India-Pakistan મેચને લઈ ભડક્યા Bhavnagarના યુવરાજ જયવીરરાજસિંહ, સાંભળો શહીદોને યાદ કરતા તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-14 13:16:32

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદમાં મેચ યોજાવાની છે. મેચને લઈ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેન્સની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યારે ટ્વિટર પર બોયકોટ Ind-Pak મેચ ટ્રેન્ડ થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે આ મેચને લઈ વિરોધ દર્શાવ્યો છે. મેચનો વિરોધ કરતા ભાવનગરના યુવરાજે કહ્યું કે, હું મારા સાથી દેશના પુરુષો અને સ્ત્રીઓના દંભને સમજી શકતો નથી. જેઓ તેમની અનુકૂળતા મુજબ રાષ્ટ્રવાદની ધૂન પર નાચે છે અને ભૂમિના શહીદો, તેમજ તેમના બલિદાનને ખૂબ જ સરળતાથી ભૂલી જાય છે.

પાકિસ્તાની ટીમના સ્વાગતનો કર્યો હતો વિરોધ  

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની મેચ યોજાવાની છે. થોડા કલાકો બાદ બંને ટીમો ક્રિકેટના મેદાનમાં એકબીજાને ફેસ કરતી હશે. મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અનેક હસ્તીઓ, એવા લોકો એવા પણ છે જે આ મેચનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાની ટીમ જ્યારે અમદાવાદ આવી ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે વખતે પણ અનેક લોકોએ આનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા અનેક વખત હુમલો કરવામાં આવે છે જેને કારણે અનેક જવાનો શહીદ થાય છે. પાકિસ્તાની ટીમનું સ્વાગત ન થવું જોઈએ તેવો વિરોધ કરવામાં આવ્યો છે. 



ભાવનગરના યુવરાજે મેચનો કર્યો વિરોધ 

ત્યારે મેચને લઈ ભાવનગરના યુવરાજસિંહે નિવેદન આપ્યું છે. આ મેચનો તેમણે વિરોધ કર્યો છે. પોતાના અભિપ્રાય આપતા યુવરાજે કહ્યું કે, દુશ્મન દેશ સાથે મનોરંજન માટે આવી મેચ યોજાવી ન જોઈએ. ખરેખર તો પાકિસ્તાનીઓને આપણી માતૃભૂમિમાં પ્રવેશવાની મનાઈ હોવી જોઈએ. BCCI દ્વારા મેચ યોજાઇ રહી છે ત્યારે શહીદોના પરિવારોને તેમના દ્વારા કયા મોઢે જવાબ આપી શકાશે?  

આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કર્યો હતો વિરોધ 

યુવરાજ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક દ્વારા પણ આ મેચનો વિરોધ કરવામાં આવ્યો છે. એવો મેસેજ સામે આવ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તમારી ક્રિકેટ ટીમને ઘરે બેસીને પણ ચિયર્શ અપ કરી શકો છો. આપણા ગ્રાઉન્ડ પર મેચ નાં જોવાથી દુનિયા આખામાં મેસેજ જશે કે આપણા દેશ અને સૈનિકોની સુરક્ષા અને સાર્વભૌમત્વનાં બાબતે આપણે ગંભીર છીએ કે નહી? ત્યાં બોર્ડર પર દેશ નાં જવાનો વ્યક્તિગત દુશ્મની નિભાવવા ખડે પગે નથી ઉભા પણ તમારાં આત્મસન્માન અને સુરક્ષા માટે બલિદાન આપવા ઉભા રહે છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેચ યોજાશે તો મેદાનની પીચ ખોદી નાખીશું.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી