લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને મોટો ઝટકો, પંજાબમાં AAP અને કોંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન


  • Published By :
  • Published Date : 2024-02-08 15:10:02

લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે સત્તાવાર રીતે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે.


પંજાબમાં AAP એકલા હાથે લડશે


સંદીપ પાઠકે આજ તક પર સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સીટ શેરિંગ કમિટીએ પંજાબમાં ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે 13 લોકસભા સીટો ધરાવતા પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસ ત્યાં તેમની સાથે ગઠબંધન કરવા માંગતી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ન થવાના સમાચારો વચ્ચે , ઈન્ડિયા ટુડે - સી વોટરનો ઓફ ધ નેશન સર્વે પણ થયો છે જેમાં બંને પક્ષોને સમાન સંખ્યામાં બેઠકો મળતી દેખાઈ રહી છે.


ઈન્ડિયા ટુડે-સી વોટરનો સર્વે શું કહે છે?


પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. જો આજે અહીં ચૂંટણી યોજાઈ હોત તો આમ આદમી પાર્ટીનો વોટ શેર વધીને 27.2 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે AAPને છેલ્લી ચૂંટણીમાં એક બેઠક મળી હતી, તે વધીને પાંચ બેઠકો થઈ છે. જ્યારે કોંગ્રેસને 37.6 ટકા, ભાજપને 16.9 ટકા, અકાલી દળને 14.4 ટકા અને અન્યને 3.9 ટકા વોટ શેર મળ્યા છે. સીટોની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસને પાંચ સીટ, ભાજપને બે સીટ અને અન્યને એક સીટ મળી શકે છે. પંજાબમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ મળી હતી. તે સિવાય કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. આ વખતે તે ઘટીને 5 બેઠકો રહેવાનો અંદાજ છે, જ્યારે અકાલી દળને બે બેઠકો મળી હતી, જે એક પર પહોંચી રહી છે. તે જ સમયે, ભાજપ તેની બંને બેઠકો બચાવી રહ્યું છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .