આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘર વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-11-04 21:03:35

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘરવાપસી કરી દિલ્લીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. 


દિલ્લીના રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ફરી જોડી દેવામાં આવ્યા છે. પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા છે. આજે બપોરથી જ સમાચારો મળી રહ્યા હતા કે રાજભા ઝાલા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીથી નારાજ છે. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપ્યું હતું કે, "આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, આમ આદમી પાર્ટી પણ ભાજપની જેમ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે."


આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડશે મોટો ફટકો

ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં મોટું નામ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે તેઓ અમુક ખાસ કારણોની સાથે જોડાયા હતા. શરૂઆતથી જ ચર્ચાઓ ચાલી રહી હતી કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ મોટા પદ માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજના દિવસે દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે "AAPનો CM" કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કરી દીધા હતા.ત્યારે આમ આદમી પાર્ટીથી નારાજ થઈ ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આજે રાજભા ઝાલા પણ નારાજ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. રાભા ઝાલાએ એવું કહીને પોતાની વ્યથા ઠાલવી હતી કે આમ આદમી પાર્ટી મારો ઉપયોગ નથી કરી રહ્યું.


ગુજરાતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે, ગુજરાતની રાજનીતિ હવે બદલાતી જશે. આજે દાખલો નજર સામે છે. ભાજપ, કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટીમાં ઘણા બલદાવો આવી શકે છે અને અનેક નેતાઓના મોઢામાંથી ધાર્મિક ભાવનાઓ ભડકાવતા નિવેદનો નિકળશે, પાર્ટીઓ માટે આક્ષેપ પ્રતિઆક્ષેપો વધશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા તેનો સીધો મતલબ છે રાજકોટમાં કોંગ્રેસને હવે નુકસાન નથી થવાનું. હવે રાજનીતિમાં શું-શું બદલાવો આવશે તે જોવાનું રહેશે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.