કોંગ્રેસને પડ્યો મોટો ફટકો! પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગોવાભાઈ રબારીએ કેસરિયો કર્યો ધારણ, સી.આર.પાટીલે કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-06-19 14:06:24

થોડા દિવસો પહેલા બનાસકાંઠાના તેમજ કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારીએ કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતાની સાથે જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ ગઈ હતી. હજી સુધી એવું લાગતું હતું કે આ બધી અફવાઓ છે પરંતુ તે હવે સાચી પડી છે. સી.આર.પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેઓ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ અચાનક કોંગ્રેસનો છેડો ફાટવાથી કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.     



સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો

વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં આવી છે. શક્તિસિંહ ગોહિલ આજે ચાર્જ સંભાળવાના છે ત્યારે કોંગ્રેસની સાથે 35 જેટલા વર્ષોથી જોડાયેલા ગોવાભાઈ રબારીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. થોડા દિવસો પહેલા તેમણે પોતાના રાજીનામા અંગેની માહિતી આપી હતી અને તે બાદ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આજે સી. આર પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેમના ભાજપમાં જવાથી કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે. 


ગોવાભાઈએ આવવામાં મોડું કર્યું - પાટીલ 

ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાતા સી.આર.પાટીલે કહ્યું કે વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું પરંતુ એમના કોઈ કામ ના થયા, અનેક કાર્યકર્તાઓના કામ નથી થયા એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ બંને નેતાઓ ઉત્તર ગુજરાતના છે. કોંગ્રેસ કોઈને હિસાબ નથી આપતી. ગોવાભાઈએ આવવામાં થોડું મોડું કર્યું વહેલા આવ્યા હોત તો ક્યાંક સારી જગ્યાએ બેઠા હોત.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.