Bhupat Bhayani ભાજપમાં જઈ થશે પવિત્ર! આ તારીખે C.R.Patil અને મુખ્યમંત્રીની હાજરીમાં કરશે કેસરિયો ધારણ


  • Published By :
  • Published Date : 2024-01-17 15:43:36

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે. ગઈકાલે જ કોંગ્રેસના 2 હજાર જેટલા કાર્યકર્તાઓ, નેતાઓએ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રીની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. રાજકોટ કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ જોવા મળ્યું હતું. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. આમ આદમી પાર્ટી સાથેનો છેડો પણ ફાડી દીધો હતો ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 3જી ફ્રેબ્રુઆરીએ ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરવાના છે. 

ભાજપમાં જોડાવની વાત અફવા છે: ભૂપત ભયાણી | Bhupat Bhaani termed the talk of  joining BJP as a rumour

3જી ફ્રેબુઆરીએ ભૂપત ભાયાણી જોડાશે ભાજપમાં 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. તેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટ બીજેપીના ફાળે ગઈ છે. 156 મેળવ્યા બાદ પણ જાણે ભાજપને શાંતી નથી તેવું માનવામાં આવી રહ્યું છે! બે ધારાસભ્યએ તો પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું જે બાદ એવું માનવામાં આવતું હતું કે ગમે ત્યારે બંને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ગઈકાલે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે લાગતું હતું કે ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ તેવું ન થયું. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 3 ફ્રેબુઆરીએ તે ભાજપમાં જોડાવાના છે. ભૂપત ભાયાણી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરવાના છે. 


અપક્ષના ધારાસભ્ય પણ ગમે ત્યારે આપી શકે છે રાજીનામું 

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ સીટો હાંસલ કરી હતી. આપે તે પાંચેય ધારાસભ્યને પાંડવ ગણાવ્યા હતા ત્યારે પાંચમાંથી એક ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી વાતો ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભાજપમાં તે જોડાઈ શકે છે. ત્યારે 3જી ફ્રેબુઆરીએ તે ભાજપના થવાના છે. ભૂપત ભાયાણીએ આ અંગે જણાવ્યું છે કે, વિસાવદર બેઠક પર ભાજપમાંથી હું જ ચૂંટણી લડીશ. ચૂંટણી લડવાના કમિટમેન્ટ સાથે જ હું ભાજપમાં જોડાયો હતો. 3 ફેબ્રુઆરીએ જંગી સભાનું વિસાવદર ખાતે આયોજન કરાયું છે. મારી સાથે 2 હજાર જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. એવી પણ અટકળો ચાલી રહી છે કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ક્યારે ભાજપમાં જોડાવાના છે.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે