Congressનો મોટો આરોપ, કલોલ તાલુકા પંચાયત સુધી કોંગ્રેસના સભ્યો ન પહોંચી શકે તે માટે પોલીસનો કરાયો દુરૂપયોગ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-13 12:28:41

ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ આવ્યા છે. ઈ- વિધાનસભાનો પ્રારંભ રાષ્ટ્રપતિના હસ્તે થયો છે. એક તરફ રાષ્ટ્રપતિ E-વિધાનસભાનું લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતાઓ લોકશાહીની હત્યા કરાઈ રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તેનું કારણ છે ગાંધીનગરના કલોલમાં બનેલી એક ઘટના જેમાં કોંગ્રેસના નેતાઓને પોલિસે ઉઠાવી લીધા હતા, તેનું કારણ હતું આજે તાલુકા પંચાયતની બેઠક હતી. જે બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસના પદાધિકારીઓ જઈ રહ્યા હતા તેમાં પદાધિકારીઓની ઘોષણા થવાની હતી અને બહુમતી કોંગ્રેસ પાસે હતી, એટલે કઈક નવાજુની થવાના એંધાણ પહેલાથી જ વર્તાઈ ગયા હતા, અને કાલ રાતથી ઉથલપાથલ થવાની શરૂઆત થઇ હતી.

  

શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા

ગાંધીનગરના ત્રણ તાલુકા પંચાયત કલોલ, માણસા અને દેહગામને નવા પ્રમુખ મળવાના હતા,જેમાં કલોલ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે- તેમની બહુમતી ત્યાં છે. 15 સભ્યો કોંગ્રેસના અને 11 સભ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા- આમ વધારે બહુમતીના કારણે ત્યાં કોંગ્રેસનું પલળું ભારે હતું, પણ આજે પ્રમુખ ઘોષિત થાય તે પહેલા પોલીસે કોંગ્રેસના સભ્યોની અટકાયત કરી હતી અને કોંગ્રેસના શબ્દોમાં કહીયે તો અપહરણ કરી લીધું છે. આવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.  આ બાબતે શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કર્યો છે જેની પર લખ્યું છે કે આ કાલ રાતથી કોંગ્રેસ સભ્યોને આવી રીતે હેરાન કરાઈ રહ્યા છે અને ભૂપેન્દ્ર પટેલ આ હરકત નહિ રોકે તો રાષ્ટ્રપતિને જાણ કરીશું.



પોલીસ તરફથી નથી આવી પ્રતિક્રિયા 

અમિત ચાવડાએ આ ઘટનામાં લોકશાહી બચાવવા ચર્ચા કરવા રાષ્ટ્રપતિને પત્ર પણ લખી દીધો છે. શું કામ કોંગ્રેસના સભ્યોને આવી રીતે રોકવામાં આવ્યા તેની જાણકારી પોલીસ તરફથી આવી નથી. આગળ શું થશે આજે કલોલને નવા પ્રમુખ મળશે? , ગુનેહગારો વિરુદ્ધ પગલાં લેવાશે?, શું રાષ્ટ્રપતિ વિપક્ષના નેતાને મળશે? આ તમામ સવાલોના જવાબની સમય જતા જાણ થઇ જશે?



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.