ટૂંક સમયમાં થઈ શકે છે પોલીસ ભરતી અંગે મોટી જાહેરાત, આ IPS અધિકારીને બનાવાયા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-18 10:56:21

ઘણા સમયથી ઉમેદવારો માગ કરી રહ્યા હતા કે પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવે. ત્યારે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષાનું આયોજન થશે તેવી માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે પોલીસ ભરતી બોર્ડની જવાબદારી IPS હસમુખ પટેલને સોંપવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડની જવાબદારી હસમુખ પટેલના શિરે રહેશે. થોડા સમય પહેલા જ આ ભરતી બોર્ડની રચના કરવામા આવી હતા. ત્યારે હવે આ ભરતી બોર્ડના અધ્યક્ષની નિમણૂંક કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એલઆરડી તેમજ પીએસઆઈની પરીક્ષા યોજાશે. 


Image

IPS હસમુખ પટેલને સોંપવામાં આવી ભરતી બોર્ડની જવાબદારી 

IPS હસમુખ પટેલ સિવાય ભરતી બોર્ડમાં પી.વી રાઠોડની પણ નિમણૂંક કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમમાં પી.વી.રાઠોડ ફરજ બજાવે છે. મહત્વનું છે કે હસમુખ પટેલ પ્રામાણિક અને સારી છબી ધરાવે છે. ઉમેદવારોને તેમની પર વિશ્વાસ ઘણો છે. જ્યારે ટેટ-ટાટની પરીક્ષા યોજાઈ હતી ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે પેપર ફૂટશે તેવી બીક હવે તેમને ઓછી લાગે છે કારણ કે તેની જવાબદારી IPS હસમુખ પટેલ સંભાળી રહ્યા છે. તેમના આવ્યા બાદ પેપરો ફૂટવાની ઘટનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હસમુખ પટેલ પર ઉમેદવારોને અતૂટ વિશ્વાસ છે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે