Congressનો મોટો આરોપ, કલોલ તાલુકા પંચાયત સુધી કોંગ્રેસના સભ્યો ન પહોંચી શકે તે માટે પોલીસનો કરાયો દુરૂપયોગ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-13 12:28:41

ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ આવ્યા છે. ઈ- વિધાનસભાનો પ્રારંભ રાષ્ટ્રપતિના હસ્તે થયો છે. એક તરફ રાષ્ટ્રપતિ E-વિધાનસભાનું લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતાઓ લોકશાહીની હત્યા કરાઈ રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તેનું કારણ છે ગાંધીનગરના કલોલમાં બનેલી એક ઘટના જેમાં કોંગ્રેસના નેતાઓને પોલિસે ઉઠાવી લીધા હતા, તેનું કારણ હતું આજે તાલુકા પંચાયતની બેઠક હતી. જે બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસના પદાધિકારીઓ જઈ રહ્યા હતા તેમાં પદાધિકારીઓની ઘોષણા થવાની હતી અને બહુમતી કોંગ્રેસ પાસે હતી, એટલે કઈક નવાજુની થવાના એંધાણ પહેલાથી જ વર્તાઈ ગયા હતા, અને કાલ રાતથી ઉથલપાથલ થવાની શરૂઆત થઇ હતી.

  

શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા

ગાંધીનગરના ત્રણ તાલુકા પંચાયત કલોલ, માણસા અને દેહગામને નવા પ્રમુખ મળવાના હતા,જેમાં કલોલ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે- તેમની બહુમતી ત્યાં છે. 15 સભ્યો કોંગ્રેસના અને 11 સભ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા- આમ વધારે બહુમતીના કારણે ત્યાં કોંગ્રેસનું પલળું ભારે હતું, પણ આજે પ્રમુખ ઘોષિત થાય તે પહેલા પોલીસે કોંગ્રેસના સભ્યોની અટકાયત કરી હતી અને કોંગ્રેસના શબ્દોમાં કહીયે તો અપહરણ કરી લીધું છે. આવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.  આ બાબતે શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કર્યો છે જેની પર લખ્યું છે કે આ કાલ રાતથી કોંગ્રેસ સભ્યોને આવી રીતે હેરાન કરાઈ રહ્યા છે અને ભૂપેન્દ્ર પટેલ આ હરકત નહિ રોકે તો રાષ્ટ્રપતિને જાણ કરીશું.



પોલીસ તરફથી નથી આવી પ્રતિક્રિયા 

અમિત ચાવડાએ આ ઘટનામાં લોકશાહી બચાવવા ચર્ચા કરવા રાષ્ટ્રપતિને પત્ર પણ લખી દીધો છે. શું કામ કોંગ્રેસના સભ્યોને આવી રીતે રોકવામાં આવ્યા તેની જાણકારી પોલીસ તરફથી આવી નથી. આગળ શું થશે આજે કલોલને નવા પ્રમુખ મળશે? , ગુનેહગારો વિરુદ્ધ પગલાં લેવાશે?, શું રાષ્ટ્રપતિ વિપક્ષના નેતાને મળશે? આ તમામ સવાલોના જવાબની સમય જતા જાણ થઇ જશે?



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી