કચ્છીઓની લાગણી સાથે જોડાયેલું હમીરસર તળાવ થયું ઓવરફ્લો, કચ્છીઓમાં વ્યાપી ઉઠી ખુશીની લહેર, નગરશેઠ કરશે પાણીના વધામણા


  • Published By :
  • Published Date : 2023-07-09 18:26:07

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે. જેને લઈ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. અનેક ડેમોના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. ત્યારે ચોમાસાની શરૂઆત થતાં જે ક્ષણની કચ્છીઓ રાહ જોતા હોય છે તે ક્ષણ રવિવાર બપોરે આવી ગઈ છે. જે તળાવ સાથે કચ્છીઓની લાગણી જોડાયેલી છે તેવો હમીરસર તળાવ પાણીથી છલોછલ છલકાઈ ગયો છે. કચ્છનો તળાવ છલાકાતા કચ્છીઓમાં વિશેષ પ્રકારની લાગણી જોવા મળતી હોય છે, તળાવ ઓવરફ્લો થતાં તેઓ  માને છે કે ખરા અર્થમાં મેઘરાજા કચ્છ પર મહેરબાન થયા છે.

 


છલોછલ ભરાયેલા તળાવને જોવા લોકો ઉમટ્યા!

સમગ્ર રાજ્યમાં વરસાદે સારી એવી પધરામણી કરી છે. અનેક જિલ્લાઓમાં અનેક ટકા વરસાદ ચોમાસાની શરૂઆત થતાં જ વરસી ગયો હતો. હજી સુધી વરસેલા વરસાદને કારણે ભુજમાં સરેરાશ વાર્ષિક વરસાદના 144 ટકા વરસાદ વરસી ગયો છે.  સારો એવો વરસાદ થતાં હમીરસર તળાવ ફરી છલકાતું થયું છે. પાણીથી છલોછલ થયેલા તળાવને જોવા કચ્છવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. તળાવમાં છલકાતા પાણીના દર્શન કરી કચ્છવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


ઐતિહાસિક તળાવ સાથે જોડાયેલી છે કચ્છીઓની લાગણી 

હમીરસર તળાવને કચ્છી માત્ર તળાવ નથી માનતા પરંતુ તેની તળાવ સાથે સદીઓની લાગણીઓ જોડાયેલી છે. સદીઓ પહેલા રાજવી રાવ ખેંગારજીએ આ તળાવ બંધાવ્યું હતું. પિતાની યાદમાં તેમણે તળાવનું નામ રાવ હમીરજીના નામ રાખ્યું હતું. સદીઓ પહેલા બનેલા આ તળાવે પણ કચ્છીનો સાથ નથી છોડ્યો. તળાવે કચ્છના લોકોને પાણી પૂરૂં પાડ્યું છે.  આ ઐતિહાસિક તળાવની સાથે માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાભરના લોકોની લાગણીઓ જોડાયેલી છે. એવું પણ કહેવાય છે કે કચ્છી ભલેને દુનિયાના કોઈપણ ખૂણે વસતો હોય પરંતુ જ્યારે તળાવ પાણીથી છલકાય ત્યારે તે ઘરે કંસાર બનાવી પાણીના વધામણા કરે છે.  


કચ્છની સરકારી કચેરીમાં આવતી કાલે રહેશે રજા 

ચોમાસાની શરૂઆત થાય ત્યારથી કચ્છીઓ હમીરસર તળાવ છલકાય તેની રાહ જોતા હોય છે. ગમે તે મહિનો કેમ ન ચાલતો હોય પરંતુ જ્યારે તળાવમાં પાણી છલકાય તે દિવસને તેઓ દિવાળીની જેમ ઉજવે છે. પહેલા એટલે કે રાજાના સમયમાં રાજવી પરિવાર તળાવના કિનારે આવી પાણીના વધામણા કરતા હતા પરંતુ સમય બદલાયો એટલે હવે પાણીના વધામણા નગરપાલિકાના પ્રમુખ કરે છે. શાસ્ત્રોક્ત વિધીથી પાણીને આવકારવામાં આવે છે. આ તળાવ છલકાય તેના બીજા દિવસે સમગ્ર કચ્છની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.