અરવલ્લીના ધોલવાણી ગામમાં 35 વર્ષીય ભુવાજી સાગર દેસાઇનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-11 15:19:37

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસમાં જબદસ્ત ઉછાળો આવ્યો છે, લગભગ દરરોજ હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે. તેમાં પણ નાની વયના કિશોરો અને યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ભુવાજી તરીકે જાણીતા 35 વર્ષીય સાગર દેસાઇનું હૃદય રોગનો હુમલો થવાની મોત નીપજ્યું છે. મળતી જાણકારી મુજબ અરવલ્લીના મોડાસાના ધોલવાણી ગામનો 35 વર્ષીય સાગર દેસાઈ ભુવાજી તરીકે પણ જાણીતા હતા. તેઓ ઘરે હતા ત્યારે તેમને સ્વાસ્થ્ય સારુ ન હોવાનું જણાયું હતું એક વખત તો તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં તાત્કાલિક  તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જો કે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ભુવાજી તરીકે જાણીતા સાગર દેસાઈના અચાનક મોતથી તેમના પરિવાર અને રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. ભુવાજીના પાર્થિવ દેહનો તેમના વતનના ગામ ધોલવાણીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.


સરકારે જાહેર કરી ગાઈડલાઈન


ઉલ્લેખનિય છે કે જે રીતે હાર્ટ એેટેકના કિસ્સા વધી રહ્યા છે તેનાથી સરકાર પણ ચિંતિંત છે. સરકારે નવરાત્રિમાં ખૈલૈયાઓનું સુરક્ષા માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.  રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકનાં કિસ્સાને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈનન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગે ગરબા આયોજકોએ ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તથા તબીબ સુવિધા સ્ટેન્ડ બાય રાખવાની સુચના આપી છે. ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગે જાણ કરવી પડશે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.