મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો ઝટકો, રિટેલ મોંઘવારી 8 મહિનાની ટોચ પર, CNGના ભાવ પણ વધ્યા


  • Published By :
  • Published Date : 2023-12-14 14:16:08

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોને વધુ ત્રણ ઝટકા લાગ્યા છે. દેશમાં પહેલા રિટેલ મોંઘવારીમાં વધારો થયો તો દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં સીએનજીની કિંમતોમાં વૃધ્ધી થઈ છે. હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હોલસેલ મોંઘવારીના આંકડા પણ ઝટકો આપનારા છે, નવેમ્બર મહિનામાં WPIમાં પણ વૃધ્ધી થઈ છે અને તે વધીને 8 મહીનાની ટોચ પર પહોંચી ગઈ છે. 


WPI નેગેટીવ ઝોનમાંથી બહાર

 

વેપાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં હોલસેલ મોંઘવારી વધી ગઈ છે, અને તે નેગેટિવ ઝોનમાંથી ઉપર આવી ગઈ છે, માર્ચ મહિનામાં હોલસેલ મોંઘવારી દર નેગેટિવ ઝોનમાં યથાવત હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓને જોઈએ તો હોલસેલ મોંઘવારી દર ઓક્ટોબરમાં (-) 0.52 ટકાથી વધીને નવેમ્બર મહિનામાં 0.26 ટકા થઈ ગઈ છે.


રિટેલ મોંઘવારી 5.5 ટકા


આ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિટેલ મોંઘવારીનાં આંકડા અંગે વાત કરીએ તો ભારતમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બર મહિનામાં વર્ષના આધાર પર 5.5 ટકાના દરે વધી છે, જ્યારે ઓક્ટોબરમાં તે ચાર મહિનાના સૌથી નીચા સ્તર 4.87 ટકા પર હતી. હવે તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા 2-6 ટકાની મર્યાદાની બહાર જ છે.


CNGની કિંમતોમાં વૃધ્ધી


દેશના લોકોને લાગેલા ત્રીજા ઝટકાની વાત કરીએ તો તે પણ આજે સવારે જ લાગ્યો છે, દેશના વિવિધ રાજ્યોમાં CNGના ભાવમાં વૃધ્ધી કરવામાં આવી છે. એક રૂપિયા પ્રતિ કિલોની વૃધ્ધી બાદ રાજધાની દિલ્હીમાં CNGની નવી દર 76.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે નોઈડામાં તે વધીને 82.20 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી ગઈ છે. ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડા માટે 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે 20 દિવસમાં જ CNGની કિંમતોમાં પણ તે સતત બીજી વખત વૃધ્ધી કરવામાં આવી છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે