Bhavnagar : પોલીસ મફતમાં સામાન લઈ જાય! રોષે ભરાયેલા લોકો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-18 15:20:41

પોલીસની દાદાગીરીના વીડિયો અનેક વખત તમે જોયા હશે. પોલીસની કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠે છે ત્યારે આજે એવો કિસ્સો તમને જણાવો છે જ્યાં પોલીસ દ્વારા વેપારી સાથે ખરાબ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે. આ વાક્ય વાંચ્યા પછી તમે કહેશો આ તકલીફ રોજની છે. ત્યારે ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસ મફતની વસ્તુઓ વેપારીઓ પાસેથી લૂંટીને લઈ જાય છે! એક એવો વીડિયો ભાવનગરના સિહોરથી એક ઘટના, એક વીડિયો સામે આવ્યો છે જેમાં વેપારી સાથે ઉદ્ધડ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે.  

લોકો પર પોલીસે કરી દાદાગીરી

ભાવનગરના સિહોરથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસ પર અનેક સવાલો ઉભા થાય છે. થોડા સમય પહેલા અમારા સુધી એક વીડિયો પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા અમુક લોકો સામે દાદાગીરી અને ઉદ્ધડ વ્યવહાર કરવામાં આવ્યો હતો જેને લઈને સિહોરની જનતામાં ભારે રોષ છે. પોલીસ સામે સવાલ ઉઠ્યો છે. પોલીસ દ્વારા મફતમાં દુકાનદારો પાસે લૂંટફાટ મચાવવામાં આવે છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે  સિહોરની જનતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે ભેગી થઈ હતી. 


મફતમાં પોલીસ લઈ જાય છે વેપારીઓનો સામાન!    

પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે જે વિડિયો વાયરલ થયો હતો જેમાં ટાણા રોડ પર આવેલી ભવાની દુકાન પરથી પોલીસ અવારનવાર મફતમાં ચીજ વસ્તુઓ લઈ રહી છે જેને લઈને વેપારીઓનું કહેવું છે કે રોજનું લાવીને રોજ ખાતા હોય છે અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે તેવામાં પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે જેના કારણે ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે. જ્યારે તે દુકાનદારોએ આવું કહ્યું ત્યારે પોલીસનો ઇગો હટ થઈ ગયો અને પછી તે દુકાનો બંધ કરવા ગયા અને ત્યાંના લોકોને માર મારવા લાગ્યા



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.