ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર SOGએ યુવરાજસિંહને ફટકાર્યું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-18 20:38:46

ડમી રાઇટર કાંડ મામલે ભાવનગર પોલીસે મોટી કાર્યવાહી કરતા યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. ભાવનગર SOGએ યુવરાજસિંહને આવતીકાલે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર થવું પડશે, તેમજ ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે. ડમી રાઇટર કાંડમાં યુવરાજસિંહ પર નાણાકીય વ્યવહાર કરવાનો આક્ષેપ છે. આ કેસમાં કોણે-કોણે નાણાકીય વ્યવહાર કર્યા છે તેની હાલ તપાસ ચાલી રહી છે.  


યુવરાજસિંહને સમન્સ શા માટે?

 

ડમી રાઇટર કાંડ મામલે બિપિન ત્રિવેદીની એક વ્યક્તિએ એક વીડિયો વાયરલ કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે મોટી રકમ લીધી છે. આ ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 55 લાખમાં આ ડીલ થઈ હતી. આ પેમેન્ટ જુદા-જુદા ત્રણ તબક્કામાં થયું હતું. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.' આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા.


ભાવનગર પોલીસની SITએ આરંભી તપાસ


ડમી કાંડમાં તપાસનો રેલો ભાવનગર પહોંચતા ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે  SITની રચના કરી હતી. અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ બાદ વધુ બે આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. કરાઈમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ડમી કાંડ મામલે પોલીસે 36 આરોપી સામે FIR નોંધી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.