ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Vivo સામે મોટી કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં ત્રણ અધિકારીઓની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-24 17:04:34

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Vivo Indiaના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. વીવો વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, Vivo Indiaના વચગાળાના CEO હોંગ ઝુક્વાન ઉર્ફે ટેરી, મુખ્ય નાણાકીય અધિકારી (CFO) હરિન્દર દહિયા અને સલાહકાર હેમંત મુંજાલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.


Vivoનું શું કહેવું છે?


Vivo અધિકારીઓની ધરપકડ અંગે કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે અમે Vivo અધિકારીઓ સામે થયેલી વર્તમાન કાર્યવાહીથી ખૂબ જ ચિંતિત છીએ. તાજેતરના સમયમાં વિવોના અધિકારીઓની વારંવાર ધરપકડ એ જુલમની નિશાની છે. કંપનીનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહીથી બિઝનેસના વાતાવરણમાં અનિશ્ચિતતાની લાગણી પેદા થશે. વિવોના જણાવ્યા અનુસાર, તેઓ આ મામલે તમામ કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે.


અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી


અગાઉ પણ આવા જ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં મોબાઈલ કંપની લાવા ઈન્ટરનેશનલના એમડી હરિઓમ રાય, ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન ગર્ગ અને રાજન મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે આ તમામ લોકો હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. EDએ આ ચારેય વિરુદ્ધ દિલ્હીની વિશેષ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.