અરવલ્લીના ધોલવાણી ગામમાં 35 વર્ષીય ભુવાજી સાગર દેસાઇનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-11 15:19:37

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસમાં જબદસ્ત ઉછાળો આવ્યો છે, લગભગ દરરોજ હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે. તેમાં પણ નાની વયના કિશોરો અને યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ભુવાજી તરીકે જાણીતા 35 વર્ષીય સાગર દેસાઇનું હૃદય રોગનો હુમલો થવાની મોત નીપજ્યું છે. મળતી જાણકારી મુજબ અરવલ્લીના મોડાસાના ધોલવાણી ગામનો 35 વર્ષીય સાગર દેસાઈ ભુવાજી તરીકે પણ જાણીતા હતા. તેઓ ઘરે હતા ત્યારે તેમને સ્વાસ્થ્ય સારુ ન હોવાનું જણાયું હતું એક વખત તો તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં તાત્કાલિક  તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જો કે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ભુવાજી તરીકે જાણીતા સાગર દેસાઈના અચાનક મોતથી તેમના પરિવાર અને રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. ભુવાજીના પાર્થિવ દેહનો તેમના વતનના ગામ ધોલવાણીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.


સરકારે જાહેર કરી ગાઈડલાઈન


ઉલ્લેખનિય છે કે જે રીતે હાર્ટ એેટેકના કિસ્સા વધી રહ્યા છે તેનાથી સરકાર પણ ચિંતિંત છે. સરકારે નવરાત્રિમાં ખૈલૈયાઓનું સુરક્ષા માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.  રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકનાં કિસ્સાને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈનન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગે ગરબા આયોજકોએ ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તથા તબીબ સુવિધા સ્ટેન્ડ બાય રાખવાની સુચના આપી છે. ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગે જાણ કરવી પડશે. 



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.