ભાવનગરમાં નિકળી ભગવાન જગન્નાથની 38મી રથયાત્રા, ભગવાનનાં દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું


  • Published By :
  • Published Date : 2023-06-20 14:18:52

દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી રથયાત્રા આજે ભાવનગર શહેરમાં નિકળી હતી. ભાવનગર શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની 38મી રથયાત્રાનો શહેરના સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી વિધિવત પ્રારંભ થયો હતો. ભાવનગરમાં "છેડાપોરા" અને "પહિન્દ" વિધિ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી અને મહારાજા વિજયરાજસિંહજીના હાથે પહિન્દ વિધિ કરવામાં આવી હતી. ભાવનગરમાં 17.5 કિલોમીટરના રૂટ પર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળ્યા હતા. રથયાત્રાના પ્રસ્થાન વેળાએ  ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન દાણીધરીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા સંતો-મહંતો સહીતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.


ભાવનગરના 17.5 કિ.મીના રૂટ પર રથયાત્રા


ભગવાન જગન્નાથજીની રથયાત્રા 17.5 કિલોમીટરના રૂટ પર નિકળી ત્યારે ભાવિક ભક્તો દ્વારા તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓ મંડળો તથા રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, રાત્રીના રથયાત્રા ભગવાનેશ્વર મંદિર ખાતે પરત ફરશે. રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા સમગ્ર રૂટ પર કેસરિયા ધજા અને કમાનો નાખી સુશોભન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત શહેરની મુખ્ય બજારમાં આકર્ષક કમાનો અને વિશાળ કટ આઉ્‌ટો સહિત પણ લગાવી દેવામાં આવ્યા છે, આજે રાત્રીના ઘોઘાગેટ ચોક ખાતે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે જગન્નાથજીની રથયાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. રથયાત્રામાં માનવ મહેરામણ ભગવાનનાં દર્શન માટે ઉમટી પડ્યું હતું. રથયાત્રા સુભાષનગર નિજ મંદિરે રાત્રે 10 વાગે નિજ મંદિર પરત ફરશે.


રથયાત્રામાં આ રહ્યા મહત્વના આકર્ષણો


ભાવનગરની રથયાત્રામાં મીની ટ્રેઈન, વાંદરો, નાસિક ઢોલ, તોપ, તેમજ 100થી વધુ ટ્રક, બે જીપ, 20 ટ્રેક્ટર, 15 છકરડા, 2 ગજરાજ, 6 ઘોડા અને 4 અખાડા સહિત જુદી જુદી રાજ મંડળીઓ અને ગણેશ ક્રીડા મંડળ દ્વારા જીમનાસ્ટીક, સ્કેટિંગના દાવપેચ, બોડી બિલ્ડર્સ, સત્સંગ મંડળો, ડોલ નગારા તેમજ ડીજે સિસ્ટમએ લોકોમાં ગજબનું આકર્ષણ જગાવ્યું હતું


જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા


ભાવનગરમાં રથયાત્રાની સુરક્ષાને લઇ ભાવનગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા જડબેસલાક  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં DySP–15, PI–44, PSI–144, પોલીસ- 2000થી વધુ (મહીલા સહિત ), SRP-5 કંપની, BSF-3 કંપની, હોમગાર્ડ-1500થી વધુ (મહીલા સહિત), વિડીયોગ્રાફરો-24, ડ્રોન–3, વોચ ટાવર–12, ગ્રુપ+ગામા મોબાઇલ- 38, બાઇક પેટ્રોલિંગ -15, ઘોડેસવાર–32, એક્ઝક્યુટિવ મેજિસ્ટ્રેટ–12, મેડિકલ ટીમ-4, ફાયર ફાયટર-4 તૈનાત કરવામાં આવ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.