ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Vivo સામે મોટી કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં ત્રણ અધિકારીઓની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-24 17:04:34

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Vivo Indiaના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. વીવો વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, Vivo Indiaના વચગાળાના CEO હોંગ ઝુક્વાન ઉર્ફે ટેરી, મુખ્ય નાણાકીય અધિકારી (CFO) હરિન્દર દહિયા અને સલાહકાર હેમંત મુંજાલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.


Vivoનું શું કહેવું છે?


Vivo અધિકારીઓની ધરપકડ અંગે કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે અમે Vivo અધિકારીઓ સામે થયેલી વર્તમાન કાર્યવાહીથી ખૂબ જ ચિંતિત છીએ. તાજેતરના સમયમાં વિવોના અધિકારીઓની વારંવાર ધરપકડ એ જુલમની નિશાની છે. કંપનીનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહીથી બિઝનેસના વાતાવરણમાં અનિશ્ચિતતાની લાગણી પેદા થશે. વિવોના જણાવ્યા અનુસાર, તેઓ આ મામલે તમામ કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે.


અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી


અગાઉ પણ આવા જ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં મોબાઈલ કંપની લાવા ઈન્ટરનેશનલના એમડી હરિઓમ રાય, ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન ગર્ગ અને રાજન મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે આ તમામ લોકો હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. EDએ આ ચારેય વિરુદ્ધ દિલ્હીની વિશેષ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.