ભાવનગર ડમીકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ, FIRનાં 36 પૈકી 23 અને અન્ય 24 મળી કુલ 47 આરોપી ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-05-18 11:46:12

ભાવનગર જિલ્લામાં છેલ્લા 11 વર્ષથી ચાલતા ડમીકાંડ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રોજ નવા સમાચારો આવતા રહે છે. ભાવનગર ડમીકાંડ મામલે પોલીસ સપાટો બોલાવી રહી છે. ભાવનગર SOGએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાવનગર ડમીકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ 47 આરોપીઓની ધરપકડ કરી છે. 


22 વર્ષીય યુવકની ધરપકડ


ભાવનગર પોલીસે તળાજા તાલુકાના સથરા ગામના 22વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી નિલેષભાઇ ઘનશ્યામભાઇ જાનીને આજે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગવામાં આવશે. નિલેષ જાનીની પૂછપરછમાં ઘણા ખુલાસાઓ થઈ શકે છે. બે દિવસ અગાઉ પણ ડમીકાડમાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે 36 લોકો સામે FIR થયેલ છે, તેમાંથી 23 ઝડપાયા છે, જ્યારે 24 લોકોની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે.


પોલીસ અગાઉ બે આરોપીની કરી હતી ધરપકડ

 

પોલીસે બે દિવસ અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક ગ્રામ્ય ડાક સેવક તરીકે નોકરી કરે છે. પોલીસે સાગર બાલાશંકર પડ્યા (ઉં.વ 12, રહે. ટીમાણા) અને પંકજ પ્રેમજીભાઈ ધોરીયા (ઉં.વ 23 રહે.ખીતાલા)ને ઝડપી પાડ્યા હતા. જેમાં સાગર તલગાજરડામાં ગ્રામ્ય ડાક સેવક તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું. ડમીકાંડ મામલે પોલીસ તપાસમાં મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે મોટા ભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.