આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘર વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-11-04 21:03:35

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘરવાપસી કરી દિલ્લીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. 


દિલ્લીના રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ફરી જોડી દેવામાં આવ્યા છે. પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા છે. આજે બપોરથી જ સમાચારો મળી રહ્યા હતા કે રાજભા ઝાલા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીથી નારાજ છે. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપ્યું હતું કે, "આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, આમ આદમી પાર્ટી પણ ભાજપની જેમ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે."


આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડશે મોટો ફટકો

ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં મોટું નામ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે તેઓ અમુક ખાસ કારણોની સાથે જોડાયા હતા. શરૂઆતથી જ ચર્ચાઓ ચાલી રહી હતી કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ મોટા પદ માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજના દિવસે દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે "AAPનો CM" કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કરી દીધા હતા.ત્યારે આમ આદમી પાર્ટીથી નારાજ થઈ ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આજે રાજભા ઝાલા પણ નારાજ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. રાભા ઝાલાએ એવું કહીને પોતાની વ્યથા ઠાલવી હતી કે આમ આદમી પાર્ટી મારો ઉપયોગ નથી કરી રહ્યું.


ગુજરાતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે, ગુજરાતની રાજનીતિ હવે બદલાતી જશે. આજે દાખલો નજર સામે છે. ભાજપ, કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટીમાં ઘણા બલદાવો આવી શકે છે અને અનેક નેતાઓના મોઢામાંથી ધાર્મિક ભાવનાઓ ભડકાવતા નિવેદનો નિકળશે, પાર્ટીઓ માટે આક્ષેપ પ્રતિઆક્ષેપો વધશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા તેનો સીધો મતલબ છે રાજકોટમાં કોંગ્રેસને હવે નુકસાન નથી થવાનું. હવે રાજનીતિમાં શું-શું બદલાવો આવશે તે જોવાનું રહેશે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.