Bhavnagar : પોલીસ મફતમાં સામાન લઈ જાય! રોષે ભરાયેલા લોકો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-18 15:20:41

પોલીસની દાદાગીરીના વીડિયો અનેક વખત તમે જોયા હશે. પોલીસની કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠે છે ત્યારે આજે એવો કિસ્સો તમને જણાવો છે જ્યાં પોલીસ દ્વારા વેપારી સાથે ખરાબ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે. આ વાક્ય વાંચ્યા પછી તમે કહેશો આ તકલીફ રોજની છે. ત્યારે ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસ મફતની વસ્તુઓ વેપારીઓ પાસેથી લૂંટીને લઈ જાય છે! એક એવો વીડિયો ભાવનગરના સિહોરથી એક ઘટના, એક વીડિયો સામે આવ્યો છે જેમાં વેપારી સાથે ઉદ્ધડ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે.  

લોકો પર પોલીસે કરી દાદાગીરી

ભાવનગરના સિહોરથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસ પર અનેક સવાલો ઉભા થાય છે. થોડા સમય પહેલા અમારા સુધી એક વીડિયો પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા અમુક લોકો સામે દાદાગીરી અને ઉદ્ધડ વ્યવહાર કરવામાં આવ્યો હતો જેને લઈને સિહોરની જનતામાં ભારે રોષ છે. પોલીસ સામે સવાલ ઉઠ્યો છે. પોલીસ દ્વારા મફતમાં દુકાનદારો પાસે લૂંટફાટ મચાવવામાં આવે છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે  સિહોરની જનતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે ભેગી થઈ હતી. 


મફતમાં પોલીસ લઈ જાય છે વેપારીઓનો સામાન!    

પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે જે વિડિયો વાયરલ થયો હતો જેમાં ટાણા રોડ પર આવેલી ભવાની દુકાન પરથી પોલીસ અવારનવાર મફતમાં ચીજ વસ્તુઓ લઈ રહી છે જેને લઈને વેપારીઓનું કહેવું છે કે રોજનું લાવીને રોજ ખાતા હોય છે અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે તેવામાં પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે જેના કારણે ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે. જ્યારે તે દુકાનદારોએ આવું કહ્યું ત્યારે પોલીસનો ઇગો હટ થઈ ગયો અને પછી તે દુકાનો બંધ કરવા ગયા અને ત્યાંના લોકોને માર મારવા લાગ્યા



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.