ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Vivo સામે મોટી કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં ત્રણ અધિકારીઓની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-24 17:04:34

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Vivo Indiaના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. વીવો વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, Vivo Indiaના વચગાળાના CEO હોંગ ઝુક્વાન ઉર્ફે ટેરી, મુખ્ય નાણાકીય અધિકારી (CFO) હરિન્દર દહિયા અને સલાહકાર હેમંત મુંજાલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.


Vivoનું શું કહેવું છે?


Vivo અધિકારીઓની ધરપકડ અંગે કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે અમે Vivo અધિકારીઓ સામે થયેલી વર્તમાન કાર્યવાહીથી ખૂબ જ ચિંતિત છીએ. તાજેતરના સમયમાં વિવોના અધિકારીઓની વારંવાર ધરપકડ એ જુલમની નિશાની છે. કંપનીનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહીથી બિઝનેસના વાતાવરણમાં અનિશ્ચિતતાની લાગણી પેદા થશે. વિવોના જણાવ્યા અનુસાર, તેઓ આ મામલે તમામ કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે.


અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી


અગાઉ પણ આવા જ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં મોબાઈલ કંપની લાવા ઈન્ટરનેશનલના એમડી હરિઓમ રાય, ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન ગર્ગ અને રાજન મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે આ તમામ લોકો હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. EDએ આ ચારેય વિરુદ્ધ દિલ્હીની વિશેષ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે