ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Vivo સામે મોટી કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં ત્રણ અધિકારીઓની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-12-24 17:04:34

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ચાઈનીઝ સ્માર્ટફોન કંપની Vivo Indiaના ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. વીવો વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, Vivo Indiaના વચગાળાના CEO હોંગ ઝુક્વાન ઉર્ફે ટેરી, મુખ્ય નાણાકીય અધિકારી (CFO) હરિન્દર દહિયા અને સલાહકાર હેમંત મુંજાલની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.


Vivoનું શું કહેવું છે?


Vivo અધિકારીઓની ધરપકડ અંગે કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે અમે Vivo અધિકારીઓ સામે થયેલી વર્તમાન કાર્યવાહીથી ખૂબ જ ચિંતિત છીએ. તાજેતરના સમયમાં વિવોના અધિકારીઓની વારંવાર ધરપકડ એ જુલમની નિશાની છે. કંપનીનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહીથી બિઝનેસના વાતાવરણમાં અનિશ્ચિતતાની લાગણી પેદા થશે. વિવોના જણાવ્યા અનુસાર, તેઓ આ મામલે તમામ કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે.


અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી


અગાઉ પણ આવા જ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં મોબાઈલ કંપની લાવા ઈન્ટરનેશનલના એમડી હરિઓમ રાય, ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્ર્યુ કુઆંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિન ગર્ગ અને રાજન મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે આ તમામ લોકો હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. EDએ આ ચારેય વિરુદ્ધ દિલ્હીની વિશેષ PMLA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.