ટૂંક સમયમાં થઈ શકે છે પોલીસ ભરતી અંગે મોટી જાહેરાત, આ IPS અધિકારીને બનાવાયા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-18 10:56:21

ઘણા સમયથી ઉમેદવારો માગ કરી રહ્યા હતા કે પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવે. ત્યારે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષાનું આયોજન થશે તેવી માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે પોલીસ ભરતી બોર્ડની જવાબદારી IPS હસમુખ પટેલને સોંપવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડની જવાબદારી હસમુખ પટેલના શિરે રહેશે. થોડા સમય પહેલા જ આ ભરતી બોર્ડની રચના કરવામા આવી હતા. ત્યારે હવે આ ભરતી બોર્ડના અધ્યક્ષની નિમણૂંક કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એલઆરડી તેમજ પીએસઆઈની પરીક્ષા યોજાશે. 


Image

IPS હસમુખ પટેલને સોંપવામાં આવી ભરતી બોર્ડની જવાબદારી 

IPS હસમુખ પટેલ સિવાય ભરતી બોર્ડમાં પી.વી રાઠોડની પણ નિમણૂંક કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમમાં પી.વી.રાઠોડ ફરજ બજાવે છે. મહત્વનું છે કે હસમુખ પટેલ પ્રામાણિક અને સારી છબી ધરાવે છે. ઉમેદવારોને તેમની પર વિશ્વાસ ઘણો છે. જ્યારે ટેટ-ટાટની પરીક્ષા યોજાઈ હતી ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે પેપર ફૂટશે તેવી બીક હવે તેમને ઓછી લાગે છે કારણ કે તેની જવાબદારી IPS હસમુખ પટેલ સંભાળી રહ્યા છે. તેમના આવ્યા બાદ પેપરો ફૂટવાની ઘટનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હસમુખ પટેલ પર ઉમેદવારોને અતૂટ વિશ્વાસ છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.