અરવલ્લીના ધોલવાણી ગામમાં 35 વર્ષીય ભુવાજી સાગર દેસાઇનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-11 15:19:37

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસમાં જબદસ્ત ઉછાળો આવ્યો છે, લગભગ દરરોજ હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે. તેમાં પણ નાની વયના કિશોરો અને યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ભુવાજી તરીકે જાણીતા 35 વર્ષીય સાગર દેસાઇનું હૃદય રોગનો હુમલો થવાની મોત નીપજ્યું છે. મળતી જાણકારી મુજબ અરવલ્લીના મોડાસાના ધોલવાણી ગામનો 35 વર્ષીય સાગર દેસાઈ ભુવાજી તરીકે પણ જાણીતા હતા. તેઓ ઘરે હતા ત્યારે તેમને સ્વાસ્થ્ય સારુ ન હોવાનું જણાયું હતું એક વખત તો તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં તાત્કાલિક  તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જો કે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ભુવાજી તરીકે જાણીતા સાગર દેસાઈના અચાનક મોતથી તેમના પરિવાર અને રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. ભુવાજીના પાર્થિવ દેહનો તેમના વતનના ગામ ધોલવાણીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.


સરકારે જાહેર કરી ગાઈડલાઈન


ઉલ્લેખનિય છે કે જે રીતે હાર્ટ એેટેકના કિસ્સા વધી રહ્યા છે તેનાથી સરકાર પણ ચિંતિંત છે. સરકારે નવરાત્રિમાં ખૈલૈયાઓનું સુરક્ષા માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.  રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકનાં કિસ્સાને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈનન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગે ગરબા આયોજકોએ ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તથા તબીબ સુવિધા સ્ટેન્ડ બાય રાખવાની સુચના આપી છે. ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગે જાણ કરવી પડશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.