આમ આદમી પાર્ટીને મોટો ઝટકો, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘર વાપસી કરી


  • Published By :
  • Published Date : 2022-11-04 21:03:35

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ઘરવાપસી કરી દિલ્લીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. 


દિલ્લીના રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં ફરી જોડી દેવામાં આવ્યા છે. પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની ઉપસ્થિતિમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા છે. આજે બપોરથી જ સમાચારો મળી રહ્યા હતા કે રાજભા ઝાલા અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીથી નારાજ છે. કોંગ્રેસમાં જોડાયા બાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ નિવેદન આપ્યું હતું કે, "આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, આમ આદમી પાર્ટી પણ ભાજપની જેમ લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે."


આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં પડશે મોટો ફટકો

ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં મોટું નામ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ત્યારે તેઓ અમુક ખાસ કારણોની સાથે જોડાયા હતા. શરૂઆતથી જ ચર્ચાઓ ચાલી રહી હતી કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ મોટા પદ માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજના દિવસે દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે "AAPનો CM" કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કરી દીધા હતા.ત્યારે આમ આદમી પાર્ટીથી નારાજ થઈ ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે આજે રાજભા ઝાલા પણ નારાજ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા. રાભા ઝાલાએ એવું કહીને પોતાની વ્યથા ઠાલવી હતી કે આમ આદમી પાર્ટી મારો ઉપયોગ નથી કરી રહ્યું.


ગુજરાતની ચૂંટણીની તારીખો આવી ગઈ છે, ગુજરાતની રાજનીતિ હવે બદલાતી જશે. આજે દાખલો નજર સામે છે. ભાજપ, કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટીમાં ઘણા બલદાવો આવી શકે છે અને અનેક નેતાઓના મોઢામાંથી ધાર્મિક ભાવનાઓ ભડકાવતા નિવેદનો નિકળશે, પાર્ટીઓ માટે આક્ષેપ પ્રતિઆક્ષેપો વધશે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં ફરી જોડાયા તેનો સીધો મતલબ છે રાજકોટમાં કોંગ્રેસને હવે નુકસાન નથી થવાનું. હવે રાજનીતિમાં શું-શું બદલાવો આવશે તે જોવાનું રહેશે



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.