કચ્છીઓની લાગણી સાથે જોડાયેલું હમીરસર તળાવ થયું ઓવરફ્લો, કચ્છીઓમાં વ્યાપી ઉઠી ખુશીની લહેર, નગરશેઠ કરશે પાણીના વધામણા


  • Published By :
  • Published Date : 2023-07-09 18:26:07

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે. જેને લઈ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. અનેક ડેમોના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. ત્યારે ચોમાસાની શરૂઆત થતાં જે ક્ષણની કચ્છીઓ રાહ જોતા હોય છે તે ક્ષણ રવિવાર બપોરે આવી ગઈ છે. જે તળાવ સાથે કચ્છીઓની લાગણી જોડાયેલી છે તેવો હમીરસર તળાવ પાણીથી છલોછલ છલકાઈ ગયો છે. કચ્છનો તળાવ છલાકાતા કચ્છીઓમાં વિશેષ પ્રકારની લાગણી જોવા મળતી હોય છે, તળાવ ઓવરફ્લો થતાં તેઓ  માને છે કે ખરા અર્થમાં મેઘરાજા કચ્છ પર મહેરબાન થયા છે.

 


છલોછલ ભરાયેલા તળાવને જોવા લોકો ઉમટ્યા!

સમગ્ર રાજ્યમાં વરસાદે સારી એવી પધરામણી કરી છે. અનેક જિલ્લાઓમાં અનેક ટકા વરસાદ ચોમાસાની શરૂઆત થતાં જ વરસી ગયો હતો. હજી સુધી વરસેલા વરસાદને કારણે ભુજમાં સરેરાશ વાર્ષિક વરસાદના 144 ટકા વરસાદ વરસી ગયો છે.  સારો એવો વરસાદ થતાં હમીરસર તળાવ ફરી છલકાતું થયું છે. પાણીથી છલોછલ થયેલા તળાવને જોવા કચ્છવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. તળાવમાં છલકાતા પાણીના દર્શન કરી કચ્છવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


ઐતિહાસિક તળાવ સાથે જોડાયેલી છે કચ્છીઓની લાગણી 

હમીરસર તળાવને કચ્છી માત્ર તળાવ નથી માનતા પરંતુ તેની તળાવ સાથે સદીઓની લાગણીઓ જોડાયેલી છે. સદીઓ પહેલા રાજવી રાવ ખેંગારજીએ આ તળાવ બંધાવ્યું હતું. પિતાની યાદમાં તેમણે તળાવનું નામ રાવ હમીરજીના નામ રાખ્યું હતું. સદીઓ પહેલા બનેલા આ તળાવે પણ કચ્છીનો સાથ નથી છોડ્યો. તળાવે કચ્છના લોકોને પાણી પૂરૂં પાડ્યું છે.  આ ઐતિહાસિક તળાવની સાથે માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાભરના લોકોની લાગણીઓ જોડાયેલી છે. એવું પણ કહેવાય છે કે કચ્છી ભલેને દુનિયાના કોઈપણ ખૂણે વસતો હોય પરંતુ જ્યારે તળાવ પાણીથી છલકાય ત્યારે તે ઘરે કંસાર બનાવી પાણીના વધામણા કરે છે.  


કચ્છની સરકારી કચેરીમાં આવતી કાલે રહેશે રજા 

ચોમાસાની શરૂઆત થાય ત્યારથી કચ્છીઓ હમીરસર તળાવ છલકાય તેની રાહ જોતા હોય છે. ગમે તે મહિનો કેમ ન ચાલતો હોય પરંતુ જ્યારે તળાવમાં પાણી છલકાય તે દિવસને તેઓ દિવાળીની જેમ ઉજવે છે. પહેલા એટલે કે રાજાના સમયમાં રાજવી પરિવાર તળાવના કિનારે આવી પાણીના વધામણા કરતા હતા પરંતુ સમય બદલાયો એટલે હવે પાણીના વધામણા નગરપાલિકાના પ્રમુખ કરે છે. શાસ્ત્રોક્ત વિધીથી પાણીને આવકારવામાં આવે છે. આ તળાવ છલકાય તેના બીજા દિવસે સમગ્ર કચ્છની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.