Big Breaking : Dediyapadaના ધારાસભ્ય Chaitar Vasava પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા પહોંચ્યા કાર્યાલય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-14 12:28:30

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ સવારથી ચર્ચા ચાલી રહી હતી કે આજે પોલીસ સમક્ષ ચૈતર વસાવા સરેન્ડર કરવાના છે. સમાચાર સામે આવ્યા ત્યારે એક સંભાવના એવી પણ હતી કે પોલીસ સમક્ષ તે હાજર નહીં થાય પરંતુ થોડા સમય પહેલા જ ફરાર થયેલા ચૈતર વસાવા પોતાના કાર્યાલય પહોંચ્યા છે. આજે તે પોલીસ સમક્ષ હાજર થવાના છે. વન કર્મીને માર મારવા બદલ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ફરાર હતા. પરંતુ આજે તે સરેન્ડ કરવા માટે લોકો વચ્ચે આવ્યા છે.


ચૈતર વસાવા પહોંચ્યા કાર્યાલય!

પોલીસ સ્ટેશન જાય તે પહેલા તે પોતાના કાર્યાલય પહોંચ્યા છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા છે તેમના જીંદાબાદના નારા લાગી રહ્યા છે. પોલીસ સમક્ષ આદિવાસી નેતા ચૈતર વસાવા સરેન્ડ કરવાના છે. ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો કાર્યાલય ખાતે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ સહિતના આપના નેતાઓ ત્યાં હાજર છે. 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.