Ayodhya પહોંચ્યા Bhupendra Patel, CMએ લીધા રામલલ્લાના આશીર્વાદ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-11-25 16:02:10

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યાના પ્રવાસે છે. રામલલ્લાના દર્શન કરવા માટે સીએમ અયોધ્યા પહોંચ્યા હતા. રામ લલ્લાની મૂર્તિ થોડા સમય બાદ મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે પરંતુ તેની પહેલા મંદિરના દર્શને, એ સ્થળ જ્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યાંના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ રામલલ્લાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ હનુમાન દાદાના પણ દર્શન કર્યા છે.

અયોધ્યા પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  

થોડા દિવસો બાદ એ ક્ષણ આવવાની છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આતુરતાથી લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. માહિતી અનુસાર પીએમ મોદી રામલલ્લાની મૂર્તિને પ્રસ્થાપિત કરશે. ટાઈમ અને તારીખ આવી ગયા છે માત્ર એ દિવસની પ્રતિક્ષા થઈ રહી છે. મંદિરમાં ભગવાન જાય તે પહેલા ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે