લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને મોટો ઝટકો, પંજાબમાં AAP અને કોંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન


  • Published By :
  • Published Date : 2024-02-08 15:10:02

લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે સત્તાવાર રીતે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે.


પંજાબમાં AAP એકલા હાથે લડશે


સંદીપ પાઠકે આજ તક પર સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સીટ શેરિંગ કમિટીએ પંજાબમાં ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે 13 લોકસભા સીટો ધરાવતા પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસ ત્યાં તેમની સાથે ગઠબંધન કરવા માંગતી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ન થવાના સમાચારો વચ્ચે , ઈન્ડિયા ટુડે - સી વોટરનો ઓફ ધ નેશન સર્વે પણ થયો છે જેમાં બંને પક્ષોને સમાન સંખ્યામાં બેઠકો મળતી દેખાઈ રહી છે.


ઈન્ડિયા ટુડે-સી વોટરનો સર્વે શું કહે છે?


પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. જો આજે અહીં ચૂંટણી યોજાઈ હોત તો આમ આદમી પાર્ટીનો વોટ શેર વધીને 27.2 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે AAPને છેલ્લી ચૂંટણીમાં એક બેઠક મળી હતી, તે વધીને પાંચ બેઠકો થઈ છે. જ્યારે કોંગ્રેસને 37.6 ટકા, ભાજપને 16.9 ટકા, અકાલી દળને 14.4 ટકા અને અન્યને 3.9 ટકા વોટ શેર મળ્યા છે. સીટોની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસને પાંચ સીટ, ભાજપને બે સીટ અને અન્યને એક સીટ મળી શકે છે. પંજાબમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ મળી હતી. તે સિવાય કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. આ વખતે તે ઘટીને 5 બેઠકો રહેવાનો અંદાજ છે, જ્યારે અકાલી દળને બે બેઠકો મળી હતી, જે એક પર પહોંચી રહી છે. તે જ સમયે, ભાજપ તેની બંને બેઠકો બચાવી રહ્યું છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.