કચ્છીઓની લાગણી સાથે જોડાયેલું હમીરસર તળાવ થયું ઓવરફ્લો, કચ્છીઓમાં વ્યાપી ઉઠી ખુશીની લહેર, નગરશેઠ કરશે પાણીના વધામણા


  • Published By :
  • Published Date : 2023-07-09 18:26:07

ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને કારણે પાણીની સારી આવક થઈ છે. જેને લઈ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. અનેક ડેમોના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. ત્યારે ચોમાસાની શરૂઆત થતાં જે ક્ષણની કચ્છીઓ રાહ જોતા હોય છે તે ક્ષણ રવિવાર બપોરે આવી ગઈ છે. જે તળાવ સાથે કચ્છીઓની લાગણી જોડાયેલી છે તેવો હમીરસર તળાવ પાણીથી છલોછલ છલકાઈ ગયો છે. કચ્છનો તળાવ છલાકાતા કચ્છીઓમાં વિશેષ પ્રકારની લાગણી જોવા મળતી હોય છે, તળાવ ઓવરફ્લો થતાં તેઓ  માને છે કે ખરા અર્થમાં મેઘરાજા કચ્છ પર મહેરબાન થયા છે.

 


છલોછલ ભરાયેલા તળાવને જોવા લોકો ઉમટ્યા!

સમગ્ર રાજ્યમાં વરસાદે સારી એવી પધરામણી કરી છે. અનેક જિલ્લાઓમાં અનેક ટકા વરસાદ ચોમાસાની શરૂઆત થતાં જ વરસી ગયો હતો. હજી સુધી વરસેલા વરસાદને કારણે ભુજમાં સરેરાશ વાર્ષિક વરસાદના 144 ટકા વરસાદ વરસી ગયો છે.  સારો એવો વરસાદ થતાં હમીરસર તળાવ ફરી છલકાતું થયું છે. પાણીથી છલોછલ થયેલા તળાવને જોવા કચ્છવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. તળાવમાં છલકાતા પાણીના દર્શન કરી કચ્છવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


ઐતિહાસિક તળાવ સાથે જોડાયેલી છે કચ્છીઓની લાગણી 

હમીરસર તળાવને કચ્છી માત્ર તળાવ નથી માનતા પરંતુ તેની તળાવ સાથે સદીઓની લાગણીઓ જોડાયેલી છે. સદીઓ પહેલા રાજવી રાવ ખેંગારજીએ આ તળાવ બંધાવ્યું હતું. પિતાની યાદમાં તેમણે તળાવનું નામ રાવ હમીરજીના નામ રાખ્યું હતું. સદીઓ પહેલા બનેલા આ તળાવે પણ કચ્છીનો સાથ નથી છોડ્યો. તળાવે કચ્છના લોકોને પાણી પૂરૂં પાડ્યું છે.  આ ઐતિહાસિક તળાવની સાથે માત્ર ભુજ જ નહીં પરંતુ જિલ્લાભરના લોકોની લાગણીઓ જોડાયેલી છે. એવું પણ કહેવાય છે કે કચ્છી ભલેને દુનિયાના કોઈપણ ખૂણે વસતો હોય પરંતુ જ્યારે તળાવ પાણીથી છલકાય ત્યારે તે ઘરે કંસાર બનાવી પાણીના વધામણા કરે છે.  


કચ્છની સરકારી કચેરીમાં આવતી કાલે રહેશે રજા 

ચોમાસાની શરૂઆત થાય ત્યારથી કચ્છીઓ હમીરસર તળાવ છલકાય તેની રાહ જોતા હોય છે. ગમે તે મહિનો કેમ ન ચાલતો હોય પરંતુ જ્યારે તળાવમાં પાણી છલકાય તે દિવસને તેઓ દિવાળીની જેમ ઉજવે છે. પહેલા એટલે કે રાજાના સમયમાં રાજવી પરિવાર તળાવના કિનારે આવી પાણીના વધામણા કરતા હતા પરંતુ સમય બદલાયો એટલે હવે પાણીના વધામણા નગરપાલિકાના પ્રમુખ કરે છે. શાસ્ત્રોક્ત વિધીથી પાણીને આવકારવામાં આવે છે. આ તળાવ છલકાય તેના બીજા દિવસે સમગ્ર કચ્છની સરકારી કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.