વાહ રે મંત્રીપદ, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક વર્ષ માટે પ્રધાન બનેલા નેતાઓની સંપત્તી કેટલી વધી? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-21 17:53:02

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદારોને રિઝવવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. આ જીતેલા ઉમેદાવારોમાંથી કેટલાક ભાગ્યશાળી ધારાસભ્યોને પ્રધાન બનવાની તક પણ મળી શકે છે. મંત્રી બનતા અલ્લાદ્દીનના ચિરાગની જેમ તેમની સંપત્તી સામાન્યમાં સામાન્ય બે-ત્રણ ગણી વધી જશે તેવું નિર્વિવાદપણે કહીં શકાય. જેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પહેલી વખત મંત્રી બનેલા કેટલા નેતાઓની સંપત્તી માત્ર એક જ વર્ષમાં અનેકગણી વધી ગઈ છે. વિધાનસભા ચૂંટણી માટે આ નેતાઓના ઉમેદવારી પત્રમાં ઉમેદવારોએ આપેલા સોગંદનામામાં આધારે ઘણી મહત્વની માહિતી મળી રહી છે. જે એફિડેવિટમાં ઘણા ઉમેદવારોએ પોતાની સંપત્તિ કરોડોમાં જાહેર કરી છે. નેતાઓની એફિડેવિટનું વિશ્લેષણ કરતા આ સત્ય બહાર આવ્યું છે. 


કનુભાઈ દેસાઈ- નાણામંત્રી 


ભાજપના નેતા અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2017ની ચૂંટણી દરમિયાન પોતાની સંપત્તિ 4.36 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 8.50 કરોડ જાહેર કરી છે. તેમની સંપત્તિમાં 90% વધુનો વધારો થયો છે.


જીતુ વાઘાણી-શિક્ષણ મંત્રી


રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ તેમની સંપત્તિ 4.39 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 7.39 કરોડ રૂપિયા જાહેર કરી છે. પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં મોટો વધારો નોંધાયો છે.


જીતુ ચૌધરી-પાણી પુરવઠા મંત્રી 


ભાજપના ઉમેદવાર અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીએ 2017ની ચૂંટણી વખતે પોતાની સંપત્તિ 1.12 કરોડ જાહેર કરી હતી. હવે તેમની કુલ સંપત્તિ 1.78 કરોડ છે. તેની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.


કિરીટસિંહ રાણા-વન અને પર્યાવરણ મંત્રી


કિરીટસિંહ રાણા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહે તેમની સંપત્તિ 1.09 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 1.39 કરોડ જાહેર કરી છે. તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે.


વિનુ મોરડિયા-શહેરી બાબતોના રાજ્યમંત્રી


ગુજરાતના શહેરી બાબતોના રાજ્યમંત્રી વિનુભાઈ મોરડિયાએ 2017ની ચૂંટણી વખતે તેમની સંપત્તિ 3.23 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં વિનુભાઈએ તેમની કુલ સંપત્તિ 4.32 કરોડ બતાવી છે.




એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.