Ayodhya પહોંચ્યા Bhupendra Patel, CMએ લીધા રામલલ્લાના આશીર્વાદ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-11-25 16:02:10

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યાના પ્રવાસે છે. રામલલ્લાના દર્શન કરવા માટે સીએમ અયોધ્યા પહોંચ્યા હતા. રામ લલ્લાની મૂર્તિ થોડા સમય બાદ મંદિરમાં પ્રસ્થાપિત થવાની છે પરંતુ તેની પહેલા મંદિરના દર્શને, એ સ્થળ જ્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે ત્યાંના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો જતા હોય છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી પણ રામલલ્લાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. મુખ્યમંત્રીએ હનુમાન દાદાના પણ દર્શન કર્યા છે.

અયોધ્યા પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  

થોડા દિવસો બાદ એ ક્ષણ આવવાની છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બિરાજમાન થશે. આતુરતાથી લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા છે. માહિતી અનુસાર પીએમ મોદી રામલલ્લાની મૂર્તિને પ્રસ્થાપિત કરશે. ટાઈમ અને તારીખ આવી ગયા છે માત્ર એ દિવસની પ્રતિક્ષા થઈ રહી છે. મંદિરમાં ભગવાન જાય તે પહેલા ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા છે.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.