મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો ઝટકો, રિટેલ મોંઘવારી 8 મહિનાની ટોચ પર, CNGના ભાવ પણ વધ્યા


  • Published By :
  • Published Date : 2023-12-14 14:16:08

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોને વધુ ત્રણ ઝટકા લાગ્યા છે. દેશમાં પહેલા રિટેલ મોંઘવારીમાં વધારો થયો તો દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં સીએનજીની કિંમતોમાં વૃધ્ધી થઈ છે. હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હોલસેલ મોંઘવારીના આંકડા પણ ઝટકો આપનારા છે, નવેમ્બર મહિનામાં WPIમાં પણ વૃધ્ધી થઈ છે અને તે વધીને 8 મહીનાની ટોચ પર પહોંચી ગઈ છે. 


WPI નેગેટીવ ઝોનમાંથી બહાર

 

વેપાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં હોલસેલ મોંઘવારી વધી ગઈ છે, અને તે નેગેટિવ ઝોનમાંથી ઉપર આવી ગઈ છે, માર્ચ મહિનામાં હોલસેલ મોંઘવારી દર નેગેટિવ ઝોનમાં યથાવત હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓને જોઈએ તો હોલસેલ મોંઘવારી દર ઓક્ટોબરમાં (-) 0.52 ટકાથી વધીને નવેમ્બર મહિનામાં 0.26 ટકા થઈ ગઈ છે.


રિટેલ મોંઘવારી 5.5 ટકા


આ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિટેલ મોંઘવારીનાં આંકડા અંગે વાત કરીએ તો ભારતમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બર મહિનામાં વર્ષના આધાર પર 5.5 ટકાના દરે વધી છે, જ્યારે ઓક્ટોબરમાં તે ચાર મહિનાના સૌથી નીચા સ્તર 4.87 ટકા પર હતી. હવે તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા 2-6 ટકાની મર્યાદાની બહાર જ છે.


CNGની કિંમતોમાં વૃધ્ધી


દેશના લોકોને લાગેલા ત્રીજા ઝટકાની વાત કરીએ તો તે પણ આજે સવારે જ લાગ્યો છે, દેશના વિવિધ રાજ્યોમાં CNGના ભાવમાં વૃધ્ધી કરવામાં આવી છે. એક રૂપિયા પ્રતિ કિલોની વૃધ્ધી બાદ રાજધાની દિલ્હીમાં CNGની નવી દર 76.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે નોઈડામાં તે વધીને 82.20 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી ગઈ છે. ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડા માટે 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે 20 દિવસમાં જ CNGની કિંમતોમાં પણ તે સતત બીજી વખત વૃધ્ધી કરવામાં આવી છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.