India-Pakistan મેચને લઈ ભડક્યા Bhavnagarના યુવરાજ જયવીરરાજસિંહ, સાંભળો શહીદોને યાદ કરતા તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-14 13:16:32

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદમાં મેચ યોજાવાની છે. મેચને લઈ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેન્સની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યારે ટ્વિટર પર બોયકોટ Ind-Pak મેચ ટ્રેન્ડ થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે આ મેચને લઈ વિરોધ દર્શાવ્યો છે. મેચનો વિરોધ કરતા ભાવનગરના યુવરાજે કહ્યું કે, હું મારા સાથી દેશના પુરુષો અને સ્ત્રીઓના દંભને સમજી શકતો નથી. જેઓ તેમની અનુકૂળતા મુજબ રાષ્ટ્રવાદની ધૂન પર નાચે છે અને ભૂમિના શહીદો, તેમજ તેમના બલિદાનને ખૂબ જ સરળતાથી ભૂલી જાય છે.

પાકિસ્તાની ટીમના સ્વાગતનો કર્યો હતો વિરોધ  

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની મેચ યોજાવાની છે. થોડા કલાકો બાદ બંને ટીમો ક્રિકેટના મેદાનમાં એકબીજાને ફેસ કરતી હશે. મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અનેક હસ્તીઓ, એવા લોકો એવા પણ છે જે આ મેચનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાની ટીમ જ્યારે અમદાવાદ આવી ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે વખતે પણ અનેક લોકોએ આનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા અનેક વખત હુમલો કરવામાં આવે છે જેને કારણે અનેક જવાનો શહીદ થાય છે. પાકિસ્તાની ટીમનું સ્વાગત ન થવું જોઈએ તેવો વિરોધ કરવામાં આવ્યો છે. 



ભાવનગરના યુવરાજે મેચનો કર્યો વિરોધ 

ત્યારે મેચને લઈ ભાવનગરના યુવરાજસિંહે નિવેદન આપ્યું છે. આ મેચનો તેમણે વિરોધ કર્યો છે. પોતાના અભિપ્રાય આપતા યુવરાજે કહ્યું કે, દુશ્મન દેશ સાથે મનોરંજન માટે આવી મેચ યોજાવી ન જોઈએ. ખરેખર તો પાકિસ્તાનીઓને આપણી માતૃભૂમિમાં પ્રવેશવાની મનાઈ હોવી જોઈએ. BCCI દ્વારા મેચ યોજાઇ રહી છે ત્યારે શહીદોના પરિવારોને તેમના દ્વારા કયા મોઢે જવાબ આપી શકાશે?  

આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કર્યો હતો વિરોધ 

યુવરાજ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક દ્વારા પણ આ મેચનો વિરોધ કરવામાં આવ્યો છે. એવો મેસેજ સામે આવ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તમારી ક્રિકેટ ટીમને ઘરે બેસીને પણ ચિયર્શ અપ કરી શકો છો. આપણા ગ્રાઉન્ડ પર મેચ નાં જોવાથી દુનિયા આખામાં મેસેજ જશે કે આપણા દેશ અને સૈનિકોની સુરક્ષા અને સાર્વભૌમત્વનાં બાબતે આપણે ગંભીર છીએ કે નહી? ત્યાં બોર્ડર પર દેશ નાં જવાનો વ્યક્તિગત દુશ્મની નિભાવવા ખડે પગે નથી ઉભા પણ તમારાં આત્મસન્માન અને સુરક્ષા માટે બલિદાન આપવા ઉભા રહે છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેચ યોજાશે તો મેદાનની પીચ ખોદી નાખીશું.  




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.