વાહ રે મંત્રીપદ, ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક વર્ષ માટે પ્રધાન બનેલા નેતાઓની સંપત્તી કેટલી વધી? જાણો


  • Published By :
  • Published Date : 2022-11-21 17:53:02

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મતદારોને રિઝવવા માટે મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. આ જીતેલા ઉમેદાવારોમાંથી કેટલાક ભાગ્યશાળી ધારાસભ્યોને પ્રધાન બનવાની તક પણ મળી શકે છે. મંત્રી બનતા અલ્લાદ્દીનના ચિરાગની જેમ તેમની સંપત્તી સામાન્યમાં સામાન્ય બે-ત્રણ ગણી વધી જશે તેવું નિર્વિવાદપણે કહીં શકાય. જેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પહેલી વખત મંત્રી બનેલા કેટલા નેતાઓની સંપત્તી માત્ર એક જ વર્ષમાં અનેકગણી વધી ગઈ છે. વિધાનસભા ચૂંટણી માટે આ નેતાઓના ઉમેદવારી પત્રમાં ઉમેદવારોએ આપેલા સોગંદનામામાં આધારે ઘણી મહત્વની માહિતી મળી રહી છે. જે એફિડેવિટમાં ઘણા ઉમેદવારોએ પોતાની સંપત્તિ કરોડોમાં જાહેર કરી છે. નેતાઓની એફિડેવિટનું વિશ્લેષણ કરતા આ સત્ય બહાર આવ્યું છે. 


કનુભાઈ દેસાઈ- નાણામંત્રી 


ભાજપના નેતા અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 2017ની ચૂંટણી દરમિયાન પોતાની સંપત્તિ 4.36 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 8.50 કરોડ જાહેર કરી છે. તેમની સંપત્તિમાં 90% વધુનો વધારો થયો છે.


જીતુ વાઘાણી-શિક્ષણ મંત્રી


રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીએ તેમની સંપત્તિ 4.39 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 7.39 કરોડ રૂપિયા જાહેર કરી છે. પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં મોટો વધારો નોંધાયો છે.


જીતુ ચૌધરી-પાણી પુરવઠા મંત્રી 


ભાજપના ઉમેદવાર અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીએ 2017ની ચૂંટણી વખતે પોતાની સંપત્તિ 1.12 કરોડ જાહેર કરી હતી. હવે તેમની કુલ સંપત્તિ 1.78 કરોડ છે. તેની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.


કિરીટસિંહ રાણા-વન અને પર્યાવરણ મંત્રી


કિરીટસિંહ રાણા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહે તેમની સંપત્તિ 1.09 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં તેમણે પોતાની કુલ સંપત્તિ 1.39 કરોડ જાહેર કરી છે. તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે.


વિનુ મોરડિયા-શહેરી બાબતોના રાજ્યમંત્રી


ગુજરાતના શહેરી બાબતોના રાજ્યમંત્રી વિનુભાઈ મોરડિયાએ 2017ની ચૂંટણી વખતે તેમની સંપત્તિ 3.23 કરોડ જાહેર કરી હતી. આ ચૂંટણીમાં વિનુભાઈએ તેમની કુલ સંપત્તિ 4.32 કરોડ બતાવી છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .