Big Breaking : Dediyapadaના ધારાસભ્ય Chaitar Vasava પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા પહોંચ્યા કાર્યાલય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-14 12:28:30

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ સવારથી ચર્ચા ચાલી રહી હતી કે આજે પોલીસ સમક્ષ ચૈતર વસાવા સરેન્ડર કરવાના છે. સમાચાર સામે આવ્યા ત્યારે એક સંભાવના એવી પણ હતી કે પોલીસ સમક્ષ તે હાજર નહીં થાય પરંતુ થોડા સમય પહેલા જ ફરાર થયેલા ચૈતર વસાવા પોતાના કાર્યાલય પહોંચ્યા છે. આજે તે પોલીસ સમક્ષ હાજર થવાના છે. વન કર્મીને માર મારવા બદલ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ફરાર હતા. પરંતુ આજે તે સરેન્ડ કરવા માટે લોકો વચ્ચે આવ્યા છે.


ચૈતર વસાવા પહોંચ્યા કાર્યાલય!

પોલીસ સ્ટેશન જાય તે પહેલા તે પોતાના કાર્યાલય પહોંચ્યા છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા છે તેમના જીંદાબાદના નારા લાગી રહ્યા છે. પોલીસ સમક્ષ આદિવાસી નેતા ચૈતર વસાવા સરેન્ડ કરવાના છે. ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો કાર્યાલય ખાતે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ સહિતના આપના નેતાઓ ત્યાં હાજર છે. 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.