વાહ રે મંત્રીપદ, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક વર્ષ માટે પ્રધાન બનેલા નેતાઓની સંપત્તી કેટલી વધી? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-21 17:53:02

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદારોને રિઝવવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. આ જીતેલા ઉમેદાવારોમાંથી કેટલાક ભાગ્યશાળી ધારાસભ્યોને પ્રધાન બનવાની તક પણ મળી શકે છે. મંત્રી બનતા અલ્લાદ્દીનના ચિરાગની જેમ તેમની સંપત્તી સામાન્યમાં સામાન્ય બે-ત્રણ ગણી વધી જશે તેવું નિર્વિવાદપણે કહીં શકાય. જેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પહેલી વખત મંત્રી બનેલા કેટલા નેતાઓની સંપત્તી માત્ર એક જ વર્ષમાં અનેકગણી વધી ગઈ છે. વિધાનસભા ચૂંટણી માટે આ નેતાઓના ઉમેદવારી પત્રમાં ઉમેદવારોએ આપેલા સોગંદનામામાં આધારે ઘણી મહત્વની માહિતી મળી રહી છે. જે એફિડેવિટમાં ઘણા ઉમેદવારોએ પોતાની સંપત્તિ કરોડોમાં જાહેર કરી છે. નેતાઓની એફિડેવિટનું વિશ્લેષણ કરતા આ સત્ય બહાર આવ્યું છે. 


કનુભાઈ દેસાઈ- નાણામંત્રી 


ભાજપના નેતા અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2017ની ચૂંટણી દરમિયાન પોતાની સંપત્તિ 4.36 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 8.50 કરોડ જાહેર કરી છે. તેમની સંપત્તિમાં 90% વધુનો વધારો થયો છે.


જીતુ વાઘાણી-શિક્ષણ મંત્રી


રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ તેમની સંપત્તિ 4.39 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 7.39 કરોડ રૂપિયા જાહેર કરી છે. પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં મોટો વધારો નોંધાયો છે.


જીતુ ચૌધરી-પાણી પુરવઠા મંત્રી 


ભાજપના ઉમેદવાર અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીએ 2017ની ચૂંટણી વખતે પોતાની સંપત્તિ 1.12 કરોડ જાહેર કરી હતી. હવે તેમની કુલ સંપત્તિ 1.78 કરોડ છે. તેની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.


કિરીટસિંહ રાણા-વન અને પર્યાવરણ મંત્રી


કિરીટસિંહ રાણા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહે તેમની સંપત્તિ 1.09 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 1.39 કરોડ જાહેર કરી છે. તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે.


વિનુ મોરડિયા-શહેરી બાબતોના રાજ્યમંત્રી


ગુજરાતના શહેરી બાબતોના રાજ્યમંત્રી વિનુભાઈ મોરડિયાએ 2017ની ચૂંટણી વખતે તેમની સંપત્તિ 3.23 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં વિનુભાઈએ તેમની કુલ સંપત્તિ 4.32 કરોડ બતાવી છે.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.