કોંગ્રેસને પડ્યો મોટો ફટકો! પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ગોવાભાઈ રબારીએ કેસરિયો કર્યો ધારણ, સી.આર.પાટીલે કર્યું સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-06-19 14:06:24

થોડા દિવસો પહેલા બનાસકાંઠાના તેમજ કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારીએ કોંગ્રેસના તમામ પદો ઉપરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતાની સાથે જ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ થઈ ગઈ હતી. હજી સુધી એવું લાગતું હતું કે આ બધી અફવાઓ છે પરંતુ તે હવે સાચી પડી છે. સી.આર.પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેઓ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા પરંતુ અચાનક કોંગ્રેસનો છેડો ફાટવાથી કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર સમર્થકોની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.     



સી.આર.પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો

વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં આવી છે. શક્તિસિંહ ગોહિલ આજે ચાર્જ સંભાળવાના છે ત્યારે કોંગ્રેસની સાથે 35 જેટલા વર્ષોથી જોડાયેલા ગોવાભાઈ રબારીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. થોડા દિવસો પહેલા તેમણે પોતાના રાજીનામા અંગેની માહિતી આપી હતી અને તે બાદ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે આજે સી. આર પાટીલની હાજરીમાં તેમણે કેસરિયો ધારણ કર્યો છે. મહત્વનું છે કે તેમના ભાજપમાં જવાથી કોંગ્રેસને નુકસાન વેઠવું પડી શકે છે. 


ગોવાભાઈએ આવવામાં મોડું કર્યું - પાટીલ 

ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાતા સી.આર.પાટીલે કહ્યું કે વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું પરંતુ એમના કોઈ કામ ના થયા, અનેક કાર્યકર્તાઓના કામ નથી થયા એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. મોદી સાહેબ અને અમિતભાઈ શાહ બંને નેતાઓ ઉત્તર ગુજરાતના છે. કોંગ્રેસ કોઈને હિસાબ નથી આપતી. ગોવાભાઈએ આવવામાં થોડું મોડું કર્યું વહેલા આવ્યા હોત તો ક્યાંક સારી જગ્યાએ બેઠા હોત.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.