Bhavnagar : પોલીસ મફતમાં સામાન લઈ જાય! રોષે ભરાયેલા લોકો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-18 15:20:41

પોલીસની દાદાગીરીના વીડિયો અનેક વખત તમે જોયા હશે. પોલીસની કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠે છે ત્યારે આજે એવો કિસ્સો તમને જણાવો છે જ્યાં પોલીસ દ્વારા વેપારી સાથે ખરાબ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે. આ વાક્ય વાંચ્યા પછી તમે કહેશો આ તકલીફ રોજની છે. ત્યારે ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસ મફતની વસ્તુઓ વેપારીઓ પાસેથી લૂંટીને લઈ જાય છે! એક એવો વીડિયો ભાવનગરના સિહોરથી એક ઘટના, એક વીડિયો સામે આવ્યો છે જેમાં વેપારી સાથે ઉદ્ધડ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે.  

લોકો પર પોલીસે કરી દાદાગીરી

ભાવનગરના સિહોરથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસ પર અનેક સવાલો ઉભા થાય છે. થોડા સમય પહેલા અમારા સુધી એક વીડિયો પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા અમુક લોકો સામે દાદાગીરી અને ઉદ્ધડ વ્યવહાર કરવામાં આવ્યો હતો જેને લઈને સિહોરની જનતામાં ભારે રોષ છે. પોલીસ સામે સવાલ ઉઠ્યો છે. પોલીસ દ્વારા મફતમાં દુકાનદારો પાસે લૂંટફાટ મચાવવામાં આવે છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે  સિહોરની જનતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે ભેગી થઈ હતી. 


મફતમાં પોલીસ લઈ જાય છે વેપારીઓનો સામાન!    

પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે જે વિડિયો વાયરલ થયો હતો જેમાં ટાણા રોડ પર આવેલી ભવાની દુકાન પરથી પોલીસ અવારનવાર મફતમાં ચીજ વસ્તુઓ લઈ રહી છે જેને લઈને વેપારીઓનું કહેવું છે કે રોજનું લાવીને રોજ ખાતા હોય છે અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે તેવામાં પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે જેના કારણે ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે. જ્યારે તે દુકાનદારોએ આવું કહ્યું ત્યારે પોલીસનો ઇગો હટ થઈ ગયો અને પછી તે દુકાનો બંધ કરવા ગયા અને ત્યાંના લોકોને માર મારવા લાગ્યા



ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.