ટૂંક સમયમાં થઈ શકે છે પોલીસ ભરતી અંગે મોટી જાહેરાત, આ IPS અધિકારીને બનાવાયા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-18 10:56:21

ઘણા સમયથી ઉમેદવારો માગ કરી રહ્યા હતા કે પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવે. ત્યારે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષાનું આયોજન થશે તેવી માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે પોલીસ ભરતી બોર્ડની જવાબદારી IPS હસમુખ પટેલને સોંપવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડની જવાબદારી હસમુખ પટેલના શિરે રહેશે. થોડા સમય પહેલા જ આ ભરતી બોર્ડની રચના કરવામા આવી હતા. ત્યારે હવે આ ભરતી બોર્ડના અધ્યક્ષની નિમણૂંક કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એલઆરડી તેમજ પીએસઆઈની પરીક્ષા યોજાશે. 


Image

IPS હસમુખ પટેલને સોંપવામાં આવી ભરતી બોર્ડની જવાબદારી 

IPS હસમુખ પટેલ સિવાય ભરતી બોર્ડમાં પી.વી રાઠોડની પણ નિમણૂંક કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમમાં પી.વી.રાઠોડ ફરજ બજાવે છે. મહત્વનું છે કે હસમુખ પટેલ પ્રામાણિક અને સારી છબી ધરાવે છે. ઉમેદવારોને તેમની પર વિશ્વાસ ઘણો છે. જ્યારે ટેટ-ટાટની પરીક્ષા યોજાઈ હતી ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે પેપર ફૂટશે તેવી બીક હવે તેમને ઓછી લાગે છે કારણ કે તેની જવાબદારી IPS હસમુખ પટેલ સંભાળી રહ્યા છે. તેમના આવ્યા બાદ પેપરો ફૂટવાની ઘટનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હસમુખ પટેલ પર ઉમેદવારોને અતૂટ વિશ્વાસ છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.