Ayodhya પહોંચ્યા Bhupendra Patel, CMએ લીધા રામલલ્લાના આશીર્વાદ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-11-25 16:02:10

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યાના પ્રવાસે છે. રામલલ્લાના દર્શન કરવા માટે સીએમ અયોધ્યા પહોંચ્યા હતા. રામ લલ્લાની મૂર્તિ થોડા સમય બાદ મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે પરંતુ તેની પહેલા મંદિરના દર્શને, એ સ્થળ જ્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યાંના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ રામલલ્લાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ હનુમાન દાદાના પણ દર્શન કર્યા છે.

અયોધ્યા પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  

થોડા દિવસો બાદ એ ક્ષણ આવવાની છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આતુરતાથી લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. માહિતી અનુસાર પીએમ મોદી રામલલ્લાની મૂર્તિને પ્રસ્થાપિત કરશે. ટાઈમ અને તારીખ આવી ગયા છે માત્ર એ દિવસની પ્રતિક્ષા થઈ રહી છે. મંદિરમાં ભગવાન જાય તે પહેલા ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા છે.     



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .