મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો ઝટકો, રિટેલ મોંઘવારી 8 મહિનાની ટોચ પર, CNGના ભાવ પણ વધ્યા


  • Published By :
  • Published Date : 2023-12-14 14:16:08

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોને વધુ ત્રણ ઝટકા લાગ્યા છે. દેશમાં પહેલા રિટેલ મોંઘવારીમાં વધારો થયો તો દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં સીએનજીની કિંમતોમાં વૃધ્ધી થઈ છે. હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હોલસેલ મોંઘવારીના આંકડા પણ ઝટકો આપનારા છે, નવેમ્બર મહિનામાં WPIમાં પણ વૃધ્ધી થઈ છે અને તે વધીને 8 મહીનાની ટોચ પર પહોંચી ગઈ છે. 


WPI નેગેટીવ ઝોનમાંથી બહાર

 

વેપાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં હોલસેલ મોંઘવારી વધી ગઈ છે, અને તે નેગેટિવ ઝોનમાંથી ઉપર આવી ગઈ છે, માર્ચ મહિનામાં હોલસેલ મોંઘવારી દર નેગેટિવ ઝોનમાં યથાવત હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓને જોઈએ તો હોલસેલ મોંઘવારી દર ઓક્ટોબરમાં (-) 0.52 ટકાથી વધીને નવેમ્બર મહિનામાં 0.26 ટકા થઈ ગઈ છે.


રિટેલ મોંઘવારી 5.5 ટકા


આ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિટેલ મોંઘવારીનાં આંકડા અંગે વાત કરીએ તો ભારતમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બર મહિનામાં વર્ષના આધાર પર 5.5 ટકાના દરે વધી છે, જ્યારે ઓક્ટોબરમાં તે ચાર મહિનાના સૌથી નીચા સ્તર 4.87 ટકા પર હતી. હવે તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા 2-6 ટકાની મર્યાદાની બહાર જ છે.


CNGની કિંમતોમાં વૃધ્ધી


દેશના લોકોને લાગેલા ત્રીજા ઝટકાની વાત કરીએ તો તે પણ આજે સવારે જ લાગ્યો છે, દેશના વિવિધ રાજ્યોમાં CNGના ભાવમાં વૃધ્ધી કરવામાં આવી છે. એક રૂપિયા પ્રતિ કિલોની વૃધ્ધી બાદ રાજધાની દિલ્હીમાં CNGની નવી દર 76.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે નોઈડામાં તે વધીને 82.20 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી ગઈ છે. ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડા માટે 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે 20 દિવસમાં જ CNGની કિંમતોમાં પણ તે સતત બીજી વખત વૃધ્ધી કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે