ભાવનગર ડમીકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ, FIRનાં 36 પૈકી 23 અને અન્ય 24 મળી કુલ 47 આરોપી ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-05-18 11:46:12

ભાવનગર જિલ્લામાં છેલ્લા 11 વર્ષથી ચાલતા ડમીકાંડ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રોજ નવા સમાચારો આવતા રહે છે. ભાવનગર ડમીકાંડ મામલે પોલીસ સપાટો બોલાવી રહી છે. ભાવનગર SOGએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાવનગર ડમીકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ 47 આરોપીઓની ધરપકડ કરી છે. 


22 વર્ષીય યુવકની ધરપકડ


ભાવનગર પોલીસે તળાજા તાલુકાના સથરા ગામના 22વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી નિલેષભાઇ ઘનશ્યામભાઇ જાનીને આજે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગવામાં આવશે. નિલેષ જાનીની પૂછપરછમાં ઘણા ખુલાસાઓ થઈ શકે છે. બે દિવસ અગાઉ પણ ડમીકાડમાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે 36 લોકો સામે FIR થયેલ છે, તેમાંથી 23 ઝડપાયા છે, જ્યારે 24 લોકોની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે.


પોલીસ અગાઉ બે આરોપીની કરી હતી ધરપકડ

 

પોલીસે બે દિવસ અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક ગ્રામ્ય ડાક સેવક તરીકે નોકરી કરે છે. પોલીસે સાગર બાલાશંકર પડ્યા (ઉં.વ 12, રહે. ટીમાણા) અને પંકજ પ્રેમજીભાઈ ધોરીયા (ઉં.વ 23 રહે.ખીતાલા)ને ઝડપી પાડ્યા હતા. જેમાં સાગર તલગાજરડામાં ગ્રામ્ય ડાક સેવક તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું. ડમીકાંડ મામલે પોલીસ તપાસમાં મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે મોટા ભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.