Big Breaking : Dediyapadaના ધારાસભ્ય Chaitar Vasava પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા પહોંચ્યા કાર્યાલય, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-14 12:28:30

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ સવારથી ચર્ચા ચાલી રહી હતી કે આજે પોલીસ સમક્ષ ચૈતર વસાવા સરેન્ડર કરવાના છે. સમાચાર સામે આવ્યા ત્યારે એક સંભાવના એવી પણ હતી કે પોલીસ સમક્ષ તે હાજર નહીં થાય પરંતુ થોડા સમય પહેલા જ ફરાર થયેલા ચૈતર વસાવા પોતાના કાર્યાલય પહોંચ્યા છે. આજે તે પોલીસ સમક્ષ હાજર થવાના છે. વન કર્મીને માર મારવા બદલ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ફરાર હતા. પરંતુ આજે તે સરેન્ડ કરવા માટે લોકો વચ્ચે આવ્યા છે.


ચૈતર વસાવા પહોંચ્યા કાર્યાલય!

પોલીસ સ્ટેશન જાય તે પહેલા તે પોતાના કાર્યાલય પહોંચ્યા છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા છે તેમના જીંદાબાદના નારા લાગી રહ્યા છે. પોલીસ સમક્ષ આદિવાસી નેતા ચૈતર વસાવા સરેન્ડ કરવાના છે. ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો કાર્યાલય ખાતે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ સહિતના આપના નેતાઓ ત્યાં હાજર છે. 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.