મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોટો ઝટકો, રિટેલ મોંઘવારી 8 મહિનાની ટોચ પર, CNGના ભાવ પણ વધ્યા


  • Published By :
  • Published Date : 2023-12-14 14:16:08

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકોને વધુ ત્રણ ઝટકા લાગ્યા છે. દેશમાં પહેલા રિટેલ મોંઘવારીમાં વધારો થયો તો દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં સીએનજીની કિંમતોમાં વૃધ્ધી થઈ છે. હવે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હોલસેલ મોંઘવારીના આંકડા પણ ઝટકો આપનારા છે, નવેમ્બર મહિનામાં WPIમાં પણ વૃધ્ધી થઈ છે અને તે વધીને 8 મહીનાની ટોચ પર પહોંચી ગઈ છે. 


WPI નેગેટીવ ઝોનમાંથી બહાર

 

વેપાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં હોલસેલ મોંઘવારી વધી ગઈ છે, અને તે નેગેટિવ ઝોનમાંથી ઉપર આવી ગઈ છે, માર્ચ મહિનામાં હોલસેલ મોંઘવારી દર નેગેટિવ ઝોનમાં યથાવત હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓને જોઈએ તો હોલસેલ મોંઘવારી દર ઓક્ટોબરમાં (-) 0.52 ટકાથી વધીને નવેમ્બર મહિનામાં 0.26 ટકા થઈ ગઈ છે.


રિટેલ મોંઘવારી 5.5 ટકા


આ પહેલા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિટેલ મોંઘવારીનાં આંકડા અંગે વાત કરીએ તો ભારતમાં રિટેલ મોંઘવારી દર નવેમ્બર મહિનામાં વર્ષના આધાર પર 5.5 ટકાના દરે વધી છે, જ્યારે ઓક્ટોબરમાં તે ચાર મહિનાના સૌથી નીચા સ્તર 4.87 ટકા પર હતી. હવે તે ભારતીય રિઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા 2-6 ટકાની મર્યાદાની બહાર જ છે.


CNGની કિંમતોમાં વૃધ્ધી


દેશના લોકોને લાગેલા ત્રીજા ઝટકાની વાત કરીએ તો તે પણ આજે સવારે જ લાગ્યો છે, દેશના વિવિધ રાજ્યોમાં CNGના ભાવમાં વૃધ્ધી કરવામાં આવી છે. એક રૂપિયા પ્રતિ કિલોની વૃધ્ધી બાદ રાજધાની દિલ્હીમાં CNGની નવી દર 76.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે નોઈડામાં તે વધીને 82.20 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ પર પહોંચી ગઈ છે. ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડા માટે 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઉલ્લેખનિય છે કે 20 દિવસમાં જ CNGની કિંમતોમાં પણ તે સતત બીજી વખત વૃધ્ધી કરવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.