Bhavnagar : પોલીસ મફતમાં સામાન લઈ જાય! રોષે ભરાયેલા લોકો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-18 15:20:41

પોલીસની દાદાગીરીના વીડિયો અનેક વખત તમે જોયા હશે. પોલીસની કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠે છે ત્યારે આજે એવો કિસ્સો તમને જણાવો છે જ્યાં પોલીસ દ્વારા વેપારી સાથે ખરાબ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે. આ વાક્ય વાંચ્યા પછી તમે કહેશો આ તકલીફ રોજની છે. ત્યારે ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસ મફતની વસ્તુઓ વેપારીઓ પાસેથી લૂંટીને લઈ જાય છે! એક એવો વીડિયો ભાવનગરના સિહોરથી એક ઘટના, એક વીડિયો સામે આવ્યો છે જેમાં વેપારી સાથે ઉદ્ધડ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે.  

લોકો પર પોલીસે કરી દાદાગીરી

ભાવનગરના સિહોરથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસ પર અનેક સવાલો ઉભા થાય છે. થોડા સમય પહેલા અમારા સુધી એક વીડિયો પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા અમુક લોકો સામે દાદાગીરી અને ઉદ્ધડ વ્યવહાર કરવામાં આવ્યો હતો જેને લઈને સિહોરની જનતામાં ભારે રોષ છે. પોલીસ સામે સવાલ ઉઠ્યો છે. પોલીસ દ્વારા મફતમાં દુકાનદારો પાસે લૂંટફાટ મચાવવામાં આવે છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે  સિહોરની જનતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે ભેગી થઈ હતી. 


મફતમાં પોલીસ લઈ જાય છે વેપારીઓનો સામાન!    

પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે જે વિડિયો વાયરલ થયો હતો જેમાં ટાણા રોડ પર આવેલી ભવાની દુકાન પરથી પોલીસ અવારનવાર મફતમાં ચીજ વસ્તુઓ લઈ રહી છે જેને લઈને વેપારીઓનું કહેવું છે કે રોજનું લાવીને રોજ ખાતા હોય છે અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે તેવામાં પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે જેના કારણે ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે. જ્યારે તે દુકાનદારોએ આવું કહ્યું ત્યારે પોલીસનો ઇગો હટ થઈ ગયો અને પછી તે દુકાનો બંધ કરવા ગયા અને ત્યાંના લોકોને માર મારવા લાગ્યા



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.