદલાતી પરિસ્થિતિ!

મહત્વનું છે કે શિક્ષણ પાછળ સરકાર કરોડો ખર્ચે છે પરંતુ અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં હોય છે. શાળામાં પ્રાથમિક સુવિધા નથી હોતી જેને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે. શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરીત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે?



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .