ટૂંક સમયમાં થઈ શકે છે પોલીસ ભરતી અંગે મોટી જાહેરાત, આ IPS અધિકારીને બનાવાયા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-18 10:56:21

ઘણા સમયથી ઉમેદવારો માગ કરી રહ્યા હતા કે પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવે. ત્યારે ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. ટૂંક સમયમાં પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષાનું આયોજન થશે તેવી માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે પોલીસ ભરતી બોર્ડની જવાબદારી IPS હસમુખ પટેલને સોંપવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડની જવાબદારી હસમુખ પટેલના શિરે રહેશે. થોડા સમય પહેલા જ આ ભરતી બોર્ડની રચના કરવામા આવી હતા. ત્યારે હવે આ ભરતી બોર્ડના અધ્યક્ષની નિમણૂંક કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં એલઆરડી તેમજ પીએસઆઈની પરીક્ષા યોજાશે. 


Image

IPS હસમુખ પટેલને સોંપવામાં આવી ભરતી બોર્ડની જવાબદારી 

IPS હસમુખ પટેલ સિવાય ભરતી બોર્ડમાં પી.વી રાઠોડની પણ નિમણૂંક કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમમાં પી.વી.રાઠોડ ફરજ બજાવે છે. મહત્વનું છે કે હસમુખ પટેલ પ્રામાણિક અને સારી છબી ધરાવે છે. ઉમેદવારોને તેમની પર વિશ્વાસ ઘણો છે. જ્યારે ટેટ-ટાટની પરીક્ષા યોજાઈ હતી ત્યારે ઉમેદવારોએ કહ્યું હતું કે પેપર ફૂટશે તેવી બીક હવે તેમને ઓછી લાગે છે કારણ કે તેની જવાબદારી IPS હસમુખ પટેલ સંભાળી રહ્યા છે. તેમના આવ્યા બાદ પેપરો ફૂટવાની ઘટનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હસમુખ પટેલ પર ઉમેદવારોને અતૂટ વિશ્વાસ છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.