કોંગ્રેસને પડ્યો મોટો ફટકો! પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગોવાભાઈ રબારીએ કેસરિયો કર્યો ધારણ, સી.આર.પાટીલે કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-06-19 14:06:24

થોડા દિવસો પહેલા બનાસકાંઠાના તેમજ કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારીએ કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતાની સાથે જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ ગઈ હતી. હજી સુધી એવું લાગતું હતું કે આ બધી અફવાઓ છે પરંતુ તે હવે સાચી પડી છે. સી.આર.પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેઓ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ અચાનક કોંગ્રેસનો છેડો ફાટવાથી કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.     



સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો

વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં આવી છે. શક્તિસિંહ ગોહિલ આજે ચાર્જ સંભાળવાના છે ત્યારે કોંગ્રેસની સાથે 35 જેટલા વર્ષોથી જોડાયેલા ગોવાભાઈ રબારીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. થોડા દિવસો પહેલા તેમણે પોતાના રાજીનામા અંગેની માહિતી આપી હતી અને તે બાદ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આજે સી. આર પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેમના ભાજપમાં જવાથી કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે. 


ગોવાભાઈએ આવવામાં મોડું કર્યું - પાટીલ 

ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાતા સી.આર.પાટીલે કહ્યું કે વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું પરંતુ એમના કોઈ કામ ના થયા, અનેક કાર્યકર્તાઓના કામ નથી થયા એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ બંને નેતાઓ ઉત્તર ગુજરાતના છે. કોંગ્રેસ કોઈને હિસાબ નથી આપતી. ગોવાભાઈએ આવવામાં થોડું મોડું કર્યું વહેલા આવ્યા હોત તો ક્યાંક સારી જગ્યાએ બેઠા હોત.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.