Big Breaking : Dediyapadaના ધારાસભ્ય Chaitar Vasava પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા પહોંચ્યા કાર્યાલય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-14 12:28:30

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ સવારથી ચર્ચા ચાલી રહી હતી કે આજે પોલીસ સમક્ષ ચૈતર વસાવા સરેન્ડર કરવાના છે. સમાચાર સામે આવ્યા ત્યારે એક સંભાવના એવી પણ હતી કે પોલીસ સમક્ષ તે હાજર નહીં થાય પરંતુ થોડા સમય પહેલા જ ફરાર થયેલા ચૈતર વસાવા પોતાના કાર્યાલય પહોંચ્યા છે. આજે તે પોલીસ સમક્ષ હાજર થવાના છે. વન કર્મીને માર મારવા બદલ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ફરાર હતા. પરંતુ આજે તે સરેન્ડ કરવા માટે લોકો વચ્ચે આવ્યા છે.


ચૈતર વસાવા પહોંચ્યા કાર્યાલય!

પોલીસ સ્ટેશન જાય તે પહેલા તે પોતાના કાર્યાલય પહોંચ્યા છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા છે તેમના જીંદાબાદના નારા લાગી રહ્યા છે. પોલીસ સમક્ષ આદિવાસી નેતા ચૈતર વસાવા સરેન્ડ કરવાના છે. ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો કાર્યાલય ખાતે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ સહિતના આપના નેતાઓ ત્યાં હાજર છે. 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.